SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન પટ બધી આ બે સંબંધોમાં જ પર્યાવસાન પામે છે. ધૂમ અને અગ્નિ વચ્ચે વ્યાપ્તિસંબંધ છે કારણ કે તે બે વચ્ચે કાર્યકારણભાવ છે. વૃક્ષત્ર અને આમ્રત વચ્ચે વ્યાપ્તિસંબંધ છે કારણ કે તે બે વચ્ચે સ્વભાવસંબંધ છે – તાદાભ્યસંબંધ છે.૨૨ નૌયાયિક જયંત ભટ્ટને મતે વ્યાપ્તિને તાદાત્મ અને તદુત્પત્તિમાં સીમિત કરવા કરતાં સ્કૂલ દષ્ટિએ એટલું જ કહેવું પર્યાપ્ત છે કે સાધ્ય સાધન વચ્ચે નિયત સાહચર્યરૂપ વ્યાપ્તિસંબંધ છે. જો વ્યાપિને તાદાસ્ય અને તંદુત્પત્તિમાં સીમિત કરવામાં આવે તો કાર્ય હેતુ અને સ્વભાવહેતુ એ બે જ પ્રકારના હેતુ સંભવે, પરંતુ વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે કાર્ય હેતુ અને સ્વભાવહેતુથી અતિરિકત પણ અનેક પ્રકારના હેતુઓ છે.૨૩ વાચસ્પતિ પણ વ્યાપ્તિનિયામક સંબંધોની નિયત સંખ્યા માનતા નથી.૨૪ (૫) વ્યાપ્તિના પ્રકાર – વ્યાપ્તિ બે પ્રકારની છે – અવયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ. અન્વયવ્યાપ્તિ એ છે જ્યાં સાધ્યની હેતુમાં વ્યાપ્તિ હોય છે. વ્યતિરેકવ્યામિ એ છે જ્યાં હેતુના અભાવની સાધ્યના અભાવમાં વ્યાપ્તિ હોય છે. દરેક અવયવ્યામિની વ્યતિરેકવ્યાપ્તિ પણ હોય છે કારણ કે હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવ હોય તે એમના અભાવો વચ્ચે પણ વિપરીત વ્યાય-વ્યાપકભાવ હોય છે. ઉદાહરણાર્થ, જે આપણે કહી શકીએ કે જયાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે તો આપણે એ પણ કહી શકીએ કે જ્યાં જ્યાં અગ્નિનો અભાવ છે ત્યાં ત્યાં ધૂમનો અભાવ છે. અન્વયવ્યાપ્તિમાં સાધ્ય વ્યાપક છે અને સાધન વ્યાપ્ય છે જ્યારે વ્યતિરેક વ્યાપ્તિમાં સાધનાભાવ વ્યાપક છે અને સાધ્યાભાવ વ્યાપ્ય છે. અર્થાત, વ્યતિરેકવ્યાપ્તિમાં આપણે સાધ્યાભાવ ઉપરથી સાધનાભાવનું અનુમાન કરીએ છીએ, અગ્નિના અભાવ ઉપરથી ધૂમના અભાવનું અનુમાન કરીએ છીએ. અન્વયવ્યાપ્તિનું ફલ (નિગમન) વિધ્યાત્મક હોય છે અને વ્યતિરેકવ્યાપ્તિનું ફલ ( નિગમન) નિષેધાત્મક હોય છે. વ્યતિરેક વ્યાપ્તિ વસ્તુતઃ કેઈ સ્વતન્ત્ર ચીજ નથી પણ અન્વયવ્યાપ્તિનું “ જ બીજું રૂપ છે. અવયવ્યાપ્તિ અને વ્યતિરેક વ્યક્તિ વચ્ચે ભેદ નીચે પ્રમાણે છે. અન્વયવ્યાપ્તિ—જે જે ઘૂમવાળો છે તે તે અગ્નિવાળે છે. વ્યતિરેક વ્યાપ્તિ – જે જે અગ્નિઅભાવવાળે છે તે તે ધૂમઅભાવવાળો છે. આમ વ્યતિરેકવ્યાપ્તિ અન્વયવ્યાપ્તિને જ બીજી ભાષામાં રજુ કરે છે. કેવલવ્યતિરેક અનુમાનોમાં વ્યતિરેકવ્યાપ્તિ જ કામ કરે છે. તેથી અન્વયવ્યાપ્તિથી વ્યતિરેકવ્યાપ્તિને પૃથફ માનવામાં આવી છે.૨૫.
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy