________________
૫૦૮
પદન ધૂમની સાથે અગ્નિ બધી જગ્યાએ હોય છે, પરંતુ અગ્નિની સાથે ઘર બધી જગ્યાએ હેત નથી. આનું કારણ એ છે કે અગ્નિનું ધૂમ સાથે લેવું બીજી કોઈ વસ્તુ ઉપર આધાર રાખે છે. તે બીજી વસ્તુ છે આર્કે ધનસંયોગ. આને ઉપાધિ કહેવામાં આવે છે. અગ્નિને ધૂમ સાથે જે સંબંધ છે તે આ ઉપાધિની અપેક્ષા રાખે છે, અર્થાત્ આ સંબંધ સાપેક્ષ છે, પાધિક છે. તેથી જ ઉપાધિના (=આધનના) અભાવમાં અગ્નિના ધૂમ સાથેના સંબંધને પણ અભાવ દેખાય છે. આ ઉપાધિને અગ્નિની સાથે કેઈ આવશ્યક સંબંધ નથી, અર્થાત અગ્નિની સાથે આધનસંગનું રહેવું જરૂરી નથી. તેથી જ્યારે અગ્નિ સાથે આàધનસંગ હોય છે ત્યારે ધૂમ હોય છે અને જ્યારે અગ્નિ સાથે આધનસગ નથી હોતે ત્યારે ધૂમ નથી હોત.
. માને કે આપણે ધગધગતા લેઢામાં ધૂમને અગ્નિ દ્વારા સિદ્ધ કરવા માગીએ છીએ. અહીં અગ્નિ (=હેતુ) દ્વારા આપણે ધૂમ (=સાધ્ય) પુરવાર કરવા ઈચ્છીએ છીએ. પરંતુ અહીં હેતુ=અગ્નિ)માં સાધ્ય =ધૂમ) વ્યાપક નથી, કારણ કે હેતુનો (=અગ્નિનો) સાપ્ય (=ધૂમ) સાથે સંબંધ ઉપાધિગ્રસ્ત છે. આ ઉપાધિ (=અકેમ્પનસંગ) ઘૂમ (સાધ્ય) સાથે સદા હોય છે પરંતુ અગ્નિ (સાધન) સાથે સદા હેતી નથી. તેથી ઉપાધિનું લક્ષણ આ પ્રમાણે બાંધવામાં આવ્યું છે – સાધ્યયાત્વેિ સતિ સાધનાધ્યાપકત્વમ્ ૩: ' અર્થાત્ સાધ્યમાં વ્યાપક હોવા છતાં જે સાધનમાં વ્યાપક નથી તે ઉપાધિ છે.
જે અગ્નિને ધૂમ સાથે નિરુપાધિક અર્થાત નિરપેક્ષ સંબંધ છે તે ધૂમ સર્વત્ર અગ્નિ સાથે હેત જ, પરંતુ ઉપાધિગ્રસ્ત – ઉપાધિને અધીન – હોવાથી ધૂમ સર્વત્ર અગ્નિની સાથે હોતો નથી.'
પરંતુ ધૂમને અગ્નિ સાથે જે સંબંધ છે તે ઉપાધિગ્રસ્ત નથી, ઉપાધિને અધીન નથી. અર્થાત ધૂમ અગ્નિ સાથે રહેવા માટે બીજા કેઈની અપેક્ષા રાખતો નથી. તેથી ધૂમનો અગ્નિ સાથે સંબંધ સ્વાધીન છે, સ્વાભાવિક છે, અનૌપાધિક છે. પરિણામે અગ્નિ ધૂમમાં વ્યાપક છે, અર્થાત જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આ અનૌપાધિક સંબંધને વ્યાપ્તિ કહેવાય છે.ર૧
(૪) વ્યાપ્તિનિયામક સંબંધે કેટલા? –એવા કેટલા સંબંધો છે કે જેમના સંબંધીઓ વચ્ચે વ્યાપ્તિસંબંધ હોય ? બૌદ્ધો કહે છે કે કાર્યકારણભાવ અને સ્વભાવસંબંધ આ બે જ સંબંધે એવા છે કે જેમને સંબંધીઓ વચ્ચે વ્યાપ્તિસંબંધ હોય છે. તેમને મતે તદુત્પત્તિ અને તાદસ્ય આ બે સંબંધો જ વ્યાપ્તિના નિયામક છે. બીજા શબ્દોમાં, જેટલી વ્યાપ્તિઓ છે તે