________________
૪૮૬.
વદન
છે. બુદ્ધિ તે ક્ષણિક છે. ક્ષણિક બુદ્ધિ પ્રતિસંધાતા અને વિચારક ન હેઈ શકે. પ્રતિસંધાતા અને વિચારક તે તે અનિત્ય બુદ્ધિઓને અને સંસ્કારોનો આશ્રય નિત્ય આત્મા જ હોઈ શકે૭૦
જે કે વ્યકિત અને જાતિ બંને એક જ્ઞાનના વિષય હોવાથી તેમની વચ્ચે જ્ઞાપ્યજ્ઞાપકભાવ કે ઉપકાર્યોપકારકભાવ નથી તેમ છતાં (વ્યકિત અને જાતિને વિશેષણવિશેષ્યભાવરહિત ગ્રહણ કરનાર) નિર્વિકલ્પક પ્રત્યક્ષ અને અતીતનું સ્મરણ બંને વિશેષણવિશેષ્યભાવાવગાડી સવિકલ્પક પ્રત્યક્ષન ઉત્પન્ન કરે છે. જાતિ અને વ્યકિત રૂપ-રૂપિભાવે રહેલાં હોવા છતાં પ્રથમ નિર્વિકલ્પક પ્રત્યક્ષથી તેવાં ગૃહીત થતાં નથી પરંતુ તેમનું સ્વરૂપમાત્ર ગૃહીત થાય છે. - જેટલું હોય તેટલું બધું જ ગૃહીત થવું જ જોઈએ એવું નથી. તેથી નિવિ. કલ્પક પ્રત્યક્ષ થેડેક જ ભાગ ગ્રહણ કરતું હોવા છતાં અપ્રમાણ નથી. સવિકલ્પક પ્રત્યક્ષ ઉક્ત સામગ્રીથી (અર્થાત વ્યકિત અને જાતિના સ્વરૂપમાત્રને ગ્રહણ કરનાર નિર્વિકલ્પક પ્રત્યક્ષ અને અતીતસ્મરણથી) ઉત્પન્ન થયેલું હોઈ જાતિને રૂ૫ (=વિશેષણ) તરીકે અને વ્યકિતને રૂપી (=વિશેષ) તરીકે જાણે છે. જો કે સવિકલ્પક પ્રત્યક્ષ નિર્વિકલ્પક પ્રત્યક્ષ પછી ઉત્પન્ન થાય છે તેમ છતાં તે ઇન્દ્રિયાર્થસનિકર્ષથી જ ઉત્પન્ન થતું હોવાથી પ્રત્યક્ષ જ છે.૧
સવિકલ્પક પ્રત્યક્ષમાં માનસ ભાગ સવિકલ્પક પ્રત્યક્ષ ઈન્દ્રિયજ પ્રત્યક્ષ છે જ એ પુરવાર કરવા વાચસ્પતિએ કેટલાક નવા વિચારોને જન્મ આપે છે. આ વિચારેએ ઉત્તરકાળે સ્પષ્ટ આકાર ધારણ કર્યો, ન્યાય-વૈશેષિક ચિન્તકે ભારપૂર્વક જણાવે છે કે સવિકલ્પક પ્રત્યક્ષમાં માનસ ભાગ નથી અને તે પણ નિર્વિકલ્પક પ્રત્યક્ષ જેટલું જ ઇન્દ્રિયાર્થસનિકર્ષજન્ય છે. જો કે વિષયના વાચક શબ્દનું સ્મરણ સવિકલ્પક પ્રત્યક્ષ વખતે થાય છે પરંતુ તે સ્મરણ તટસ્થ રહે છે, સવિકલ્પક પ્રત્યક્ષનું અંગ બનતું નથી. સવિકલ્પક પ્રત્યક્ષમાં જાતિ, ગુણ, કર્મ અને દ્રવ્યને વિષય સાથે વિશેષણરૂપે જોડવામાં આવે છે પરંતુ તે બધાં બુદ્ધિકલ્પિત નથી પણ વસ્તુત છે. અલબત્ત, વાચસ્પતિને મતે વિષયની સંકેતકાલીન અતીત અવસ્થાનું
સ્મરણ તો સવિકલ્પિક પ્રત્યક્ષમાં કંઈક ભાગ ભજવે છે. તત્કાલીન અને વર્તમાનકાલીન અવસ્થાઓવાળા એક અર્થને સવિકલ્પક પ્રત્યક્ષ ગ્રહણ કરે છે. આમાંથી એવું ફલિત થાય કે સવિકલ્પક પ્રત્યક્ષ પ્રત્યભિસારૂપ છે. પ્રત્યભિજ્ઞામાં વિષયની અતીત અવસ્થાનું જ્ઞાન હોય છે. પ્રત્યભિજ્ઞા પણ ઇન્દ્રિયાથસનિક