________________
ન્યાયદર્શન
૪૫૭
પ્રમાણુ સંપ્લવ-પ્રમાણવ્યવસ્થા એકથી વધુ પ્રમાણો માનના બધા જ દાર્શનિકો સમક્ષ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે—શું એકના એક વિષયમાં એકથી વધુ પ્રમાણે પ્રવૃત્ત થઈ શકે ? અર્થાત , પ્રમાણોને સમાન વિષય હોઈ શકે ! કે દરેક પ્રમાણને પિતાને નિયત વિધ્ય જ હોય ? એક જ વિષયમાં અનેક પ્રમાણોનું પ્રવૃત્ત થવું તે પ્રમાણસંપ્લવ કહેવાય છે; એક જ વિષયમાં અનેક પ્રમાણોનું પ્રવૃત્ત ન થવું પરંતુ પિતાના નિયત વિષયમાં જ તે તે પ્રમાણનું પ્રવૃત્ત થવું તેને પ્રમાણવ્યવસ્થા કહેવામાં આવે છે. વાસ્યાયન પ્રમાણસંપ્લવ અને પ્રમાણવ્યવસ્થા બંનેને સ્વીકાર કરે છે. તેમને મતે કેટલાક વિષયો એવા છે જેમનામાં બધાં જ પ્રમાણે પ્રવૃત્ત થઈ શકે છે, જ્યારે કેટલાક વિષયો એવા છે જેમનામાં એક એક પ્રમાણ જ પ્રવૃત્ત થઈ શકે છે. પ્રથમ પ્રકારના વિષયોનાં ઉદાહરણો આત્મા અને અગ્નિ છે. ત્યાં અગ્નિ છે એવા વિશ્વાસુ વ્યક્તિના વચન (=શબ્દપ્રમાણ) દ્વારા અગ્નિનું જ્ઞાન થાય છે, ધૂમાડા જોઈ અનુમાન દ્વારા પણ અગ્નિનું જ્ઞાન થાય છે અને ત્યાં જઈ આંખથી દેખીને (ચાક્ષુષ પ્રત્યક્ષ દ્વારા) પણ અગ્નિનું જ્ઞાન થાય છે. બીજા પ્રકારના વિષયનાં ઉદાહરણો સ્વર્ગવીજળીના-કડાકાનો-હેતુ, સ્વહસ્ત, વગેરે છે. સ્વર્ગનું જ્ઞાન શબ્દપ્રમાણથી જ થાય છે. વીજળીનો કડાકો સંભળાતાં તેના હેતુનું જ્ઞાન અનુમાનથી જ થાય છે; જ્યારે વીજળીના કડાકાનો અવાજ કાને પહોંચે છે ત્યારે વીજળી હોતી નથી. સ્વહસ્ત પ્રત્યક્ષનો જ વિષય છે.૨૯ ઉદ્યોતકર પણ પ્રમાણસંપ્લવ અને પ્રમાણવ્યવસ્થા બંને સ્વીકારે છે. તે કહે છે કે કેવળ આંખ જ રૂપને જાણે છે, કેવળ કાન જ શબ્દ સાંભળે છે, વગેરે વગેરે તેમ છતાં બધી જ ઇન્દ્રિય સત્તા સામાન્ય અને ગુણવસામાન્યને જાણે છે. વળી, તે જણાવે છે કે કેવળ ચક્ષુ રૂપને ગ્રહણ કરે છે અને ચામડી સ્પર્શને ગ્રહણ કરે છે તેમ છતાં તે બંને પૃથ્વી આદિ સ્થૂળ દ્રવ્યોને ગ્રહણ કરે છે.૩૦ ' અહીં કોઈ શંકા ઊઠાવે છે કે એક જ વિષયને એક કરતાં વધુ પ્રમાણો ગ્રહણ કરી શકે છે એમ માનીએ તે એક કરતાં વધુ પ્રમાણે માનવાં જ વ્યર્થ છે. એક પ્રમાણે ગ્રહણ કરેલા વિષયને જ બીજું પ્રમાણ ગ્રહણ કરતું હોય તે તે બીજા પ્રમાણનો ઉપયોગ શો ?૩૧ આના ઉત્તરમાં ઉદ્યોતકર જણાવે છે કે જ્યારે એક પ્રમાણે ગ્રહણ કરેલા વિષયને બીજું પ્રમાણ ગ્રહણ કરે છે ત્યારે તે તે જ વિષયને ગ્રહણ કરતું હોવા છતાં તે તેનું વિશિષ્ટ રીતે ગ્રહણ કરે છે. પ્રત્યક્ષ જે વિષયને ઇન્દ્રિયસમ્બદ્ધ જાણે છે અનુમાન તે જ વિષયને ઈન્દ્રિયાસંબંદ્ધ જાણે છે. વધુમાં તે જણાવે છે કે નૈયાયિકે કેવળ