________________
૪૬૮
પડદન
થાય છે ત્યારે તે ચ્છિાને અનુરૂપ પ્રયત્ન તેનામાં ઉત્પન્ન થાય છે, પછી એવા પ્રયત્નવાળા આત્મા મનને તે વિષય જાણવા સમથ ઇન્દ્રિય સાથે જોડાવા માટે ગતિ કરવા પ્રેરે છે, પછી મન ઇન્દ્રિય સાથે જોડાતાં ઇન્દ્રિય પેાતાના વિષય સાથે જોડાય છે અને પરિણામે તે વિષયનું પ્રત્યક્ષજ્ઞાન આત્મામાં ઉત્પન્ન થાય છે.૧૮ આમ પ્રયત્નવાળા આત્માના મન સાથે સન્તિક, મનને ઇન્દ્રિય સાથે સન્નિકષ અને ઇન્દ્રિયના સ્વવિષય સાથે સન્તિક પ્રત્યક્ષજ્ઞાનાત્પત્તિમાં અનિવાય છે. ખીજા શબ્દોમાં, પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં ત્રણ સન્નિકાઁ આવશ્યક છે—આત્મમનઃસન્તિક, ઇન્દ્રિયમન:સન્નિકષ અને ઇન્દ્રિયા સન્નિકા ૧૯
ΟΥ
આત્મમનઃસન્તિક અનુમાન આદિ બધાં જ્ઞાનાનું સાધારણ કારણ પરંતુ બાકીના એ સન્તિકર્યાં તે કેવળ પ્રત્યક્ષજ્ઞાનનું જ કારણ છે.૨૦ એટલે આત્મમનઃસન્તિક કરતાં બાકીના એ સન્વિકર્માંનું પ્રત્યક્ષાત્પત્તિની બાબતમાં વિશેષ મહત્ત્વ છે. વળી, તે એ સન્નિષેૉંમાંય, ઇન્દ્રિયા સન્તિક નુ પ્રત્યક્ષાત્પત્તિમાં પ્રાધાન્ય છે. પ્રત્યક્ષાત્પત્તિમાં ઇન્દ્રિયા સન્તિકની પ્રધાનતા નીચેની ખાખતા ઉપરથી પુરવાર થાય છે—(૧) જ્યારે વ્યક્તિનું મન કેાઈ વિષયમાં લાગેલું નથી હોતું તેમ જ તેને કોઈ અમુક વિષયનું પ્રત્યક્ષ કરવાની ઈચ્છા નથી હોતી ત્યારે પ્રબળ બાહ્ય વિષયના ઇન્દ્રિય સાથે સ ંચાગ થતાં જ મન તે ઇન્દ્રિય સાથે સંલગ્ન થઈ જાય છે. આ પ્રસંગે પ્રયત્નવાન્ આત્માને મન સાથેના સંચાગ મનને ઇન્દ્રિય સાથે જોડતા નથી પર ંતુ પ્રબળ વિષયને ઇન્દ્રિય સાથેના સંચાગ મનને ઇન્દ્રિય સાથે જોડાવા ફરજ પાડે છે.૨૧ ન્યાયવૈશેષિક પરિભાષામાં કહીએ તેા, આ વખતે આત્મપ્રયત્ન નહિ પણ અદૃષ્ટ જ મનને ઇન્દ્રિય સાથે જોડાવા ગતિ કરવા પ્રેરે છે.૨૨ આ દર્શાવે છે કે પ્રત્યક્ષજ્ઞાનાત્પત્તિમાં પ્રાધાન્ય ઇન્દ્રિયમનઃસન્તિક તુ નથી પણ વિષયેન્દ્રિયસન્તિક નુ છે. (૨) પ્રત્યક્ષજ્ઞાનેના ભેદના વ્યવહાર ઇન્દ્રિયના ભેદ તેમ જ વિષયના ભેદ ઉપર આધાર રાખે છે. આપણે કહીએ છીએ ‘ચક્ષુવિજ્ઞાન, ઘ્રાણવિજ્ઞાન, ઇત્યાદિ’ કે ‘રૂપજ્ઞાન, ગંધજ્ઞાન ઇત્યાદિ.' આ જ્ઞાનાને આપણે કદીય ‘મનેાજ્ઞાન’ કહેતા નથી. આમ નામવ્યવહાર દર્શાવે છે કે પ્રત્યક્ષજ્ઞાનાત્પત્તિમાં ઇન્દ્રિયાસન્નિષ જ પ્રધાન છે.૨૩
પ્રત્યક્ષજ્ઞાનાની ચુગપદ્ ઉત્પત્તિ સભવે ?
પ્રત્યક્ષજ્ઞાનાની યુગપદ્ ઉત્પત્તિ સંભવતી નથી કારણ કે તેમની ઉત્પત્તિ માટે ઇન્દ્રિયમનઃસન્તિક હોવા અત્યન્ત આવશ્યક છે. મન અણુ૨૪ હેાઈ તેમ