SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિક દર્શન જ્ઞાનને માને તે ક્યાંક સ્થૂળતાના અબ્રાન્ત જ્ઞાનને પણ સ્વીકારવું જ પડે.પ૩ આમ છેવટે જ્ઞાનના વિષયરૂપ સ્થૂળતાને બાહ્ય માન્યા વિના વિરોધીને છૂટકે નથી. તેથી પરમ સુક્ષ્મ પરમાણુઓથી ભિન્ન તેમનાથી ઉત્પન્ન થયેલા સ્થૂળ અવયવીને. સ્વીકાર કર્યા વિના ચાલે એમ નથી. (૩) ન્યાયસૂત્રકાર જણાવે છે કે કેવળ પરમાણુઓને માનીએ અને અવયવીને ન માનીએ તો દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, સામાન્યવિશેષ અને સમવાય આ બધાનું કદી ગ્રહણ થઈ શકે જ નહિ કારણ કે પરમાણુઓ અને તેમાં રહેલા ગુણ, વગેરે અતીન્દ્રિય છે. પરંતુ આપણને દ્રવ્ય, ગુણ, વગેરેનું ગ્રહણ તે થાય છે. એટલે પરમાણુઓથી ભિન્ન ઇન્દ્રિયગ્રાહ્ય અવયવી છે એ પુરવાર થાય છે.પ૪ (૪) અવયવીના સિદ્ધાંત વિરુદ્ધની આપત્તિઓમાંની એક ચિત્રરૂપની સમસ્યાના સંદર્ભમાં ઊઠે છે. વૈશેષિક અનુસાર અવયવીનું (કાર્યનું) રૂ૫ (કે કઈ પણ ગુણ) અવયવોના (કારણની) તે ગુણથી ભિન્ન હોય છે. દાખલા તરીકે, પટરૂપ તંતુરૂપથી | ભિન્ન છે. પટરૂપ અને તંદુરૂપના કારણો પણ ભિન્ન છે. પરૂપનું સમવાયિકારણ પટ છે જ્યારે તેનું અસમવાધિકારણ તડુરૂપ છે. તત્ત્વરૂપનું સમાયિકારણ તખ્ત છે અને અસમાયિકારણ રેસાનું રૂપ છે. જ્યારે પટના સમવાયિકારણરૂપ તત્ત્વઓમાંથી કેટલાક લાલ હોય, કેટલાક પીળા હોય, કેટલાક વાદળી હોય, વગેરે ત્યારે કાર્યકારણભાવની ઉપયુક્ત પ્રક્રિયાને લઈ મુશ્કેલી ઊભી થાય છે. લાલ તતુઓ, વાદળી વસ્તુઓ, વગેરેથી બનેલા પટમાં પણ તે બધાં રૂપે માનવાં જોઈએ. અહીં એ યાદ રાખીએ કે ગુણે બે જાતના હોય છે—સંગ જેવા અવ્યાપ્યવૃત્તિ અને રૂપ જેવા વ્યાપ્યવૃત્તિ. લાલ, પીળા, વાદળી વગેરે રૂપને પટનાં રૂપ ન ગણી શકાય કારણ કે તેમાં દરેક પટને વ્યાપીને રહેતો નથી. તે રૂપ તત્ત્વરૂપ અવયવોના છે કારણ તેઓ તખ્તઓને વ્યાપીને રહે છે. પરંતુ પટને પણ તતુઓના રૂપથી ભિન્ન રૂપ હોવું જ જોઈએ. તે એ રૂપ કયું? આ આપત્તિમાંથી માર્ગ કાઢવા વેશે. શિક હિંમતપૂર્વક જણાવે છે કે પટને એક ચિત્રરૂપ હોય છે. તે એક ચિત્રરૂપના અસમાયિકારો તખ્તઓનાં વિવિધ રૂપો છે. વિરોધી કહે છે કે આ ચિત્રરૂપથી અધિક વિચિત્ર બીજું શું હોઈ શકે ૫૫ - વિરોધી વૈશેષિકને પૂછે છે કે અનેક રૂપ એક ચિત્રરૂપને કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? વૈશેષિક ઉત્તર આપે છે કે વિચિત્રકારસામર્થ્યથી ઉત્પન્ન થતું ચિત્રપ બધાને પ્રત્યક્ષ થાય છે, એટલે એને સ્વીકારવું જોઈએ. આમ અનુભવના નામે મુશ્કેલીમાંથી છટકવાનો વૈશેષિક અહીં પ્રયત્ન કરે છે. •
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy