________________
ન્યાયદર્શન
૪૮૫
છે. “આ તે છે એવા આકારનું તે જ્ઞાન હોય છે. આ સાક્ષાત્કારદર્શક છે. તે પારક્ષ્મદર્શક છે. પારોલ્ય-અપાશ્ય બે વિરોધી ધર્મો એમાં હોઈ શકે નહિ. વિષય પણ ભિન્ન છે -બે છે – કારણ કે એકના એક વિષયનો પૂર્વદેશકાલ સાથે અને અપરદેશકાલ સાથે સંબંધ ન હોઈ શકે. - આ આક્ષેપને ઉત્તર આપતાં વાચસ્પતિ જણાવે છે કે પૂર્વદેશકાળ અને અપદેશકાળ ભિન્ન છે, પૂર્વદેશકાળ સાથેનો સંબંધ અને અપરદેશકાળ સાથેનો સંબંધ એ બે સંબંધ પણ ભિન્ન છે; પરંતુ પૂર્વદેશકાળ સાથે સંબંધ અને અપરદેશકાળ સાથે સંબંધ એમ બંને સંબંધ ધરાવતી એક સ્થાયી વસ્તુ હોઈ શકે છે કારણ કે તે વસ્તુ પૂર્વદેશકાળથી, અપરદેશકાળથી અને તેમની સાથેના સંબંધોથી ભિન્ન છે. દેશકાળભેદ વસ્તુભેનું કારણ નથી, કારણ કે વસ્તુ દેશકાળથી ભિન્ન છે. વળી, કારણભેદે પ્રતિભાસભેદ થાય છે. સવિકલ્પક પ્રત્યક્ષનું કારણ તે ઈન્દ્રિયાર્થ સનિક એક જ છે. તેથી તેમાં અપારોઢ્ય જ છે, પારક્ય નથી, ૬૭
જે જાતિઓ વ્યક્તિમાં વસ્તુસતરૂપે અસ્તિત્વ ધરાવતી હોય તે સત્તાજાતિથી વિશિષ્ટ વ્યકિત ગૃહીત થતાં બધી જ જાતિઓથી વિશિષ્ટ તે વ્યકિત ગૃહીત થવી જોઈએ, અર્થાત સવિકલ્પક પ્રત્યક્ષમાં એક સાથે બધી જ જાતિઓથી વિશિષ્ટ વ્યકિત ગૃહીત થવી જોઈએ આ શંકાનું સમાધાન કરતાં વાચસ્પતિ કહે છે કે દ્રવ્યને (=વ્યકિતનો સ્વભાવ વિશેષ્યમાત્રરૂપ છે, ઉપાધિઓ કે “ઉપાધિઓથી વિશિષ્ટ હોવું તે તેને સ્વભાવ નથી. જે કંઈ વસ્તુના સ્વભાવ સાથે સંબંધ ધરાવતું હોય તે કંઈ વસ્તુનો સ્વભાવ બની જતું નથી. જે વસ્તુના સ્વભાવ સાથે સંબંધ ધરાવનાર વસ્તુનો સ્વભાવ જ હોય તો તે સંબંધ ધરાવનારનો વસ્તુ સાથે સંબંધ નહિ ઘટી શકે કારણ કે વસ્તુને પોતાના પિતાની સાથે સંબંધ હોતા નથી. ૮
ઈદ્રિયજન્ય જ્ઞાન પોતે તે વિચારક નથી તે પછી તે કેવી રીતે પદાર્થોને વિશેષણ-વિશેષ્યભાવથી જોડે અને જાણે. આકલન યા પ્રતિસંધાન કરવાનું સામર્થ્ય ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં હોઈ શકે નહિ.૬૯–આ શંકાનું સમાધાન કરતાં વાચસ્પતિ કહે છે કે માનસ જ્ઞાન પણ તેમ કરવા શકિતમાન નથી. મન સર્વવિષયગ્રાહી હોવા છતાં અચેતન હોઈ તે વિચારક અને પ્રતિસન્ધાતા નથી. સકલ જ્ઞાન અને સંસ્કારનો આશ્રય નિત્ય આત્મા જ વિચારક અને પ્રતિસધાતા છે. સવિકટપક પ્રત્યક્ષ પોતે વિચારક યા પ્રતિસધાતા નથી, પરંતુ સવિકલ્પક પ્રત્યક્ષને આશ્રય નિત્ય આત્મા વિચારક અને પ્રતિસધાતા