SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન ૪૬૩ હવે કોઈ અવકાશ જ રહેતો નથી. જેવી રીતે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત વસ્તુને અન્ય કઈ પ્રકાશની અપેક્ષા રહેતી નથી તેવી રીતે પ્રત્યક્ષ દ્વારા જ્ઞાત વસ્તુને અન્ય કઈ પ્રમાણની અપેક્ષા રહેતી નથી. વસ્તુને પ્રત્યક્ષપ્રમાણથી જાણતાં જ તેને વિશેની બધી જિજ્ઞાસા પૂરી થઈ જાય છે. ૨ ઈન્ડિયા અને તેનું કાર્ય ઈન્દ્રિય વિષય સાથે સંયોગ (=સનિકર્ષ) થાય તે જ પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. એટલે, ઈન્દ્રિય અને સન્િકર્ષ વિશે નૈયાયિકના મતને સ્પષ્ટ સમજી લેવું જોઈએ. કેટલાક દાર્શનિકે એક સ્પર્શનેન્દ્રિય જ છે, બીજી કઈ ઈન્દ્રિયે જ નથી એ મત ધરાવતા હતા. તે મતનું ખંડન ન્યાયસૂત્રકારે કર્યું છે.* સાંખ્યોને પ્રચલિત મત ‘ઈન્દ્રિય દસ છે? એવો છે. પરંતુ તૈયાયિકને મતે ઈન્દ્રિયે પાંચ છે–ઘાણ, રસન, ચક્ષુ, વફ અને શ્રોત્ર.૫ સાંખ્ય ઇન્દ્રિયોને અભૌતિક માને છે તેમને મતે ઈન્દ્રિયનું ઉપાદાનકારણ અહંકાર છે. નૈયાયિકે ઈન્દ્રિયોને ભૌતિક ગણે છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતમાંથી યથાક્રમ ઘાણ, રસન, ચક્ષ, ત્વફ અને શ્રેત્ર બનેલી છે. અહીં એ ધ્યાનમાં રાખીએ કે યાયિકને મતે શ્રેત્ર ખરેખર તો આકાશસ્વરૂપ જ છે, આકાશકાર્ય નથી. ગબ્ધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દમાંથી ધ્રાણેન્દ્રિય ગન્ધને જ ગ્રહણ કરે છે, સિનેન્દ્રિય રસને જ ગ્રહણ કરે છે, ચક્ષ રૂપને જ ગ્રહણ કરે છે, સ્પર્શનેન્દ્રિય સ્પર્શને જ ગ્રહણ કરે છે અને શ્રોત્ર શબ્દને જ ગ્રહણ કરે છે. આ ઉપરથી પુરવાર થાય છે કે ઘાણ, રસન, ચહ્યું અને સ્પર્શ આ ચાર ઇનુિં યથાક્રમે પાર્થિવત્વ, જલીયત્વ, તૈજસત્વ અને વાયવયિત્વ છે. આમ તૈયાયિકેને મતે પ્રત્યેક ઇન્દ્રિય ઐભૌતિક છે, પાંચભૌતિક નથી. એક ઈન્દ્રિય એક જ ભૂતની બનેલી છે એનો અર્થ એ કે તેને તે ભૂત સાથે સમવાયસંબંધ છે અને અન્ય ભૂત સાથે સંગસંબંધ છે. આમ એક ઈન્દ્રિયનું આરંભક ભૂતદ્રવ્ય એક જ છે, બીજા ભૂતદ્રવ્યો જરૂરી હોવા છતાં આરંભક નથી. એક ઈન્દ્રિયનું સમવાયિકારણ એક જ ભૂતવ્ય છે. અને એ તે સ્વાભાવિક જ છે કે તે ઇન્દ્રિયનું જે ભૂતદ્રવ્ય સમવાયિકારણ હોય તેને જ તે ઈન્દ્રિયમાં પ્રક (=સૂયસ્તવ) હોય અને બીજા ભૂતદ્રવ્યો તે ઈન્દ્રિયમાં હોવા છતાં તેમનો પ્રકર્ષ ન હોય. વળી, પૃથ્વીમાં ગંધને પ્રકપ હોય છે, જળમાં રસને, તેજમાં રૂપને અને વાયુમાં સ્પર્શને. તેથી ઘાણેન્દ્રિય
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy