________________
૪૫૮
દર્શને
સંપ્લવ માનતા નથી અર્થાત બધાં જ પ્રમાણે બધા વિષયમાં પ્રવૃત્ત થઈ શકે છે એવું સ્વીકારતા નથી; તેમને મતે કેટલાક વિષય એવા છે જે અમુક જ પ્રમાણથી ગૃહીત થઈ શકે છે, બીજા પ્રમાણથી નહિ.૩૩ તેથી એકથી વધુ પ્રમાણ માનવાં જરૂરી છે.
પ્રમાતા, પ્રમાણ, પ્રમેય અને પ્રમિતિ : (૧) પ્રમિતિ (Knowledge) –પ્રમિતિ એટલે પ્રમા, યથાર્થ અનુભવ. પ્રમિતિ જ આપણી સમર્થ (=સફળ) પ્રવૃત્તિનું કારણ છે. અર્થનું યથાર્થ જ્ઞાન થાય તે જ આપણને ખબર પડે કે તે હેય છે કે ઉપાદેય છે. એટલે જ ન્યાયદર્શન કહે છે કે દુ:ખમુક્તિનું કારણ જ્ઞાન છે.
(૨) પ્રHTT (Means of Knowledge)-યથાર્થ અનુભવનું પ્રકૃષ્ટ સાધન તે પ્રમાણ છે. પ્રમાણ વિના પ્રમિતિરૂપ ફળ થતું નથી. જાણવાનું સાધન ન હોય તે જ્ઞાન ન જ થાય. સામે ઘડો પડ્યો હોય તે પણ જેને ચક્ષુ ન હોય તેને દેખાય નહિ. જીવની અંદર ઘટજ્ઞાનનો આશ્રય બનવાનું સામર્થ્ય તો છે પરંતુ તે ઘટજ્ઞાનનો આશ્રય બની શકતા નથી જે તેને તે જ્ઞાનોત્પાદક સાધનો ન મળે છે. તેથી જ ચક્ષુરિન્દ્રિયરૂપ સાધન તેને હોય છે તે જ તેને રૂપજ્ઞાન થાય છે, અન્યથા થતું નથી. આમ પ્રમાણનું અત્યન્ત મહત્ત્વ છે.
(3) gara (Subject of Knowledge) – W alldal 24194 (substratum) છે તે પ્રમાતા છે. પ્રમાતામાં જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્રમાતા દ્રવ્ય છે અને જ્ઞાન તેને ગુણ છે. પ્રમાતા નિત્ય છે અને જ્ઞાન ક્ષણિક છે. પ્રમાતારૂપ આધારમાં પ્રતિ ક્ષણ નવું નવું જ્ઞાન ઉત્પન્ન થયા જ કરે છે. પ્રમાતા અને જ્ઞાનનો અભેદ નથી પણ ભેદ છે. જ્ઞાન પ્રમાતામાં સમવાય સંબંધથી રહે છે.
(૪) પ્રમેય (Object of Knowledge) જ્ઞાન હંમેશા કોઈને કઈ વિષયનું હોય છે. નિવિષયક યા શૂન્ય જ્ઞાન સંભવતું નથી. જ્ઞાનના વિષય બે જાતના છે–બાહ્ય અને આન્તર. બાહ્ય વિષયો ઘટ, પેટ, વગેરે. આન્તર વિષયે સુખ, દુ:ખ, વગેરે. જ્ઞાન પોતે પણ વિષય બની શકે છે–અનુવ્યવસાયરૂપ માનસ પ્રત્યક્ષને.
પ્રમાણ દ્વારા પ્રમેયની પ્રમિતિ પ્રમાતાને થાય છે. હું ચક્ષુથી ઘડા દેખું છું – અહીં “હુથી પ્રમાતા સૂચિત થાય છે, દેખું છુંથી ચાક્ષુષ પ્રત્યક્ષજ્ઞાન