SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ષદ ન * કાય` એક જ કારણથી (–કારકથી) ઉત્પન્ન થતું નથી પરંતુ અનેક કારોની (=કારકેાની) સામગ્રીથી ઉત્પન્ન થાય છે. બૌદ્ધો પણ માને છે કે આલાક, મનસ્કાર વગેરેની સહાયથી ઇન્દ્રિય નિવિકલ્પક પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે. ઇન્દ્રિયે પહેલાં સવિકલ્પક પ્રત્યક્ષને ઉત્પન્ન ન કર્યું કારણ કે તેને તે વખતે સ્મરણની સહાય ન હતી. કાઠીમાં રહેલા બીએ અંકુર ઉત્પન્ન નથી કર્યુ એટલે જમીન, પાણી વગેરે સહકારીઓની સહાયથી પણ અંકુર ઉત્પન્ન નહિ જ કરે એમ કહેવાય ખરું? વળી, જો એના વિષયા સમાન હેાય તેા જ એક બીજાને સહાય કરી શકે એમ માનવું પણ ચેગ્ય નથી. એટલે જ જેને વિષય અતીત છે એવું સ્મરણ જેને વિષય વમાન છે એવી ઇન્દ્રિયને સહાય કરી શકે છે.૬૨ જે ઇન્દ્રિયસમ્બદ્ધ હોય તેનું જ પ્રત્યક્ષ થાય. અથની અતીત અવસ્થા તે ઇન્દ્રિયસમ્બદ્ધ નથી. તેથી તેને કેવી રીતે ઇન્દ્રિયગ્રાહ્ય ગણી શકાય ?”—આ પ્રશ્નના ઉત્તર આપતાં વાચસ્પતિ કહે છે કે શું,જે કંઇ ઇન્દ્રિયસમ્બહૂ હાય તે પ્રત્યક્ષ થાય ? જો એમ હેાય તે આકાશ, પરમાણુ વગેરે પણ ઇન્દ્રિયસમ્બદ્ધ હોઈ પ્રત્યક્ષ થવાં જોઈએ, તેથી જે ઇન્દ્રિયજ જ્ઞાનના વિષય અને છે તેને પ્રત્યક્ષ ગણવા જોઇએ અને નહિ કે જે ઇન્દ્રિયસમ્બદ્ધ છે તેને ક જો વિષય ઇન્દ્રિયસમ્મદ ન હોય તેા ઇન્દ્રિય તેનું જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? અથવા, તે જ્ઞાનને પ્રત્યક્ષ કેમ ગણાય ? તે જ્ઞાનને જો પ્રત્યક્ષ ગણીએ તે ઇન્દ્રિયા સન્નિક્ષેત્પન્ન જ્ઞાન પ્રત્યક્ષ' એવું પ્રત્યક્ષલક્ષણ તેને લાગુ પડતું ન હોઈ લક્ષણ અવ્યાપ્તિદોષથી દૂષિત બને, ૬૪ — આ શંકાનું સમાધાન કરતાં વાચસ્પતિ જણાવે છે કે કેવળ ઇન્દ્રિય અતીત અવસ્થાને ગ્રહણ કરતી નથી એ વાત ખરી પરંતુ સ્મરણની સહાયથી કે સંસ્કારની સહાયથી ઇન્દ્રિય જે સર્વિકલ્પક પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે તે તે અતીત અવસ્થાને ગ્રહણ કરી શકે છે. સ્મરણની સહાયથી ઇન્દ્રિયા સન્નિષ જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ્ઞાનને પણ ઇન્દ્રિયા`સમ્નિકક્ષેત્પિન્ન જ ગણાય. તેથી ‘ઇન્દ્રિયા સન્નિકૉંપન્ન જ્ઞાન પ્રત્યક્ષ છે' એ લક્ષણ અની અતીત અવસ્થાને ગ્રહણ કરનાર સવિકલ્પક પ્રત્યક્ષને પણ લાગુ પડે છે. આમ લક્ષણ અવ્યાપ્તિ દોષથી મુક્ત છે. પ પૂવ’-અપર અવસ્થાઓને જાણનારું પરામશ રૂપ જ્ઞાન (=સવિકલ્પપ્રત્યક્ષ) એક (unitary) ન હેાઈ શકે કારણ કે પૂર્વાં-અપર અવસ્થારૂપ તેના વિષયા ભિન્ન છે તેમ જ પારેક્ષ્ય-અપારાક્ષ્યરૂપ ભિન્ન જ્ઞાનલક્ષણા તેમાં
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy