________________
. વદર્શન
છે, એટલે તેને કેઈ આશ્રય જ હોઈ શકે નહિ. આમ પરમાણુ ક્યાંય સમવાયસંબંધથી રહેતો નથી. રૂપ, વગેરે ગુણો એક દ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે. સંગે પણ ગુણ હેઈ, આપણે જોયું તેમ, વચલા અણુમાં સમવાયસંબંધથી રહે છે. પરંતુ છ પરમાણુઓને તેમના નિરવયવ સ્વભાવને કારણે કેઈ આશ્રય જ નથી એટલે તેમની બાબતમાં તેમનો એક આશ્રય હોવાનો પ્રશ્ન જ સંભવ નથી. કઈ પણ બે દ્રવ્યો એક જ આશ્રયમાં સમવાય સંબંધથી રહેતા નથી. દાખલા તરીકે, એક જ પટ પોતાના આશ્રયભૂત તંતુઓમાં સમવાય સંબંધથી રહે છે; બીજા કેઈ દ્રવ્યનું (કહો કે બીજા પટનું) તે જ તંતુઓમાં સમવાયસંબંધથી રહેવું અશક્ય છે. અલબત્ત, રૂપ વગેરે ગુણો હોવાને કારણે એક જ આશ્રયરૂપ દ્રવ્યમાં સમવયસંબંધથી રહે છે. સંગે પોતે પણ ગુણો હેઈ અનેક સંયોગો એક આશ્રયરૂપ દ્રવ્યમાં સમવાયસંબંધથી રહી શકે છે અને એટલે છ પરમાણુઓના વચલા પરમાણુ સાથેના સંગો વચલા પરમાણુમાં સમવાય સંબંધથી રહી શકે છે.. પરંતુ બે દ્રવ્ય એક જ આશ્રયમાં સમવાય સંબંધથી કદી રહી શક્તા નથી. તેથી છ અણુઓનું વચલા પરમાણુમાં સમવાય સંબંધથી રહેવું શક્ય જ નથી.૪૨
' અહીં વિરોધી જણાવે છે કે કાર્ય અને તેનું કારણ કેટલીક વાર એક જ સમયે એક જ આશ્રયમાં રહે છે. જ્યારે ઘટ પટથી સંયુક્ત બને છે ત્યારે તે પટના કારણભૂત તંતુઓથી પણ સંયુક્ત બની જાય છે તેમ જ તે તંતુઓના કારણભૂત અંશુએથી પણ સંયુક્ત બની જાય છે. પરિણામે, કાર્ય (પટ), તેનું કારણ (તંતુ) અને તેનું કારણ (અંશુ)–આ બધાં એક જ આશ્રય ઘટમાં રહે છે. આના ઉત્તરમાં ઉદ્યોતકર જણાવે છે કે પટ, તંતુ, વગેરેના ઘટ સાથેના સંગે એક આશ્રયમાં-ઘટમાં રહે છે પરંતુ એ દ્રવ્ય-કાર્ય અને કારણ (પટ અને તંતુ) એક આશ્રમમાં રહેતા નથી. પટ તંતુઓમાં રહે છે જ્યારે તંતુઓ અંશુઓમાં રહે છે.૪૩ વાચસ્પતિ બીજું કુંડામાં બોરનું દૃષ્ટાંત આપી આ મુદ્દો વિસ્તારથી સમજાવે છે. આ દૃષ્ટાંતમાં કુંડું આધાર છે અને બેર આધેય છે. આમ કુંડા અને બેર વચ્ચે આધારાધેયસંબંધ છે. આ દૃષ્ટાંતમાં કુંડું જેમ બરને આધાર છે તેમ તે બોરના અવયવોનો અને તે અવયના અવયવનાય આધાર છે. આમ અહીં અનેક દ્રવ્યોનો એક આધાર જણાય છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આધારાયેયપણાનું નિમિત્ત સમવાય જ નહિ સંયોગ પણ સંભવે છે. એક વસ્તુ પિતાની અંદર બીજી વસ્તુને સમવાય દ્વારા કે સંગ દ્વારા ધારણ કરે છે. કુંડામાં બારના દૃષ્ટાંતમાં કુંડું એ.બોર, બોરના અવયવો અને એ અવયવોના અવયવોને આધાર છે એ વાત ખરી પણ એ તે બધાને