________________
પાર
વિશન
હેવું સંભવિત બનશે અને પરિણામે મનો વ સાથેને સાહચર્યા સંબંધ નિયત અને સાર્વભૌમ નહિ બને. અને ૨ સાથેનો સાહચર્યા સંબંધ કોઈ ઉપાધિ ઉપર આધાર રાખે છે કે નહિ તેનો નિર્ણય કરવા વિભિન્ન પરિસ્થિતિઓમાં તે બે વસ્તુઓના અન્વય અને વ્યતિરેકનું પુનઃ પુનઃ નિરીક્ષણ (=ભૂદર્શન) કરવું જોઈએ. આ ભૂદર્શનથી જે આપણને ખાતરી થાય કે ૨ (=અગ્નિ)ની ઉપસ્થિતિ યા અનુપસ્થિતિ થતાં વા (ધૂમ)થી અતિરિત અન્ય કઈ વસ્તુ ઉપસ્થિત યા અનુપસ્થિત નથી થતી તે આપણે સમજી જઈએ કે મનો (ધૂમનો હેતુનો) ૨ (=અગ્નિ= સાધ્ય) સાથે જે સાહચર્યસંબંધ છે તે નિરુપાધિક છે. આમ ભૂદર્શન દ્વારા આપણને હેતુના સાધ્ય સાથેના અનૌપાધિક સંબંધનું (=વ્યાપ્તિનું) જ્ઞાન થાય છે. કેવશમિશ્ર આ જ્ઞાનને પ્રત્યક્ષાત્મક જ ગણે છે. તે કહે છે કે ઉપાધ્યભાવજ્ઞાનજનિત સંસ્કારોની તેમ જ ભૂદર્શનજનિત સંસ્કારોની સહાયથી પ્રત્યક્ષ જ ધૂમના અગ્નિ સાથેના નિયત સાહચર્યને ગ્રહણ કરે છે. વ્યાપ્તિનું જ્ઞાન માનસ જ્ઞાન દ્વારા કે અનુમાન દ્વારા
થતું નથી પરંતુ પ્રત્યક્ષથી જ થાય છે એ કેશવમિશ્રને મત છે.૨૯ (૫) તર્ક દ્વારા વ્યાઘાતનિદર્શન – આટલું બધું કરવા છતાં હજુ પણ જો
કેઈને મના( ધૂમના) a(=અગ્નિ) સાથેના નિયત સહચર્યનું જ્ઞાન ન થતું હોય અને શંકા રહેતી હોય તે તક તેને નિયત સાહચર્યનું જ્ઞાન કરવામાં સહાય કરે છે. જે ધૂમને અગ્નિ સાથે નિયત સંબંધ ન હોય તે બીડીને ધૂમાડે પીવા કેઈ અગ્નિ શા માટે સળગાવે? રાંધણને અગ્નિ સાથે નિયત સંબંધ ન હોય તે કઈ રાંધવા અગ્નિ શા માટે પેટાવે? જે ભૂખશમનને ભોજન ગ્રહણ સાથે નિયત સંબંધ ન હોય તે ભૂખ શમાવવા આપણે ભોજન લઈએ જ નહિ. આમ આ સંબંધોની નિયતતા અને સાર્વભૌમિક્તા વિશેની શંકા આપણું વ્યવહારને વ્યાઘાત કરનારી છે એવું તર્કથી જણાતાં શંકા નિવૃત્ત થાય છે અને વ્યાપ્તિનું જ્ઞાન શંકાગ્રસ્ત રહેતું નથી. એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે નૈયાયિકોને મતે તક પિતે વ્યાપ્તિસ્રાહક પ્રમાણ નથી, તે તે કેવળ સહાયક છે.
નૌયાયિકે અહીં માની લીધું છે કે આપણો વ્યવહાર સાર્વભૌમ અને નિયત સંબંધેના જ્ઞાન ઉપર અવલંબે છે. પરંતુ તેમની આ માન્યતા ઠીક નથી. અકરમા અભાવ સાથે ગાડીની મુસાફરીને સાર્વભૌમ અને