SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન ૪૯૧. વિશેષણરૂપ પ્રમેયત્વસામાન્યનું પ્રત્યક્ષ થતાં તે પ્રમેયત્વસામાન્યરૂપ અલૌકિક સન્ટિંક થી બધી જ પ્રમેયવિશિષ્ટ પ્રમેયવ્યક્તિનું અલૌકિક પ્રત્યક્ષ થવું જોઈએ અને એમ થાય તે તે મનુષ્ય સ`જ્ઞ બની જાય. આને ઉત્તર આપતાં નૈયાયિક કહે છે કે પ્રમેયત્વસામાન્યના પ્રત્યક્ષજ્ઞાન દ્વારા બધી પ્રમેયવ્યકિતઓનુ પ્રત્યક્ષ થાય છે. ખરું પરંતુ તે પ્રત્યક્ષમાં તે વ્યકિતના કેવળ પ્રમેયધમ જ જ્ઞાત થાય છે, તેમના બીજા વિશેષ–વિશેષ ધર્માં જ્ઞાત થતા નથી, તેથી મનુષ્યમાત્ર સન બની જવાની શકા અસ્થાને છે. (૨) જ્ઞાનલક્ષણ પ્રત્યક્ષ—આપણે જોયું કે સવિકલ્પક પ્રત્યક્ષમાં અના જે અશ પેાતાના વિષય છે તેને ગ્રહણ કરતાં ઇન્દ્રિય તે અથા જે અશ પોતાના વિષય નથી તેને પણ ગ્રહણ કરે છે; ઇન્દ્રિય અથની વર્તમાન અવસ્થા સાથે તેની અતીત અવસ્થાને પણ ગ્રહણ કરે છે. તેવી જ રીતે, ચક્ષુરિન્દ્રિય પેાતાના વિષય રૂપને ગ્રહણ કરતાં પોતાના જે વિષય નથી તે રસ વગેરેને પણ ગ્રહણ કરે છે. આમ સવિકલ્પક પ્રત્યક્ષ જ્ઞાનમાં બહુધા ઇન્દ્રિય પોતાને જે વિષય નથી તેને પણ ગ્રહણ કરે છે. ઉદાહરણ્ણા, આપણે કમળપત્ર દેખીએ છીએ. દેખીએ તેા છીએ તેનું રૂપ, પરંતુ રૂપની સાથે સાથે એની કામળતાને પણ આપણને અનુભવ થાય છે. અહીં કેામળતા ચક્ષુના વિષય તે છે નહિ, સ્પર્શેન્દ્રિયના વિષય છે. તેમ છતાં આપણે સ્પર્શ કર્યા વિના કેવળ જોઈ ને જ જાણીએ છીએ કે કમળપત્ર ખૂબ કામળ છે. આપણે કહીએ પણ છીએ કે “કમળપત્ર ખૂબ કામળ દેખાય છે.” અહીં કમળપત્રના સ્પર્શીનેન્દ્રિય સાથે સ ંયોગ નથી. તે। પછી તેની કામળતાનું જ્ઞાન કેવી રીતે થયુ... ? ચક્ષુરિન્દ્રિય સ્પર્ધાનું જ્ઞાન કરી શકતી નથી. સાધારણ સમ્નિકથી આવું જ્ઞાન થતું નથી. તેથી જ્ઞાનલક્ષણપ્રયાસત્તિરૂપ અલૌકિક સન્નિક માનવામાં આવ્યા છે.૮૧ લાડુને દેખતાં મેાંમાં પાણી આવે છે. અહીં જ્ઞાનલક્ષણપ્રયાસત્તિથી ચક્ષુરિન્દ્રિય લાડુંના રસને (સ્વાદને) ગ્રહણ કરે છે. સત્ દોરડામાં (અન્ય સ્થળે કે અન્ય કાળે રહેલા) સન્ સનું પ્રત્યક્ષ (બ્રાન્તિરૂપ) પણ આ જ્ઞાનલક્ષણુસન્તિકથી જ થાય છે. જ્ઞાનમાત્ર ક્ષણિક હાઈ અનુવ્યવસાય (=માનસ પ્રત્યક્ષ) પૂર્વક્ષણના જ્ઞાનને પણ જ્ઞાનલક્ષણ સન્નિષથી જ પ્રત્યક્ષ કરી શકે.૮૨ પૂર્વેક્ષણના જ્ઞાનને અનુવ્યવસાય સંયુક્તસમવાયરૂપ સન્નિકથી ગ્રહણ કરે છે એમ માનવું ઉચિત નથી, અર્થાત્ આત્મા મનથી સ ંયુક્ત છે અને એમાં જ્ઞાનના સમવાય છે એટલે મન તે જ્ઞાનને સ ંયુકતસમવાયથી પ્રત્યક્ષ કરે છે એમ માનવું ઉચિત નથી. એનું કારણ એ છે કે જ્ઞાન આત્મામાં સમવાયસંબંધથી રહેતું હેાવા છતાં
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy