SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્યું ન અવયવેાથી ભિન્ન છે. એટલે એના અથ એ થાય કે અવયવી અવયવેામાં રહેતા હાવા છતાં તે પાતે નિરવયવ છે. ४० વિરાધીની દલીલોનું ખંડન કરી વૈશેષિકા અવયવેાથી ભિન્ન અવયવીનુ અસ્તિત્વ નીચે પ્રમાણે સ્થાપે છે. (૧) વૃક્ષ જેવી સ્થૂળ વસ્તુનું પ્રત્યક્ષ એ અનુમાનના જ એક પ્રકાર છે કે નહિ એ પ્રશ્નની ચર્ચા વેળાએ ન્યાયસત્રમાં અવયવીની ચર્ચા કરવામાં આવી છે. જ્યારે જ્ઞાતા વૃક્ષને પ્રત્યક્ષથી જાણે છે ત્યારે તે તેના અમુક જ અવયવેને પ્રત્યક્ષથી ગ્રહણ કરે છે, બધા અવયવને પ્રત્યક્ષથી ગ્રહણ કરતા નથી. પછી ગૃહીત અવયવાના પ્રત્યક્ષજ્ઞાનના આધારે વૃક્ષને તે જાણે છે. આમ ગૃહીત અવયવા ઉપરથી વૃક્ષનું જ્ઞાન એ ગૃહીત ધૂમ ઉપરથી અગ્નિના જ્ઞાન જેવું જ છે. વૃક્ષના જ્ઞાનમાં આપણે પ્રત્યક્ષથી જાણેલા અવયવા ઉપરથી વૃક્ષનું અનુમાન કરીએ છીએ, તેથી વૃક્ષનુ કહેવાતું પ્રત્યક્ષ એ ખરેખર પ્રત્યક્ષ નથી પણ અનુમાન છે. આવે કેાઈકના મત છે.૪૬ નૈયાયિક કે વૈશેષિકને તે સ્વીકાર્યાં નથી. તે મતવાદીના મતનું ખંડન કરતાં ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન તેને પ્રશ્ન કરે છે કે અહીં શેનું અનુમાન થાય છે ? — અગૃહીત અવયવાનું કે બધા અવયવેાથી ભિન્ન અવયવીરૂપ વૃક્ષનું ? પહેલા વિકલ્પના સ્વીકાર કરવા શક્ય નથી કારણ કે અગૃહીત અવયવા એ કઈ વૃક્ષ નથી. ખીજો વિકલ્પ પણ સ્વીકારવા શક્ય નથી કારણ કે કાઈ પણ વખત જેનું પેાતાના લિંગ (હેતુ) સાથે પ્રત્યક્ષ ન થયુ હાય તેનું અનુમાન અસ ંભવિત છે. આ બંને વિકલ્પેાને જરાક વિસ્તારથી સમજીએ. પહેલા વિકલ્પ તેમને અનુલક્ષીને છે જેએ અવયવેાને જ સ્વીકારે છે અને અવયવીને સ્વીકારતા જ નથી. જો અવયવેાથી ભિન્ન અવયવીરૂપ વૃક્ષને સ્વીકાર કરવામાં ન આવે અને વૃક્ષને માત્ર અવયવેાના સમુદાયરૂપ જ ગણવામાં આવે તે વૃક્ષનું જ્ઞાન સંભવે જ નહિ, કારણ કે વૃક્ષ તે ન તા પ્રત્યક્ષથી જાણેલા આગલા અવયવા છે કે ન તો અપ્રત્યક્ષ રહેલા અને અનુમાનથી જાણેલા બાકીના અવયવે છે. એટલે, અવયવીરૂપ વૃક્ષને સ્વીકાર કરવેા જ જોઈ એ. બીજો વિકલ્પ તેમને અનુલક્ષીને છે જે અવયવેાથી ભિન્ન અવયવીને સ્વીકાર કરવા છતાં તેને પ્રત્યક્ષગ્રાહ્ય સ્વીકારવા તૈયાર નથી. વાત્સ્યાયન જણાવે છે કે અવયવીને પ્રત્યક્ષગ્રાહ્ય માન્યા વિના છૂટકો જ નથી. અવયવી કેવળ અનુમાનગ્રાહ્ય છે એમ માનવું શક્ય નથી કારણ કે જે ચારેય ક્યાંય પ્રત્યક્ષ દ્વારા ગૃહીત થયું જ નથી તેનું અનુમાન કરવું અશકય છે. અનુમાનમાં એ આવશ્યક છે કે
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy