SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન ૪૮૩ પણ પિતાના વાચ્ય સાથે દ્રવ્યમાં રહે છે. આમ વાચક શબદ અને વચ્ચે જાતિ બંને દ્રવ્યરૂપ એક અધિકરણમાં રહે છે અને પરિણામે જાતિવાચક શબ્દનો યોગ દ્રવ્યમાં થાય છે. જાતિવાચક શબ્દનો પ્રયોગ દ્રવ્યમાં થવાને કારણે જાતિ દ્રવ્યથી ભિન્ન નથી એવો ભ્રમ થાય છે. પરંતુ ખરેખર જાતિ દ્રવ્યથી ભિન્ન – અતિરિક્ત – સત પદાર્થ છે. એટલે જે જતિને દ્રવ્યથી ભિન્ન ગ્રહણ કરે છે તે સવિકલ્પક પ્રત્યક્ષને અર્થસામાÁજન્ય જ ગણવું જોઈએ – અર્થાત પ્રત્યક્ષ તરીકે સ્વીકારવું જ જોઈએ. શબ્દ અર્થથી (=વસ્તુથી) ભિન્ન હોવા છતાં આ ડિથ છે એવા આકારનું સવિકલ્પક પ્રત્યક્ષ “ડિલ્ય શબ્દ અને અર્થનો અભેદ કલ્પ છે; તેથી સવિકલ્પક પ્રત્યક્ષને અર્થજન્ય ગણી શકાય નહિ.”—બૌદ્ધોના આ આક્ષેપનો જવાબ આપતાં વાચસ્પતિ કહે છે કે સવિકલ્પક પ્રત્યક્ષ શબ્દ-અર્થને અભેદ ગ્રહણ કરતું નથી. શબ્દમાં પોતાના વાચને ચીંધવાનું સામર્થ્ય હોઈને તે પોતાના વાચને તટસ્થ રહીને ચીંધે છે. ઈન્દ્રિય શબ્દ અને અર્થ બંનેને ગ્રહણ કરતી નથી. પ્રથમ સામાન્યવિશેષાત્મક અર્થને આલેચન જ્ઞાન (=નિવિકલ્પક પ્રત્યક્ષ) ગ્રહણ કરે છે. પછી તે અર્થ સંકેતકાળની પોતાની અવસ્થાનું સ્મરણ કરાવતાં સાથે સાથે સંકેતકાળને શબ્દનું પણ સ્મરણ કરાવે છે જ. સવિકલ્પક પ્રત્યક્ષ ઈન્દ્રિયજન્ય જ છે. તેની ઉત્પત્તિમાં શબ્દસ્મરણને કેઈ ઉપયોગ નથી, અન્યથા શિશુને શબ્દસ્મરણ ન હોઈ ઇન્દ્રિયજ સવિકલ્પક પ્રત્યક્ષ અશક્ય જ બની જાય. અલબત્ત, સંકેતકાળની અર્થની અવસ્થાનું સ્મરણ સવિકલ્પક પ્રત્યક્ષની ઉત્પત્તિમાં ઉપગી છે, કારણ કે તે કાળની અવસ્થા અને આ કાળની (અર્થાત વર્તમાન) અવસ્થા એમ બે ભિન્ન અવસ્થાઓવાળા એક અર્થનું પ્રતિસંધાન – સંકલન – ઈન્દ્રિયજન્ય વિકલ્પક પ્રત્યક્ષ કરે છે. શબ્દ તે આનુષંગિક રીતે સવિકલ્પક પ્રત્યક્ષ વખતે આવી જાય છે. શબ્દ પોતે સવિકલ્પક પ્રત્યક્ષને ઉત્પન્ન કરવામાં કંઈ ભાગ ભજવતું નથી, તે તે તટસ્થ રહે છે. તેથી જ કહ્યું છે કે શબ્દનું સ્મરણ થવા છતાં શબ્દ સવિકલ્પક પ્રત્યક્ષની ઉત્પત્તિમાં બાધા નાખતો. નથી, તે તટસ્થ જ રહે છે, તે અર્થના સ્વરૂપને ઢાંકવા પણ સમર્થ નથી. આનો અર્થ એ કે શબ્દસ્મરણ ઇન્દ્રિયવ્યાપારમાં બાધા નાખતું નથી કે અર્થને પણ પિતાનું જ્ઞાન ઉત્પન્ન કરવા અસમર્થ બનાવતું નથી. ૧ અતીત અવસ્થાના સ્મરણની સહાયથી ઈન્દ્રિયાર્થસનિક સવિકલ્પક પ્રત્યક્ષને ઉત્પન્ન ન કરી શકે –આમ કહેવું બરાબર નથી. અતીત અવસ્થાના સ્મરણની સહાયથી ઈન્દ્રિય સવિકલ્પક પ્રત્યક્ષને ઉત્પન્ન કરી શકે છે, કારણ કે
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy