________________
વદર્શન
છે તે વૈશેષિક તરત જ કહેશે કે તે વિશેષતા એ જ અવયવી છે. પરંતુ જે તે કહે કે પરમાણુઓમાં કંઈ વિશેષતા આવતી નથી તે તેણે પરમાણુઓમાં પરસ્પર વિરુદ્ધ ધર્મો અતીન્દ્રિયપણુ અને ઇન્દ્રિયગ્રાહ્યપણું – માનવા પડશે. એક જ વસ્તુમાં વિરુદ્ધધર્માધ્યાસની આ આપત્તિ ટાળવા વિરોધી જે પરમાણુઓમાં વિશેષતા માની તે વિશેષતાને પરમાણુઓના સંગરૂપ ગણી કહે કે સંગની મદદથી એકબીજાની નજીક રહેલા યા જોડાયેલા પરમાણુઓ – જે પહેલાં અતીન્દ્રિય હતા તે – ઈન્દ્રિયગ્રાહ્ય બને છે તે તે પણ યોગ્ય નથી કારણ કે અતીન્દ્રિય. વસ્તુઓને સંગ પણ અતીન્દ્રિય જ હોય છે. પરમાણુઓ પોતે અતીન્દ્રિય છે એટલે એમનામાં આવેલ સંગરૂપ વિશે પણ અતીન્દ્રિય જ હેવાને. તેથી સગરૂપ વિશેષતાવાળા પરમાણુઓ પણ અતીન્દ્રિય જ રહેશે, ઈન્ટિગ્રાહ્ય નહિ બને.૪૯
વિરોધી વૈશેષિકને નીચે પ્રમાણે આપત્તિ આપે છેઃ દલીલ ખાતર માની લઈએ કે પરમાણુઓ પિતાથી ભિન્ન અવયવીને ઉત્પન્ન કરે છે. પરંતુ પરમાણુઓ, અવયવને ત્યારે જ ઉત્પન્ન કરી શકે જ્યારે તેમનામાં ભેગા મળવાથી કેઈ આગ : તુક ધર્મ પેદા થાય—આમ માનવું જ જોઈએ. આમ ન માનીએ તે તે એક એક પરમાણુરૂપ અવયવ પણ અવયવી પેદા કરી શકે છે એમ સ્વીકારવું પડે, પરંતુ આ તે વૈશેષિકને ઈષ્ટ નથી. એટલે પરમાણુઓ ભેગા મળે છે ત્યારે તેમનામાં આગન્તુક ધર્મ ઉત્પન્ન થાય છે એમ વૈશેષિકે એ સ્વીકારવું જ જોઈએ. આ પળે વિરોધી વૈશેષિકને જણાવે છે કે આ આગન્તુક ધર્મ જ ઘટબુદ્ધિ, વગેરે. ખુલાસો કરવા સમર્થ છે, તેથી અવયવીને માનવાની કોઈ જરૂર નથી.પ૦ .
વાચસ્પતિ વિરોધીને ઉત્તર આપે છે કે ઘટબુદ્ધિ, પટબુદ્ધિ વગેરે બુદ્ધિઓને. વિષયરૂપ કારણ (આલંબન પ્રત્યય) તેવું જ જોઈએ. તેમનું વિષયરૂપ કારણ પરસ્પર વ્યાવૃત્ત અને પરમ સૂક્ષ્મ પરમાણુઓ ન જ ઘટી શકે. એટલે એ બુદ્ધિઓના વિષયરૂપ કારણ તરીકે અવયવીને માનવો જોઈએ. અર્થાત, પરમાણુઓના ભેગા મળવાથી અવયવી ઉત્પન્ન થાય છે એ સ્વીકારવું જોઈએ. અવયવી વિના એક સ્થળે વિષયનું જ્ઞાન ઘટી શકે નહિ કારણ કે પરમાણુઓ તે સ્થૂળ નથી.'
વળી વિરોધી જણાવે છે કે બુદ્ધિમાં પ્રતીત થતી સ્થૂળતા (વટ, પેટ, વગેરે) બહાર છે જ નહિ. તે સ્થૂળતા તે માત્ર પ્રતિભાસનો જ ધર્મ છે. અર્થાત , સ્થૂળતા બાહ્યવિષયગત નથી પણ જ્ઞાનગત છે.પર
ઉદ્યોતકર અને વાચસ્પતિ વિરોધીને જણાવે છે કે તેની ઉપરની દલીલ સ્વીકારીએ તે સ્થૂલતાની બુદ્ધિ બ્રાન્ત છે એમ માનવું પડે, અને સ્થૂળતાના ભ્રાન્ત