________________
૪૫૪
ષગ્દર્શન
બધા અનુભવે સ્વરૂપથી જ યથા નથી કે બધા જ અનુભવે! સ્વરૂપથી જ અયથાર્થ નથી. પંડિતાની ભાષામાં કહીએ તેા, ઉત્પત્તિની બાબતમાં જ્ઞાનનું પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંને તૈયાયિકાને મતે પરતઃ છે. તૈયાયિકાના આ મત ખૂબ પ્રાચીન છે અને કણાદનાં વૈશેષિકસૂત્રોમાં પણ તેના સ્વીકાર છે.૧૨
અનુભવગત યથાતા કે અયથા તાનું જ્ઞાન કેવી રીતે થાય છે ?
અનુભવ થયા પછી આપણે અનુભવને આધારે પ્રવૃત્તિ કરીએ છીએ. તે પ્રવૃત્તિ જો સફળ થાય છે તેા આપણને ભાન થાય છે કે આપણને થયેલા અનુભવ યથાર્થ હતા, અને તે પ્રવૃત્તિ જો સફળ નથી થતી તે આપણને ભાન થાય છે કે આપણને થયેલા અનુભવ અયથાર્થ હતા. સફળ કે વિકળ પ્રવૃત્તિરૂપ ફળને બળે આપણે અનુમાન કરી જાણીએ છીએ કે તે પ્રવૃત્તિના જનક અનુભવ યથાર્થ હતા કે અયથા'. આપણે દૂર પાણીનું દર્શીન (=અનુભવ) કર્યું. પછી પાણી ભરી લાવવા ત્યાં ગયા. પરંતુ ત્યાં તેા પાણી હતું જ નહિ. પાણી ભરી લાવવાની આપણી પ્રવૃત્તિ વિકળ થઈ. આપણને ભાન થયું કે આપણને પાણીને જે અનુભવ થયેલા—જેને આધારે કરેલી પ્રવૃત્તિ વિકળ થઈ તે અયથાથ હતા. પરંતુ જો આપણને ત્યાં પાણી મળ્યું હેાત અને પ્રવૃત્તિ સફળ થઈ હાત તે આપણને ભાન થાત કે આપણને પાણીના જે અનુભવ થયેલા—જેને આધારે કરેલી પ્રવૃત્તિ સફળ બની—તે યથાથ હતા; અને આપણી સાથે કાઈ હાત તે! આપણે તેને કહેત પણ ખરા જો હું ને’તે કહેતા કે અહીં પાણી છે.' આમ અનુભવ ઉત્પન્ન થતાંની સાથે જ તદ્ગત યથા'તા કે અયથાર્થતાનું જ્ઞાન આપણને થતું નથી. યથાર્થ અનુભવની યથાર્થતા સ્વત: જ્ઞાત થતી નથી (self-evident નથી) પરંતુ સફળ પ્રવૃત્તિ ઉપરથી અનુમિત થાય છે;૧૩ તેવી જ રીતે, અયથાથ અનુભવની અયથાતા સ્વતઃ જ્ઞાત થતી નથી પરંતુ વિકળ પ્રવૃત્તિ ઉપરથી અનુમિત થાય છે. પોંડિતેાની ભાષામાં કહીએ તા, પ્તિની બાબતમાં તૈયાયિકાને મતે જ્ઞાનનુ પ્રામાણ્ય અને અપ્રામાણ્ય અને પરત: છે.૧૪
અનુભવરૂપ જ્ઞાનનુ' જ્ઞાન કેવી રીતે થાય ?
નૈયાયિકને મતે આ ઘટ છે’એવા ચાક્ષુષ અનુભવ થાય છે ત્યારે તે અનુભવમાં તે અનુભવનું જ્ઞાન નથી ભાસતું. પરંતુ આ ચાક્ષુષ અનુભવ પછી, જો જ્ઞાતા ઇચ્છે તેા, છઠ્ઠી ઇન્દ્રિય મન દ્વારા ચાક્ષુષ અનુભવનું માનસ પ્રત્યક્ષ