________________
ન્યાયદર્શીન
૫૧૩
નિયતસ ંબંધ છે એવા જ્ઞાનપૂર્વક આપણે ગાડીની મુસાફરી કરીએ છીએ ? કે ગાડીની મુસાફરીમાંય અકસ્માત્ની સંભિવતતા હોવા છતાં તે ખૂબ તુચ્છ છે એવા જ્ઞાનપૂર્ણાંક ગાડીની મુસાફરી આપણે કરીએ છીએ ? વ્યવહાર માટે સા॰ભૌમિકતા અને નિયતતાના જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી, કેવળ તુચ્છ સંભવિતતાનું જ્ઞાન વ્યવહાર માટે પૂરતું છે. આમ તકે દર્શાવેલા વ્યવહારવ્યાધાતની વાત બરાબર નથી. તેથી, તક સંબંધની નિયતતા અને સાવભૌમિકતા વિશેની શંકાને દૂર કરવા શક્તિમાન નથી. આ શંકાનું નિવારણ કરનાર કંઇક બીજું શોધી કાઢવુ" જોઈ એ યા નિયતતા અને સાવ ભૌમિકતાની વાત જ છેાડી દેવી જોઇએ (અર્થાત્ નિયતતાના અથ તુચ્છ સંભવિતતા કરી નિયતતાને તિલાંજલિ આપવી જોઈ એ). નૈયાયિક પ્રથમ વિકલ્પ સ્વીકારે છે અને સામાન્યપ્રત્યક્ષ કે સામાન્યલક્ષણ અલૌકિક પ્રત્યક્ષની કલ્પના કરે છે.
નૈયાયિકાને પ્રશ્ન પૂછવામાં આવે છે કે કેવળ અમુક સ્થાનેામાં ધૂમને અગ્નિ સાથે દેખ્યા અને અમુક સ્થાનમાં અગ્નિના અભાવમાં તે ન દેખાયા એના ઉપરથી સર્વ દેશ અને સ કાળમાં ધૂમ અગ્નિ વિના રહેતા જ નથી એવા નિર્ણય કેવી રીતે થઈ શકે ? સ` દેશ અને સવ` કાળના ધૂમા અને અગ્નિએ તે તમે દેખ્યા નથી, તે। પછી બધા ધૂમા અગ્નિની સાથે જ છે—બધા ધૂમાને અગ્નિ સાથેના સહચાર નિયત છે એમ નૈયાયિક શાને આધારે કહી શકે ? થેાડા (=અત્યાર સુધી દેખેલા) ધૂમેાનું અગ્નિએ સાથે સાહચય દેખાયું તે ઉપરથી સ` દેશ અને સવ કાળના ધૂમેનું અગ્નિ સાથે સાહચય હાવાનુ જ એવા મેાટા કૂદકા મારવાનું સામર્થ્ય કયાંથી આવ્યું ? વળી, અત્યાર સુધી વ્યભિચાર નથી જણાયા એટલે કોઈ દેશ અને કેઈ કાળમાં એ સંબંધમાં વ્યભિચાર હશે જ નહિ એમ માની લેવું ઉચિત નથી. સવ દેશ અને સવ' કાળના બધા ધૃમાને અને અગ્નિને પ્રત્યક્ષ જાણી ધૂમેાને અગ્નિએ સાથે સાહચય સંબંધ વ્યભિચારરહિત પ્રત્યક્ષ જાણી લીધેા હેાય તે! જ આપણને કહેવાના અધિકાર છે કે ધૂમના અગ્નિ સાથે જે સાહચય સંબંધ છે તે નિયત છે, અન્યથા નહિ.
આ શંકાનું સમાધાન કરતાં જયંત ભટ્ટ કહે છે કે નૈયાયિકાને મતે સામાન્યા વસ્તુસત્ છે, સામાન્યાનુ પ્રત્યક્ષજ્ઞાન પણ વ્યક્તિના
૧. ૩૩