SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન ४८७ પૃજન્ય છે. પ્રત્યભિજ્ઞાને સવિકલ્પક પ્રત્યક્ષનો જ એક પ્રકાર ગણવામાં આવે છે. જેને મેં પહેલાં અનુભવ્યો હતો તે જ આ વિષય છે આવા આકારની પ્રત્યભિના હોય છે. જો કે બધાં સવિકલ્પક પ્રત્યક્ષેને આ આકારે અભિવ્યકત નથી કરવામાં આવતાં તેમ છતાં વાચસ્પતિને મતે દરેક સવિકલ્પક પ્રત્યક્ષ પોતાના વિયની અતીત અવસ્થાનું ગ્રહણ કરે છે જ. અતીત અવસ્થાનું ગ્રહણ જ વિષયના નામના સ્મરણનું કારણ છે. સામાન્ય સવિકલ્પક પ્રત્યક્ષ અને પ્રત્યાભિજ્ઞારૂપ સવિકલ્પક પ્રત્યક્ષ વચ્ચે તફાવત એટલે જ છે કે સામાન્ય સવિકલ્પક પ્રત્યક્ષમાં પૂર્વાનુભૂત અતીત અવસ્થાનું ગ્રહણ થવા છતાં તે ગ્રહણ અપ્રગટ હોય છે, શરદબદ્ધ હોતું નથી જ્યારે પ્રત્યભિજ્ઞારૂપ સવિકલ્પક પ્રત્યક્ષમાં પૂર્વાનુભૂત અતીત અવસ્થાનું ગ્રહણ સ્પષ્ટપણે શબ્દમાં અભિવ્યક્ત થાય છે. અલબત્ત, દરેક સવિકલ્પક પ્રત્યક્ષમાં પૂર્વાનુભૂત અતીત અવસ્થાનું ગ્રહણ હાય છે જ. આ દષ્ટિએ દરેક સવિકલ્પક પ્રત્યક્ષ પ્રત્યભિશારૂપ જ છે. જે વિષયની અતીત અવસ્થાને સવિકલ્પક પ્રત્યક્ષ ગ્રહણ કરતું હોય તો સવિકલ્પક પ્રત્યક્ષમાં માનસ ભાગ છે એમ ચોક્કસપણે કહી શકાય. અતીત અવસ્થા સ્મરણને જ વિષય છે, ઇન્દ્રિયનો તે હગીજ નહિ. સવિકલ્પક પ્રત્યક્ષ બાબતે તૈયાયિક અને બૌદ્ધોના સંઘર્ષને પાયાને મુદ્દો આ જ છે. બૌદ્ધ આપને જવાબ વાચસ્પતિ જેવાય. બરાબર આપી શક્યા નથી. બૌદ્ધોના દબાણને કારણે તેમણે પ્રત્યક્ષની વ્યાખ્યાને જ મચડી નાખી અને તેમણે કહેવું પડયું કે જે ઇન્દ્રિયજ જ્ઞાનનો વિષય છે તે પ્રત્યક્ષ છે અને નહિ કે જે ઇન્દ્રિયસન્નિકૃષ્ટ છે તે. આને અર્થ એ કે પ્રત્યક્ષનો એવો વિષય હોઈ શકે છે ઈન્દ્રિયસન્નિકૃષ્ટ ન હોય અને છતાં ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષથી ગૃહીત થતું હોય. આ માન્યતામાં જ ઉત્તરકાલીન જ્ઞાનલક્ષણ-અલૌકિકસનિકર્ષ-સિદ્ધાન્તનાં મૂળ રહેલાં છે. વાચસ્પતિના કહેવા પ્રમાણે જ્યારે ઈન્દ્રિયાર્થસનિકર્ષથી સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે ત્યારે તે સવિકલ્પક પ્રત્યક્ષ જે ઈન્દ્રિયસનિકૃષ્ટ નથી તે અતીત અવસ્થાને પણ ગ્રહણ કરી લે છે. આમ કેવી રીતે બને છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે સ્મૃતિ કે સંસ્કારની સહાયથી ઈન્દ્રિય તેને ગ્રહણ કરે છે. અહીં બે વિકલ્પ (alternatives) આપ્યા છે – (૧) પૂર્વાનુભવનું સ્મરણ ઇન્દ્રિયને સહાય કરે છે, અથવા (૨) પૂર્વાનુભવના કેવળ સંસ્કારો – સ્મૃતિને ઉત્પન્ન કર્યા વિના – ઈન્દ્રિયને સહાય કરે છે. આવી સહાય પામેલી ઇન્દ્રિય જે સવિકલ્પક પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે તે અર્થની વર્તન માન અવસ્થા ઉપરાંત અતીત અવસ્થાને પણ ગ્રહણ કરે છે. નિયાયિકે એ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy