SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન અર્થ વચ્ચેના સનિકના છ પ્રકારો માનવામાં આવ્યા છે—(૧) સંગ, • (૨) સંયુક્ત સમવાય, (૩) સંયુક્તસમવેતસમવાય, (૪) સમવાય, (૫) સમતસમવાય અને (૬) વિશેષણતા અર્થાત્ સંયુક્તવિશેષણતા વગેરે.૧૩ દ્રવ્ય આદિના પ્રત્યક્ષજ્ઞાનેને ક્રમ ન્યાય-વૈશેષિક પરંપરામાં કણદનાં સૂત્રોમાં સૌ પ્રથમ આ પ્રશ્ન પર કહેવામાં આવ્યું છે. કણાદ કહે છે કે સૌ પ્રથમ સામાન્ય વિશેષનું (અર્થાત સત્તા સામાન્ય અને અવાન્તર સામાન્યનું) જ્ઞાન થાય છે,૧૪ પછી સામાન્યવિશેષની સહાયથી દ્રવ્ય, ગુણ કે કર્મનું જ્ઞાન થાય છે,૧૫ અને છેવટે દ્રવ્યગુણ-કર્મની સહાયથી દ્રવ્યનું જ્ઞાન થાય છે. આમ સામાન્યવિશેષનું જ્ઞાન સામાન્ય વિશેષ સિવાય બીજા કેઈ પણ પદાર્થની અપેક્ષા રાખતું નથી, દ્રવ્ય ગુણ-કર્મનું જ્ઞાન સામાન્ય વિશેષ સાપેક્ષ છે અને દ્રવ્યનું જ્ઞાન ગુણ-કર્મસાપેક્ષ - છે. કણાદ આ બધાં જ્ઞાનને પ્રત્યક્ષપ્રારૂપ ગણતા લાગે છે. પ્રશસ્તપાદે ન્યાય-વૈશેષિક દર્શનમાં મહાન પરિવર્તન કર્યું છે અને નવા નવા વિચારોને સ્થાન આપ્યું છે. આ પ્રશ્ન પર પણ તેમનું પ્રદાન વિશિષ્ટ છે. તેમના મત પ્રમાણે સામાન્યવિશેષના જ્ઞાન પહેલાં પણ પદાર્થવિષયક જ્ઞાન હોય છે. તે જ્ઞાનને તેઓ “અવિભક્ત આલોચન” નામ આપે છે. “અવિભક્ત શબ્દ સૂચક છે. તે સૂચવે છે કે સૌ પ્રથમ આપણને દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્યવિશેષ અને સમવાય બધા જ પદાર્થોનું એક અવિભક્ત પિંડરૂપે જ્ઞાન થાય છે. ત્યાર પછી જ સામાન્ય વિશેષનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનને તેઓ સ્વરૂપ આલેચન” નામ આપે છે. પછી સામાન્ય વિશેષ સાપેક્ષ દ્રવ્ય, ગુણ કે કર્મનું જ્ઞાન થાય છે અને છેવટે દ્રવ્ય-ગુણ-કર્માપક્ષ દ્રવ્યજ્ઞાન થાય છે. તેઓ અવિભક્ત આલેચનને પ્રત્યક્ષપ્રમિતિરૂપ માનતા નથી પરંતુ પ્રત્યક્ષપ્રમિતિની ઉત્પત્તિ પૂર્વેની એક અનિવાર્ય મને વૈજ્ઞાનિક ભૂમિકા તરીકે તેને તેઓ સ્વીકાર કરે છે. ત્યાર પછીની ત્રણેય ભૂમિકાને તેઓ પ્રત્યક્ષપ્રમિતિરૂપ ગણે છે.૧૭ પ્રત્યક્ષજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે? કયા પદાર્થનું પ્રત્યક્ષજ્ઞાન પહેલું થાય છે અને ક્યા પદાર્થનું પ્રત્યક્ષજ્ઞાન પછી થાય છે તેનો વિચાર કર્યો પરંતુ પ્રત્યક્ષજ્ઞાન પિતે કેવી રીતે ઉત્પન્ન થાય છે તે તો વિચારવાનું બાકી છે. જાગ્રત અવસ્થામાં જેનું મન એક વિષયમાં લાગેલું છે તેવી વ્યક્તિને જ્યારે અમુક બીજા વિષયનું પ્રત્યક્ષ કરવાની ઈચ્છા
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy