________________
४७८
પદન
(૨) ત્યાર પછી “આ ઘટ છે એ પ્રકારનું સવિકલ્પક પ્રત્યક્ષજ્ઞાન થાય છે, જેમાં ઘટ અને ઘટત્વ વચ્ચેના વિશેષ્યવિશેષણભાવનું ગ્રહણ થાય છે.
(૩) એ પછી આપણને સવિકલ્પક પ્રત્યક્ષ જ્ઞાનનું માનસ પ્રત્યક્ષ (=અનુચવસાય) થાય છે. અનુવ્યવસાય હું ઘડાને જાણું છું એવા આકારનો હોય છે.
નિર્વિકલ્પ પ્રત્યક્ષને પ્રમા ગણી શકાય? પ્રશસ્તપાદ નિર્વિકલ્પ પ્રત્યક્ષ(=અવિભક્ત આલેચન)ને પ્રત્યક્ષપ્રમા તરીકે, સ્વીકારતા નથી પરંતુ પ્રત્યક્ષપ્રમાની ઉત્પત્તિ પૂર્વે આવશ્યક ભૂમિકા તરીકે, તેનો સ્વીકાર તેઓ કરે છે. તે પ્રત્યક્ષપ્રમાનું સાધમ કારણ છે.૪૯ એટલે, તેની બાબતમાં યથાર્થતા–અયથાર્થતાને પ્રીન ઊઠાવવો ખાટે છે. વાચસ્પતિને મતે નિર્વિકલ્પ પ્રત્યક્ષ પ્રમા હોઈ શકે છે એટલું જ નહિ પણ નિર્વિકલ્પ, પ્રત્યક્ષ નિયમથી પ્રમા જ હોય છે, કારણ કે તેમાં બ્રાતિને સંભવ જ નથી, નિર્વિકલ્પક પ્રત્યક્ષ તે વસ્તુ જેવી હોય છે તેવી જ સદાય ગ્રહણ કરે છે, પરંતુ સવિકલ્પક પ્રત્યક્ષ નિર્વિકલ્પક પ્રત્યક્ષે ગ્રહણ કરેલી વસ્તુનું પૃથક્કરણ કરવામાં કેટલીક વાર થાપ ખાય છે, તેથી સવિકલ્પક પ્રત્યક્ષમાં બ્રાતિ સંભવે છે.૫૦ જયંત ભટ્ટ નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં બ્રાતિને સંભવ સ્વીકારે છે.' નવ્યનાયિકોને મતે નિર્વિકલ્પક પ્રત્યક્ષ પ્રમા પણ નથી કે ભ્રમ પણ નથી.પર
આમ તૈયાયિકને એક વર્ગ નિર્વિકલ્પક પ્રત્યક્ષને પ્રત્યક્ષપ્રમા પૂર્વેની જ્ઞાનની એક અનિવાર્ય ભૂમિકામાત્ર માને છે, આ વર્ગ તેને પ્રત્યક્ષપ્રમાના પદે સ્થાપવા માગતા નથી. નૌયાયિકે બીજે વર્ગ માને છે કે નિર્વિકલ્પકતા કે સવિકલ્પતા જ્ઞાનને પ્રમા બનતું રેકી ન શકે છે તે જ્ઞાન ઇન્દ્રિયાઈ સનિક જન્ય હાય અને અવ્યભિચારી હોય છે. બીજા શબ્દોમાં, જે સવિકલ્પક જ્ઞાન ઈન્દ્રિયાર્થસનિકજન્ય હોય અને અવ્યભિચારી હોય તે પ્રમા છે, તેવી જ રીતે જે નિર્વિકલ્પક જ્ઞાન ઈન્દ્રિયાર્થસનિકર્ષજન્ય હેય અને અવ્યભિચારી હોય તો તે પણ પ્રમા છે. પરંતુ નૈયાયિકને ત્રીજો વર્ગ ઉપરના વિધાનના ઉત્તર ભાગની સામે વાંધો ઉઠાવે છે. અવ્યભિચારી લેવાની શરત તેમને મતે નિર્વિકલ્પક પ્રત્યક્ષની બાબતમાં અર્થહીન છે, કારણ કે નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં ભ્રમ સંભવતે જ નથી; બધાં જ નિર્વિકલ્પક પ્રત્યક્ષ અવ્યભિચારી જ હોય છે અને તેથી અમે જ હોય છે. નૈયાયિકેનેથે વર્ગ માને છે કે નિર્વિકલ્પક પ્રત્યક્ષ પ્રમા પણ નથી કે ભ્રમ પણ નથી. તેમને મતે આવાં જ્ઞાનની બાબતમાં યથાર્થતા–અયથાર્થતાને પ્રશ્ન જ ઉઠતો નથી.