________________
પદર્શન અધોભાગ) હોવા જોઈએ જ્યાં આગળ તેને પેલા છ અણુઓ સાથે સંયોગ થતો હોય. આમ માનીએ તો અણનું નિરવયવપણું રહેતું નથી. જે કહેવામાં આવે કે તે યે અણુઓ પેલા વચલા અણુ સાથે એક જ દેશમાં જોડાય છે તે તો એ છ અણુઓનો જે પિંડ બને તે માત્ર અણુપરિમાણુ જ રહે જોઈએ.૨૭ આ પરિસ્થિતિ વૈશેષિકેને ઈષ્ટ નથી.
- આ દલીલનું જેસાપૂર્વક ખંડન કરી વૈશેષિક પરમાણુને સાબિત કરે છે. (૧) દ્રવ્યહીનું કહેવું છે કે જે મૂર્ત હોય તેને અવયે હોવા જ જોઈએ; પરમાણુ મૂત છે માટે પરમાણુને અવયવો હોવા જ જોઈએ. ઉદ્યોતકર આનું નીચે પ્રમાણે ખંડન કરે છે : પરમાણુના અવયવ માની તે અવયવોને મૂર્ત અને નિરવયવ માનશે તે તો મૂર્ત હોય તે સાવયવ જ હોય એવો નિયમ જે તમે અમારા ઉપર ઠોકી બેસાડવા માગો છો તે નિયમ વિરુદ્ધ તમે પોતે જે જાવ છો એવું થશે. જે પરમાણુના અવયવોને પણ અવયવો છે એમ માનશો તે ગુટિ , (ત્રસરેણુ, ઇન્દ્રિયગ્રાહ્ય નાનામાં નાનો કણ)નું ગુરુત્વ, સંખ્યા અને પરિમાણ અમેય (infinite) બની જશે. જો આ આપત્તિને ટાળવા વિરોધી કહે કે મૂર્ત વસ્તુ અંત સુધી વિભાજન પામતી રહે છે તે અંત સ્વયં નિરવયવ છે એમ તેમણે કહેવું પડશે. જે વિરોધી કહે કે અંત સ્વયં વિભાગરૂપ જ છે તો તેમ તો કહી શકાય જ નહિ કારણ કે વિભાગ વિભાજયમાન પદાર્થ સિવાય શક્ય જ નથી. વૈશેષિને મતે વિભાગ ગુણ હોઈ તેના આધારરૂપ વિભજ્યમાન કેઈ દ્રવ્ય હોવું જ જોઈએ. આમ વિરોધી સમક્ષ ત્રણ વિક છે : (૧) મૂર્ત વસ્તુના વિભાગની પ્રક્રિયા નિરવયવ પરમાણુઓ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલે છે, (૨) વિભાગની પ્રક્રિયા છેવટના અવયવોના પ્રલય યા વિનાશ સુધી ચાલે છે, (૩) વિભાગની પ્રક્રિયાનો કેઈ અંત નથી–અનંત છે. ૨૮
જે પહેલો વિકલ્પ સ્વીકારવામાં આવે તે પરમાણુ મૂર્ત હાઈ સાવયવ છે એમ કહેવામાં વ્યાઘાતદોષ આવે. વિભાગની પ્રક્રિયા પરમાણુએ અટકે છે અર્થાત પરમાણુ નિરવયવ છે એમ સ્વીકારવું અને સાથે સાથે કહેવું કે તે સાવયવ છે એ પરસ્પર વિરોધી વાત છે. વળી, વિભાગની પ્રક્રિયા પરમાણુઓ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ ચાલે છે એમ કહેવાનો અર્થ એ થાય કે પરમાણુઓ અકારણ છે, તેમનું કઈ કારણ નથી, તેઓ માત્ર કારણદ્રવ્યો છે. હવે જે આવા પરમાણુઓની બાબતમાં કહેવામાં આવે કે તે સાવયવ છે તે તે સકારણ બની જાય, કાર્યદ્રવ્ય બની જાય. આમ વિભાગની પ્રક્રિયા જ્યાં અટકી જાય છે તે પરમાણુઓ સાવયવ