________________
અધ્યયન ૩
પ્રત્યક્ષ
પ્રત્યક્ષશબ્દનો અર્થ પ્રત્યક્ષશબ્દ પ્રતિ અને અક્ષ એમ બે શબ્દોનું બનેલું છે. પ્રતિ’નો અર્થ છે “અભિમુખ, સામે” અને “અક્ષ'નો અર્થ છે “ચક્ષુ યા ઇન્દ્રિય.” તેથી પ્રત્યક્ષનો અર્થ થાય તે (જ્ઞાન) જેમાં વિષય ઇન્દ્રિયની સંમુખ યા અભિમુખ હોય.” આમ જે જ્ઞાન ઇન્દ્રિયરૂપ સાધનથી સાક્ષાત્ ઉત્પન્ન થાય છે તે જ્ઞાનને પ્રત્યક્ષ ગણવામાં આવે છે. અક્ષમ્ ગર્લ પ્રતીત્વે કાચતે થતું જ્ઞાનં તત્ પ્રત્યક્ષમ્ |
પ્રત્યક્ષ પ્રધાન પ્રમાણ ચારેય પ્રમાણમાં પ્રત્યક્ષ પ્રધાન છે, કારણ કે બાકીનાં ત્રણેય પ્રમાણ પ્રત્યક્ષમૂલક છે, અર્થાત પ્રત્યક્ષને કેઈ અન્ય પ્રમાણની અપેક્ષા નથી પરંતુ અનુમાન, ઉપમાન અને શબ્દપ્રમાણને પ્રત્યક્ષની અપેક્ષા છે. ઉદાહરણાર્થ, લિંગદર્શન વિના અનુમાન અશક્ય છે.
વાસ્યાયન કહે છે કે જ્યાં સુધી વિધ્યનું પ્રત્યક્ષ થતું નથી ત્યાં સુધી પ્રમાતાની તે વિષય વિષેની જિજ્ઞાસા ઉપશાન્ત થતી નથી. જિજ્ઞાસાને પૂર્ણ કરવાનું જે સામર્થ્ય પ્રત્યક્ષમાં છે તે બીજ પ્રમાણમાં નથી. આ વસ્તુને એક દષ્ટાનથી સમજીએ. કેઈ વિશ્વાસુ વ્યક્તિએ આપણને કહ્યું કે પહાડ પર દવા લાગે છે. એનાં વચનથી આપણને જ્ઞાન થયું કે પહાડ ઉપર અગ્નિ છે. આ થયું શબ્દપ્રમાણ. પરંતુ આપણને થાય છે કે પહાડ ઉપર અગ્નિ હોવાનું કેઈ લક્ષણ દેખાય તો સારું. પછી આપણે દેખીએ છીએ કે દૂર દૂર પર્વત ઉપર ધૂમાડાના ગેટેગેટ છે. હવે આપણને નિશ્ચય થાય છે કે પર્વત ઉપર અગ્નિ છે જ, કારણ કે આગ વિના ધૂમાડે હાય નહિ. આ થયું અનુમાન પ્રમાણ. પરંતુ હજુય તે અગ્નિને સાક્ષાત જાણવાની ઈચ્છા રહે છે જ. તેથી પર્વત ઉપર અગ્નિ છે એ નિશ્ચિત જાણ્યું હોવા છતાં તેને દેખવાની અભિલાષા તે રહે છે. જયારે આપણે આપણી આંખે પહાડ ઉપર અગ્નિને જોઈ લઈએ છીએ ત્યારે પછી આપણને કઈ વાતની અપેક્ષા રહેતી નથી. શંકા થા તર્કવિતર્કને