SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ અનંત છે, તેમ રાઈના અવયવ પણ રા ષદ્દાન રા રા રા રા રા રા > -> > > > ર ४ ૮ ૧૬ ૩૨ ૪ ૧૨૮ અનંત છે. તે પંત અને રાઈના પરિમાણમાં ભેદ કેવી રીતે ઘટી શકે ? ન જ ઘટી શકે.૩૧ આ રીતે જ અનવસ્થાને કારણે આપેક્ષિક લાધવ અને ગૌરવ પણ નહિ ઘટી શકે. આનો અર્થ એ કે અંતિમ એકમ (unit) વિના પરિમાણભેદ અને ગુરુત્વભેદ ન ધરી શકે. પરંતુ અનવસ્થામાં અંતિમ એકમ અસ ંભવિત છે. એટલે વિભાજનપ્રક્રિયામાં કાંકને કયાંક અવસ્થાન યા વિરામ માનવા જ જોઈ એ. વિભાજનની પ્રક્રિયાની એક ચરમ સીમા માનવી અનિવાય છે. ભૂત દ્રવ્યનુ વિભાજન કરતાં કરતાં આપણે વિભાજનપ્રક્રિયાની ચરમ સીમાએ પહેાંચીએ છીએ અને ત્યાં આપણને સૂક્ષ્માતિસૂક્ષ્મ મૃત અવિભાજ્ય દ્રવ્ય પ્રાપ્ત થાય છે. આ અવિભાજ્ય મૂત દ્રવ્ય તે પરમાણુ છે. રા > (૨) આકાશને વ્યાપક માનાર્ પરમાણુને નિરવયવ ન માની શકે એવી વિરોધીની બીજી દલીલના જવાબ વૈશેષિક નીચે પ્રમાણે આપે છે. બહારના ભાગ અને અંદરના ભાગ તે કાયદ્રવ્યની બાબતમાં જ સંભવે છે. કાયદ્રવ્યનાં કારણેા અર્થાત્ અવયવેામાંથી જે અવયવા ખીજા અવયવાથી ઢંકાયેલા હાય તેમને કાય દ્રવ્યના અંદરના ભાગ કહેવાય જ્યારે જે અવયવ તેમને ઢાંકનાર હાય અને ખીજા કાઈ અવયવાથી ઢંકાયેલા ન હોય તેમને કાયદ્રવ્યના બહારના ભાગ કહેવાય. પરંતુ પરમાણુ તે નિર્ભાગ યા નિરવયવ (માત્ર કારણુદ્રવ્ય) છે એટલે તેની બાબતમાં અંદરના ભાગ અને બહારના ભાગ સ ંભવતા જ નથી.૩૨ પરમાણુના નિરવયવ હોવા સાથે આકાશના વ્યાપક હેાવાના કાઈ વિરાધ નથી. આકાશ વ્યાપક છે જ કારણ કે તેના ગુણા શબ્દ અને સંચાગ સર્વાંત્ર ઉપલબ્ધ થાય છે.૩૩ વિરોધી પ્રશ્ન કરે છે કે જો આકાશ વ્યાપક હોય તે। જેમ પાણી પેાતાનામાં ગતિ કરતી અને પેાતાની સાથે ટક્કર લેતી નાવ સામે ટક્કર લઈ તૂટે છે (આકાર બદલે છે) તેમ આકાશ પાતાની અંદર ગતિ કરતા અને પેાતાની સાથે ટક્કર લેતાં દ્રવ્યા સામે કેમ (સ`ત્ર) ટક્કર લેતું નથી અને તૂટતુ નથી (આકાર બદલતું નથી) વૈશેષિક ઉત્તર આપે છે કે એનું કારણ તા એ છે કે આકાશ નિરવયવ દ્રવ્ય છે. વિરાધી જણાવે છે કે આકાશ નિરવયવ દ્રવ્ય હેાઈ તૂટતું નથી (આકાર બદલતું નથી) એમ માની લઈએ તેા પણ એ પ્રશ્ન તા રહે છે જ કે આકાશમાં ગતિ કરનાર અને તેને ટક્કર લગાવનાર દ્રવ્ય પાતે આકાશથી, પ્રતિષ્ઠાત કેમ પામતું નથી આકાશ તે દ્રવ્યની ગતિને કેમ રાકતું નથી ? વૈશેષિક જણાવે છે કે તેનું
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy