SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ષદર્શન ત્યાં જ સાક્ષાત્ પ્રકાશિત કરે છે. બાહ્યાવાદની દૃષ્ટિએ ઇન્દ્રિયપ્રાપ્યકારિત્વસિદ્ધાંતનું મહત્ત્વ છે. સન્તિક અને તેના પ્રકાર ઉપયુ ક્ત સિદ્ધાંતમાં સ્વીકારવામાં આવ્યું છે કે જે વસ્તુ આપણી ઇન્દ્રિય સાથે સમ્બદ્ધ હોય તેવું જ આપણને પ્રત્યક્ષ થાય. ન્યાય-વૈશેષિક અનુસાર કેવળ પટદ્રવ્યનું જ પ્રહ્મક્ષ નથી થતું પણ ઘટમાં સમવાયસંબંધથી રહેનાર ગુણુ, કર્મ અને ઘટત્વજાતિનુંય પ્રત્યક્ષ થાય છે. એટલું જ નહિ પણ ગુણુ અને કમ'માં સમવાયસંબંધથી રહેનાર ગુણત્વ અને કત્વ જાતિનુ પણ પ્રત્યક્ષ થાય છે. તેથી ઇન્દ્રિય અને અથ વચ્ચેના સંબંધનું સ્વરૂપ નિશ્ચિત કરવામાં આવ્યું છે. જ્યારે આપણને ચક્ષુથી ધટનું પ્રત્યક્ષ થાય છે ત્યારે ચક્ષુ અને ઘટ અને દ્રવ્ય હેાવાથી તેમની વચ્ચેને સબંધ થયા સન્નિષ સચાગરૂપ હેાય છે. પરંતુ જ્યારે આપણને ધટના ગુણ, ક યા ઘટત્વનું પ્રત્યક્ષ થાય છે ત્યારે સન્નિષ ‘સંયુક્તસમવાય’રૂપ હોય છે, કારણ કે ઇન્દ્રિયસંયુક્ત ઘટમાં ગુણ, કર્મ અને ઘટત્વજાતિના સમવાય છે. જ્યારે આપણને ઘટમાં રહેનાર ગુણુ રૂપ યા સ્પર્શીમાં રૂપ~ યા સ્પત્વ જાતિનું પ્રત્યક્ષ થાય છે ત્યારે સગ્નિકંનું સ્વરૂપ ‘સંયુક્તસમવેતસમવાય’ માનવામાં આવ્યું છે, કારણ કે ઇન્દ્રિયસંયુક્ત ધટ છે, એમાં સમવેત રૂપ અને સ્પર્શે છે, અને એમનામાં રૂપત્વ અને સ્પર્શી જાતિના સમવાય છે. પરંતુ જ્યારે આપણને શ્રોત્રથી શબ્દનુ જ્ઞાન થાય છે ત્યારે કણ વિવરથી અવચ્છિન્ન આકાશસ્વરૂપ જ શ્રોત્ર હાવાથી અને આકાશમાં શબ્દગુણ : સમવાયસંબંધથી રહેતા હેાવાથી શ્રોત્ર અને શબ્દ વચ્ચેના સન્તિકનું સ્વરૂપ સમવાય મનાયુ છે. જ્યારે શબ્દગત શબ્દ。 જાતિનું પ્રત્યક્ષ થાય છે ત્યારે સમ્નિનું સ્વરૂપ ‘સમવેતસમવાય’ છે, કારણ કે શ્રોત્રમાં સમવેત શબ્દ છે અને શબ્દમાં શબ્દ જાતિના સમવાય છે. જ્યારે આપણને ઘટમાં રૂપના સમવાયનું યા ભૂતલમાં ઘટના અભાવનુ` પ્રત્યક્ષ થાય છે ત્યારે સમવાય અને અભાવની સાથે ઇન્દ્રિયના શા સંબધ હોય છે? એ સ્પષ્ટ છે કે સમવાય અને અભાવ પેાતાના અધિકરણમાં સંયેાગ કે સમવાય નામના સંબંધથી રહેતા નથી પરંતુ સ્વરૂપસ ંબંધથી જ રહે છે. એટલે સમવાયને, યા ‘ભૂતલમાં ઘટાભાવ’ના ઉદાહરણમાં ધટાભાવને તેમનાં અધિકરણાનાં વિશેષણા ગણવામાં આવ્યાં છે. તેથી સમવાયના યા અભાવના ઇન્દ્રિય સાથેના સન્તિક સંયુક્તવિશેષતારૂપ માનવામાં આવ્યો છે. ઇન્દ્રિયને અધિકરણ સાથે સંયોગ છે અને અધિકરણનું વિશેષણ સમવાય યા અભાવ છે. આ રીતે ઇન્દ્રિય અને
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy