________________
ન્યાયન
૪૫૫
થાય છે. આ માનસ પ્રત્યક્ષને અનુવ્યવસાય કહેવામાં આવે છે. આમ અનુભવરૂપ જ્ઞાન જો કે ઉત્પન્ન થતાંની સાથે જ સ્વયં પ્રકાશમાન નથી—સ્વયં જ્ઞાત નથી તે। પણ પછીની ક્ષણે તેનુ પુન દ્વારા પ્રત્યક્ષ થઈ શકે છે. અનુભવ પાતે પેાતાના અનુભવ કરતા નથી પરંતુ માનસ પ્રત્યક્ષરૂપ બીજા અનુભવથી તે ગૃહીત થઈ શકે છે. ૧૫
ખાદ્યા ના અનુભવ પ્રત્યક્ષરૂપ હાય, અનુમિતિરૂપ હાય, ઉપમિતિરૂપ હાય, કે શાબ્દરૂપ હેય તે અનુભવના અનુભવ તા અનુવ્યવસાયરૂપ પ્રત્યક્ષથી જ થઈ શકે. અરે, સ્મૃતિ વગેરે નાનાને અનુભવ પણ અનુવ્યવસાયરૂપ પ્રત્યક્ષથી જ થઈ શકે. કાઈ પણ પ્રકારનું જ્ઞાન કેમ ન હોય તે પાતે પેાતાને જાણતું જ નથી; તેનું જ્ઞાન તેા તેની અવ્યવહિત ઉત્તર ક્ષણે, નાતા ઈચ્છે તા, માનસ પ્રત્યક્ષથી થાય છે.
અનુવ્યવસાય દ્વારા અનુભવ જ જ્ઞાત થાય છે, તદ્ગત યથાતા યા અયથાતા જ્ઞાત થતી નથી; યથાતા કે અયથાતા તે। સફળ કે વિફળ પ્રવૃત્તિ ઉપરથી અનુમિત થાય છે.
ખાદ્યાનું જ્ઞાન (વ્યથાથ અનુભવ) થવા માટે તે જ્ઞાનનું જ્ઞાન જરૂરી નથી. ખાદ્યા જ્ઞાન પોતે અજ્ઞાત રહીને જ પોતાના વિષયનું જ્ઞાન કરાવે છે. ખાદ્યાનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે તે જ્ઞાનનું જ્ઞાન થતું જ નથી. જે પેાતાને ન ાણે તે બીજાને કેવી રીતે જાણી શકે? —આ પ્રશ્ન જ ખોટા છે. જ્ઞાનને સ્વભાવ વિષયને જ જાણવાના છે, પેાતાને જાણવાના છે જ નહિ.૧૬ માનસ પ્રત્યક્ષ જ્યારે પૂંવતી જ્ઞાનને જાણે છે ત્યારે તે પૂવતી જ્ઞાન તેને વિષય છે; માનસ પ્રત્યક્ષ પાતે પેાતાને જાણતું નથી.
માનસ પ્રત્યક્ષરૂપ અનુભવ(=અનુવ્યવસાય)નેય અનુભવ ઉત્તર કાલીન માનસ પ્રત્યક્ષથી સંભવે છે. અનુવ્યવસાયને અનુવ્યવસાય માનતાં ન્યાયપક્ષને કેાઈ બાધા આવતી નથી. અનુવ્યવસાયના અનુવ્યવસાયની ધારા પ્રમાતા જ્યાં સુધી ઇચ્છેિ ત્યાં સુધી, પ્રમાતા જ્યાં સુધી થાકે નહિ ત્યાં સુધી કે અન્ય વિષયનુ જ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ચાલી શકે.
પ્રમાણેાની સંખ્યા
આપણે જોઈ ગયા કે યથા અનુભવનું જે સાધકતમ કારણ. છે તેને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાણની સંખ્યા પરત્વે ભારતીય દાર્શનિકેામાં મત