________________
ન્યાયદર્શીન
૪૬૯
જ પ્રત્યેક શરીરમાં એક એક૨૫ જ હોઈ એક ક્ષણે પાંચેય ઇન્દ્રિયા સાથે મનને સન્તિક થવા અશકષ છે. તેથી પાંચ ઇન્દ્રિયાનાં પાંચ પ્રત્યક્ષનાના એક ક્ષણે ઉત્પન્ન થઈ શકતાં નથી.૨૬
અહીં એક શંકા ઉદ્ભવે છે. આપણને તેા એક સમયે અનેક અનુભવે થતા જણાય છે. જલેબી ખાતી વખતે જલેખીનાં રૂપ, રસ, ગન્ધ, સ્પર્શે અને શબ્દ પાંચેયના એક કાળે આપણને અનુભવ થાય છે.
આ શંકાના સમાધાનમાં ન્યાયસૂત્રકાર જણાવે છેકે જ્ઞાનેા યુગપદ્ ન હોવા છતાં તેમના યોગપદ્યતા આપણતે અનુભવ થાય છે કારણ કે મનની ગતિ અત્યન્ત તીવ્ર છે. મન એટલી વ્રુત ગતિથી ભિન્ન ભિન્ન અનુભવેા પ્રાપ્ત કરે છે કે તે અનુભાના પૌર્વીપ (succession)ને સ્થાને આપણને યૌગપદ્મ (simultaneity) જણાય છે. આ એક જાતના ભ્રમ છે. દીપાવલીના તહેવારમાં બાળકા તાર્રામંડળ (=અલાતચક્ર) સળગાવી અત્યંત વેગથી ચક્રાકારે ધૂમાવે છે ત્યારે આપણને અગ્નિનું વર્તુળ પ્રતીત થાય છે અર્થાત્ એક જ અગ્નિ એક જ ક્ષણે વતુ ળના પ્રત્યેક બિંદુએ અસ્તિત્વ ધરાવતા જણાય છે. આ ભ્રમ છે, કારણ કે જો એક અગ્નિ એક ક્ષણે એ સ્થાને હોઈ શકે નહિ તે। આ અસંખ્ય સ્થાને તા. કથાંથી હોઈ શકે ? આવે! ભ્રમ થવાનુ કારણ શીઘ્ર ગતિ છે.૨૭
આના અથ એ કે મન એક ક્ષણે એક જ ઇન્દ્રિય સાથે લાગી શકે છે અને એક જ વિષયનું અવધાન કરી શકે છે. શતાવધાન તે। શુ વ્યવધાન પણ અશકય છે. મનની અત્યન્ત ઝડપી ગતિને કારણે જ્ઞાનેાના ક્રમમાં આપણને યોગપદ્યના ભ્રમ થાય છે.
કેટલીક મહત્ત્વની સમસ્યાઓના વિચાર
પ્રત્યક્ષ વિશેની કેટલીક મહત્ત્વની સમસ્યાઓની ચર્ચા કરવી બાકી છે. તે સમસ્યાઓની ચર્ચાએ તૈયાયિકાએ ગૌતમના પ્રત્યક્ષસૂત્રને સમજાવતી વખતે કરી છે. એટલે આપણે પણ તે સૂત્રને સમજીએ અને સાથે સાથે તે મહત્ત્વની સમસ્યાઆના તૈયાયિકસમ્મત ઉકેલેાને વિચારીએ. આપણે અત્યાર સુધી કરેલા નિરૂપણે તે સૂત્રને સમજવા માટે જરૂરી પૂર્વભૂમિકા તે તૈયાર કરી દીધી છે.
ગાતમે આપેલ પ્રત્યક્ષલક્ષણ આ છે—ન્દ્રિયાર્થસન્નિવોલ્વન્ન જ્ઞાનમ્ અવ્યવવેશ્યમ્ અમિષારિ વ્યવસાયાત્મ, પ્રત્યક્ષમ્' (૨.૬.૪). આ પ્રત્યક્ષપ્રમાનું લક્ષણ છે. પ્રસ્તુત સૂત્રને અનુવાદ આ પ્રમાણે થાય——જે જ્ઞાન ઇન્દ્રિયા સન્નિષ થી