________________
પડદર્શન
તે સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરવા સમર્થ બની શકે નહિ. આમ સવિકલ્પક પ્રત્યક્ષ ખરેખર ઈન્દ્રિયજન્ય નથી અને તેથી તે પ્રત્યક્ષ જ નથી. * ઇન્દ્રિય અતીતને ગ્રહણ કરી શકતી જ નથી. ઇન્દ્રિયનો વિષય અતીત નથી. જો તે તેનો વિષય ન હોય તે કેટિ ઉપાય કરે તે પણ તે તેને ગ્રહણ કરી શકે નહિ. દીવ ચક્ષને રૂપ ગ્રહણ કરવામાં સહાય કરે છે કારણ કે રૂપ ચક્ષુને વિષય છે. પરંતુ તેવા કરેહે દીવા લાવો તે પણ તે દીવાઓ ચક્ષુને ગંધ ગ્રહણ કરવામાં કંઈ સહાય નહિ કરી શકે, કારણ કે ગંધ ચક્ષુને વિધ્ય નથી. સ્મૃતિને વિષયે અતીત છે.. તે અતીતને ગ્રહણ કરે છે. પરંતુ તે પહેલાં ન અનુભવેલ વર્તમાન વિધ્યને ગ્રહણ કરવા શક્તિમાન નથી. જો સ્મૃતિ વર્તમાન વિષયને ગ્રહણ કરતી હોય તો તો અંધને પણ રૂપને સાક્ષાત્કાર થાય.૫૮ બૌદ્ધ દાર્શનિકેનું કહેવાનું તાપર્ય એ છે કે સવિકલ્પક પ્રત્યક્ષ અનુભવ અને સ્મૃતિનું ભેળસેળીયું જ્ઞાન છે, તેથી તે વસ્તુને તેના યથાર્થ રૂપમાં જાણી શકતું નથી, પરિણામે તેને પ્રત્યક્ષ ગણી શકાય નહિ.
બૌદ્ધોને વાચસ્પતિએ આપેલે ઉત્તર
"જ્ઞાનનું અર્થના સામર્થ્યથી ઉત્પન્ન લેવું અને તે જ્ઞાનને શબ્દસંસર્ગની યોગ્યતાવાળા પ્રતિભાસ હો એ બંનેને વિરોધ છે. જે જ્ઞાન અર્થ જ હોય તે શબ્દસંસર્ગવ્ય પ્રતિભાસ ન ધરાવે અને જે દિસંસર્ગોગ્ય પ્રતિભાસ ધવે તે જ્ઞાન અર્થજન્ય ન હોય.—આવી બૌદ્ધોની દલીલના ઉત્તરમાં વાચસ્પતિ કહે છે કે આ વિરોધ તે જ થાય જો જ્ઞાનનો અર્થ (વિષય) કેવળ સ્વલક્ષણ જ હોય. પરંતુ તેમ નથી. તૈયાયિકોને મતે અર્થ પરમાર્થ સત જાતિ વગેરેથી યુક્ત છે, સ્થાયી છે અને શબ્દસંસર્ગ યોગ્ય છે. તેથી એવા અર્થે ઉત્પન્ન કરેલું સવિકલ્પ પ્રત્યક્ષ જ્ઞાન અર્થના સામર્થ્યથી જ ઉત્પન્ન થયેલું હોય છે અને સાથે સાથે શબ્દસંસર્ગથ્ય પણ હોય છે, એમાં કઈ વિરોધ નથી.પ૯
જાતિ ખરેખર દ્રવ્યથી (વ્યકિતથી) અભિન્ન હોવા છતાં અર્થાત દ્રવ્યથી અતિરિકત ન હોવા છતાં સવિકલ્પક પ્રત્યક્ષ તેને દ્રવ્યથી ભિન્ન કલ્પે છે. તેથી જાતિને દ્રવ્યથી ભિન્ન કલ્પનાર સવિકલ્પક પ્રત્યક્ષને અર્થ સામર્થજન્ય ન ગણી શકાય.—બૌદ્ધ દાર્શનિકની આ દલીલનું ખંડન કરતાં વાચસ્પતિ કહે છે કે જાતિ દ્રવ્યથી ભિન્ન હોવા છતાં અભિન્ન લાગે છે કારણ કે જાતિને વાચક શબ્દ દ્રવ્યમાં પ્રયોજાય છે. પરંતુ જાતિનો વાચક શબ્દ દ્રવ્યમાં પ્રયોજાવાનું કારણ એ છે કે શ દની વાચ જાતિ દ્રવ્યમાં (=વ્યક્તિમાં પિંડમાં) રહેતી હોઈ શબ્દ