________________
ન્યાયદર્શન
૪૫૩
પ્રથમ મત ધરાવતા નયાયિકે ઇન્દ્રિયના વ્યાપારને (=સનિકને) સાધક્તમ કારણ ગણે છે જ્યારે બીજો મત ધરાવતા નૌયાયિકે તે સનિકર્ષરૂપ વ્યાપારવાળી ઇન્દ્રિયને સાધકતમ કારણ ગણે છે. અલબત્ત, વ્યાપારને અસાધારણ કારણ માનનારાય વ્યાપારવતને ગૌણરૂપે અસાધારણ કારણ ગણે છે.
પ્રમાતા કે પ્રમાતાનો વ્યાપાર સાધકતમ કારણ નથી કારણ કે તે તે ઇન્દ્રિય આદિ કારકોને યથાર્થ અનુભવની ઉત્પત્તિ કરવા પ્રેરે છે, એટલે યથાર્થ અનુભવનું છે કે તેને વ્યાપાર સાક્ષાત કારણ નથી.
જયંત ભટ્ટ તે જે કારણોથી યથાર્થ અનુભવ ઉત્પન્ન થાય છે તે કારણાની સામગ્રીને જ સાધતમ કારણ ગણી પ્રમાણપદે સ્થાપે છે. આ સામગ્રીની અંદર પ્રમાતા, પ્રમેય અને યથાસંભવ ઇન્દ્રિય, મન, વગેરેનો સમાવેશ થતા હોઈ તેને બધાબોધસ્વભાવવાળી તેમણે વર્ણવી છે. સામગ્રી તદન્તર્ગત કારકોની અપેક્ષાએ સાધકતમ છે.
આમ યથાર્થ અનુભવ(=પ્રમા)નું જે સાધકતમ કારણ છે તેને પ્રમાણ ગણવામાં આવ્યું છે. આ યથાર્થ અનુભવને પ્રમાણનું ફળ કહેવામાં આવે છે. કારણ અને કાર્યને અત્યન્ત ભેદ માનતા હોઈ નીયાયિકે એ પ્રમાણ-ફળનો પણ અત્યન્ત ભેદ માને છે.૧૦ •
આપણા બધા જ અનુભવો યથાર્થ કેમ નથી ? આપણા બધા જ અનુભવો યથાર્થ નથી હોતા તેનું કારણ એ છે કે અનુભવ ઉત્પન્ન કરનાર જે કારણે છે તે જ કારણે અનુભવગત યથાર્થતાના ઉત્પાદક નથી. જે અનુભવને ઉત્પન્ન કરનાર કારણે જ તર્ગત યથાર્થતાને ઉત્પન્ન કરતાં હતા તે બધા જ અનુભવો યથાર્થ ઉત્પન્ન થાત. અનુભવનાં ઉત્પાદક કારણોમાં ગુણ હોય તે અનુભવમાં યથાર્થતા ઉત્પન્ન થાય છે અને અનુભવનાં ઉત્પાદક કારણેમાં દોષ હોય તો અનુભવમાં અયથાર્થતા ઉત્પન્ન થાય છે. આમ અનુભવની યથાર્થતા અનુભવનાં કારણેથી જન્ય નથી પરંતુ તે કારણગત ગુણોથી જન્ય છે, અને અનુભવની અયથાર્થતા પણ અનુભવનાં કારણોથી જન્ય નથી પરંતુ તે કારણગત દોષથી જન્ય છે. જે શંખ વેત છે તેને વિશે “શંખ પીળો છે એવું અયથાર્થ જ્ઞાન (=અનુભવ) થાય છે કારણ કે આંખમાં પીળીયાને દોષ છે. જેની આંખ તંદુરસ્ત અને તેજસ્વી છે તેને તે શંખને વિશે “શંખ શ્વેત છે એવો યથાર્થ અનુભવ થાય છે.૧૧ આમ