SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ પદર્શન પ્રત્યક્ષજ્ઞાન સાથે થાય છે. સામાન્ય એક અને નિત્ય છે. તેથી બે સામાન્યનું સાથે સાથે પ્રત્યક્ષ થતાં તેમની વચ્ચેના નિયત સાહચર્ય. સંબંધનું પણ પ્રત્યક્ષ થઈ જાય છે. વ્યાપ્તિસંબંધ સામાન્ય વચ્ચે છે, વ્યક્તિઓ વચ્ચે નથી. એટલે, વ્યાપ્તિના જ્ઞાન માટે સર્વ દેશ અને સર્વ કાળની સકળ ઘૂમવ્યક્તિઓ અને સકળ અગ્નિવ્યકિતઓના પ્રત્યક્ષની સામાન્યને વસ્તુત માનનાર નૈયાયિકને કોઈ જરૂર નથી.૩૨ નવ્ય નૌયાયિકેને આનાથી સંતોષ થયે લાગતું નથી. તેમણે માની લીધું છે કે વ્યાપ્તિજ્ઞાન માટે સૈકાલિક અને સાર્વદૈશિક બધી જ વ્યક્તિએનું પ્રત્યક્ષ જ્ઞાન આવશ્યક છે. આવા પ્રત્યક્ષ જ્ઞાનને માટે તેમણે સામાન્ય લક્ષણ અલૌકિક સન્નિકર્ષ માન્યો છે. આ સન્નિકર્ષથી અલૌકિક સામાન્ય લક્ષણ પ્રત્યક્ષ જન્મે છે. આની ચર્ચા પ્રત્યક્ષવિષ્યક અધ્યયનમાં કરી છે. તેથી અહીં ફરીથી તેનું વિશ્લેષણ કરતા નથી. જે સામાન્ય લક્ષણ પ્રત્યક્ષ દ્વારા બધી જ અગ્નિવ્યકિતઓનું અને ધૂમવ્યકિતઓનું પ્રત્યક્ષજ્ઞાન થતું હોય તે પર્વત ઉપરના ધૂમસબુદ્ધ અગ્નિનું પણ વ્યાપ્તિગ્રહણકાળે પ્રત્યક્ષ થઈ જ ગયું છે તે પર્વત પર અગ્નિને હવે હેતુ દ્વારા જાણવાનું કેઈ પ્રયોજન રહેતું નથી. અર્થાત , વ્યાપ્તિવાક્યમાં ન હોય એવું નવું જ કંઈ નિગમનવાક્યમાં હેતું નથી. આના ઉત્તરમાં નવ્યનાયિકે કહેશે કે વ્યાપ્તિવાક્યમાં બધા જ અગ્નિએનું જ્ઞાન સામાન્યરૂપે જ હોય છે જ્યારે નિગમનવાક્યમાં આપણને પર્વતવિશિષ્ટ (=ધર્મિવિશિષ્ટ) અગ્નિનું (=ધર્મનું) જ્ઞાન મળે છે. આમ નિગમનમાં કંઈક વિશેષ જ્ઞાન થાય છે. ૩૪ લિંગપરામર્શ આપણે જોઈ ગયા કે પક્ષધર્મતાજ્ઞાન અને વ્યાપ્તિજ્ઞાન અનુમાનના બે મહત્વનાં અંગ છે. પરંતુ અનુમિતિને ઉત્પન્ન થવા માટે લિંગપરામર્શ પણ જરૂરી છે. સૌ પ્રથમ આપણે પર્વત (=પક્ષ) ઉપર ધૂમ દેખીએ છીએ. આ છે પક્ષધર્મતાતાન. પછી આપણને વ્યાપ્તિનું સ્મરણ થાય છે જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. જ્યાં સુધી વ્યાતિજ્ઞાન નથી હોતું ત્યાં સુધી ધૂમ ધૂમમાત્ર હોય છે, તે અન્ય વસ્તુ(=અગ્નિ)ને સૂચક (લિંગ) નથી
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy