________________
૪૮૦
ડ્રદર્શન
કરતાં બૌદ્ધ દાર્શનિક જણાવે છે કે એમ હોય તે પણ જેનામાં શબ્દને સંકેત કરવામાં આવ્યો હોય તે જ તે શબ્દનું સ્મરણ કરાવે, અન્ય નહિ. શબ્દને સંકેત તે અનંત વ્યક્તિઓમાં અનુગત જે એક સામાન્ય છે તેમાં કરવામાં આવ્યો છે. સામાન્ય દર્શનને (=અનુભવ=પ્રત્યક્ષનો) વિષય નથી. દર્શનને વિષય તે સ્વલક્ષણ છે અને સ્વલક્ષણ જ સત્ છે, આ સ્વલક્ષણ જ અનુભવને (=પ્રત્યક્ષને) ઉત્પન્ન કરે છે. સામાન્ય અલીક છે, કારણ કે તે અર્થક્રિયાકારી નથી. ગોસ્વલક્ષણત=ગવ્યક્તિ)ને દહી દૂધ મેળવી શકાય, ગેસ્વસામાન્યને દોહી શકાતું નથી. જે અનુભવને (=પ્રત્યક્ષને) વિષય છે તેની સાથે શબ્દને સંબંધ નથી અને જેની સાથે શબ્દને સંબંધ છે તે સામાન્ય અનુભવનો વિષય નથી. વળી, સ્વલક્ષણને શબ્દવા ગણવામાં આવે તે અગ્નિની ઉષ્ણતાના અનુભવની જેમ “અગ્નિ ઉષ્ણ છે એ શબ્દો સાંભળતાં જ અગ્નિની ઉષ્ણતાને અનુભવ આપણને થવો જોઈએ. આમ સવિકલ્પ પ્રત્યક્ષ જે અર્થને શબ્દસહિત ગ્રહણ કરે છે તે અર્થ ખરેખર અર્થ નથી પણ અલીક સામાન્ય છે અને તેથી સવિકલ્પ પ્રત્યક્ષને પ્રત્યક્ષ ગણી શકાય નહિ.૫૪
‘લિંગ અને શબ્દને (અનુમાન અને શબ્દપ્રમાણનો) વિષય સામાન્ય છે. સામાન્ય અલીક નથી પણ વસ્તુત છે. લક્ષણ(વ્યક્તિ) આ વસ્તુભૂત સામાન્યયુક્ત જ હોય છે. આવું સ્વલક્ષણ જ દર્શનનું (=અનુભવનું=નિવિકલ્પ પ્રત્યક્ષનું) કારણ છે. ચક્ષુરિન્દ્રિયને સ્વલક્ષણ સાથે સન્નિકર્ષ થતાં સામાન્યવાળા સ્વલક્ષણનું દર્શન થાય છે. ત્યાર પછી સામાન્ય સાથે સંબદ્ધ શબ્દનું સ્મરણ થાય છે અને એ શબ્દવા જાતિથી વિશિષ્ટ વ્યક્તિને ગ્રહણ કરનારું ઈન્દ્રિયાર્થી સક્નિકર્ષજન્ય વિકલ્પ પ્રત્યક્ષ “આ ગાય છે એવા આકારનું ઉત્પન્ન થાય છે૫૫––તૈયાયિકેની આવી દલીલનું ખંડન કરતાં બૌદ્ધ દાર્શનિકે જણાવે છે કે અનુભવમાં (નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં) પિંડથી (=વ્યક્તિથી સ્વલક્ષણથી) અલગ જાતિ વગેરે ગૃહીત થતાં જ નથી. જાતિ અને જાતિમાન, ક્રિયા અને ક્રિયાવાન , ગુણ અને ગુણી, તેમ જ તેમની વચ્ચે સમવાયસંબંધ નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં અલગ અલગ ભાસતાં નથી. જે અલગ અલગ ગૃહીત ન થયા હોય તેમને એકબીજા સાથે વિશેષ્યવિશેષણભાવથી જોડવાનું શક્ય નથી. વિકલ્પને (=વિચારન= thought) એ અનાદિ સ્વભાવ છે કે તે વસ્તુ ઉપર સ્વનિર્મિત જાતિ વગેરેને આરોપ કરી નિર્વિભાગ(unitary) સ્વલક્ષણને (=વસ્તુને) જાતિ, વગેરેના ભેદવાળી (=જાતિ વગેરેના પિંડરૂ૫) કલ્પ છે. વળી, બે પરમાર્થ સત વસ્તુઓ(સ્વલક્ષણ અને સામાન્ય) નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં અનુભવાય છે એમ