________________
વૈશેષિકદર્શન છે એમ કહેવાનો અર્થ એ થાય કે તે અકારણ છે ( = માત્ર કારણદ્રવ્ય છે) અને સકારણ છે (= કાર્યદ્રવ્ય છે). આ તે પરસ્પર વિરોધી વાત થઈ૨૯
બીજો વિકલ્પ સ્વીકારવામાં રહેલી મુશ્કેલીઓને તે આપણે નિર્દેશ કર્યો છે. વિભાજનની પ્રક્રિયા છેવટના અવયના પ્રલય યા વિનાશ સુધી ચાલે છે એમ કહેવાનો અર્થ એ થાય કે છેવટે વિભાગ જ રહે છે. બીજું કંઈ નહિ. પરંતુ વિભાગ પોતાના વિભજ્યમાન દ્રવ્યના આધાર વિના રહી શકે જ નહિ.૩૦
વિભાગની પ્રક્રિયાનો અંત જ નથી એવો ત્રીજો વિકલ્પ સ્વીકારીએ તે યુરિનું ગુરુત્વ, સંખ્યા તેમ જ પરિમાણ અમેય બની જાય. આ પણ ઈષ્ટ નથી.
આ ત્રીજા વિકલ્પની બાબતમાં વૈશેષિકેએ કહેલી વાતને વિસ્તારથી સમજવા જેવી છે. ઘડાને ફેડી આપણે ટુકડા કરીએ છીએ. આ ટુકડાઓ પણ સાવયવ અર્થાત કાર્યરૂપ છે. એટલે તેમનું વિભાજન પણ સંભવે છે. આ રીતે આપણે ટુકડાના ટુકડા અને પછી તેમનાય ટુકડા કરતા જ જઈએ છીએ. છેવટે આ ટુકડાઓ એટલા નાના બની જાય છે કે તેમનું વિભાજન કરવું કઠણ પડે છે. ધૂળના કણને લે. એ એટલું નાનું છે કે આપણે એને તેડી શકતા નથી. પરંતુ આપણને જે વિશિષ્ટ સાધન મળી જાય તો તેને પણ તોડી શકીએ. આપણે વાળને ચીરી શકતા નથી પણું જો અત્યંત પાતળી તીક્ષ્ણ ધારવાળું વિશિષ્ટ સાધન મળી જાય તો તેનેય ચીરી શકીએ. આમ કણવિભાજન યા વાળ છેદન દુર્ગમ હોવા છતાં બુદ્ધિગમ્ય તો છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ વિભાજનની પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે? એ ક્યાંય અટકશે કે નહિ? જે કલ્પનાની મદદથી આપણે કણનું વિભાજન કરતા જઈએ તે
* ૨ ૪ ૮ ૧૬ ૩૨ ૬૪ ૧૨૮ ૨૫૬ ૫૧૨ ૧૦૨૪" આ પ્રમાણે આપણે અનંતની તરફ આગળ વધતા જ જઈશું અને વિભાજનની પ્રક્રિયાનો ક્યાંય અંત નહિ આવે. આને અનવસ્થા કહેવાય, કારણ કે આમાં કયાંય વિરામની યા અટકવાની શક્યતા જ નથી. આવી અનવસ્થામાં પર્વત અને રાઈ બંનેનું પરિમાણ એકસરખું બની જશે. કેમ ? કારણ કે બંનેના વિભાજનને ક્યાંય અંત નથી. અને તેથી જેમ પર્વતના અવયવ
* ૨
> >>> > !> S> ૫
૪
૮
૧૬ ૩૨ ૬૪ ૧૨૮