SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિક દર્શન આધાર સંયોગ દ્વારા છે સમવાય દ્વારા નહિ. બોર કુંડામાં સગાસંબંધથી રહે છે. બેરના અવયવોનો અને આ અવયવોના અવયવોને પણ કુંડા સાથે સંગસંબંધ જ છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે એક કરતાં વધુ દ્રવ્યો જ્યારે એક આશ્રમમાં રહેતાં હોય ત્યારે તે બધાં તેમાં સંગસંબંધથી જ રહેતાં હોય છે. કોઈપણ બે દ્રવ્ય એક આશ્રયમાં સમવાયસંબંધથી રહેતાં જ નથી. ફળ તેના અવયવોમાં સમવાય સંબંધથી રહે છે અને તે અવયવો પિતાના અવયવોમાં સમવાયસંબંધથી રહે છે. આમ એકથી વધુ દ્રવ્યનું એક જ આશ્રયમાં સમવાયસંબંધથી રહેવું શક્ય જ નથી, તે માત્ર સંગસંબંધથી જ શક્ય છે.૪૪ હવે પરમાણુ વિશે આ બાબતે વિચારીએ. વૈશેષિક મત અનુસાર એકથી વધુ દ્રવ્યો સમવાયસંબંધથી એક આશ્રયમાં રહી શક્તા જ નથી. તેથી વચલા પરમાણુને આ દષ્ટિએ છ પરમાણુઓનો આશ્રય ગણી શકાય નહિ. અનેક વસ્તુઓ સમવાય સંબંધથી એક જ આશ્રમમાં રહેતાં પરિમાણમાં વધારો થતો નથી. અહીં અનેક પરમાણુઓ સમવાય સંબંધથી વચલા પરમાણુમાં રહેતા નથી તેથી પરિમાણના વધારાને કેઈ બાધા આવતી નથી. રૂપ, વગેરે ગુણ સમવાયસંબંધથી એક પરમાણુમાં રહે છે પણ તેથી તેના પરિમાણમાં વધારો થતો નથી. એથી ઊલટું છ અણુઓ તેની અંદર સંગસંબંધથી રહે છે અને તેથી સાત અણુઓના પિંડમાં પરિમાણને વધારો થાય છે. સમવાયસંબંધથી અનેક વસ્તુઓનું એક આશ્રયમાં રહેવું તે. પરિમાણવૃદ્ધિ યા સ્થૂળતાનું વિરોધી છે૪૫ જ્યારે સંયોગસંબંધથી અનેક વસ્તુઓનું એક આશ્રયમાં રહેવું તે પરિમાણવૃદ્ધિ યા સ્થળતાનું વિરોધી નથી. પરિણામે, સાત પરમાણુના બનેલા પિંડમાં પરિમાણદ્ધિ નહિ થાય અને પિંડ માત્ર અણુપરિમાણ જ રહેશે એવો વિરોધીને આક્ષેપ ટકતો નથી. આમ વિરોધીઓની બધી જ દલીલેને યોગ્ય જવાબ આપી વૈશેષિકેએ પરમાણુરૂપ કારણુદ્રવ્યનું અસ્તિત્વ સાબિત કર્યું છે. (૩) અવયવી યા કાર્યક્રવ્ય અવયવો ડાતાં તે અવયવમાંથી જે ઉત્પન્ન થાય છે તેને વૈશેષિકે અવયવી કહે છે. તેમને મતે અવયવો કારણ છે અને અવયવી કાર્ય છે. એટલે અવયવીને માટે તેઓ કાર્યદ્રવ્ય એવી સંજ્ઞા વાપરે છે. વૈશેષિકે અનુસાર જેમ ગોવા અનેક ગાય વ્યક્તિઓમાં સમવાયસંબંધથી રહેતું સામાન્ય છે તેમ અવયવી અનેક અવયવરૂપ દ્રવ્યમાં સમવાય સંબંધથી રહેતું એક દ્રવ્ય છે. અવયવી -
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy