SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદ ન ૨૯ ઘટતા નથી એટલે એકા પ્રતિસ ધાનજ્ઞાનના વિષય સમુદાય છે એમ વિરાધી કયે માઢે કહી શકે ? આમ ગુણાને અમેદ કે ગુણાના સમુદાય એકા પ્રતિસ ધાનજ્ઞાનનેા વિષય ઘટી શકતા ન હેાઈ આપણા માટે તેના વિષય તરીકે દ્રવ્યને માન્યા વિના કાઈ છૂટકો નથી. (૭) રૂપ, વગેરે ગુણાથી જ બધાં પ્રયાજના યા અક્રિયાએ સધાતી હાઇ તેમનાથી અતિરિક્ત દ્રવ્ય માનવાની જરૂર નથી એમ કહેવું ખરાબર નથી, કારણ કે આ જ તર્કના ઉપયેગ કરી વિરોધીને પૂછી શકાય કે દ્રવ્યથી બધાં પ્રયેાજને યા અક્રિયાએ સધાતી હાઈ દ્રવ્યથી અતિરિક્ત ગુણા માનવાની શી જરૂર ? આ આપત્તિમાંથી માર્ગ કાઢવા વિરેધી જણાવે છે કે ગુણા તેા માનવા પડશે કારણ કે ગુણાની ઉપલબ્ધિ (=અનુભવ, પ્રતીતિ) આપણને થાય છે. ઉદયન વિરેશધીને કહે છે કે ગુણાની જેમ દ્રવ્યની ઉપલબ્ધિ પણ દરેકને થાય છે, એટલે દ્રવ્યની ઉપલબ્ધિને આધારે દ્રવ્યને પણ માનવું જ જોઈ એ. વિરાધી આની સામે જણાવે છે કે દ્રવ્યની ઉપલબ્ધિ ગુણાની ઉપલબ્ધિ સાથે જ થાય છે—અર્થાત્ ગુણાની ઉપલબ્ધિ વિના દ્રવ્યની ઉપલબ્ધિ થતી નથી—એટલે દ્રવ્યને ગુણાથી ભિન્ન ગણી શકાય નહિ. ઉયન આ વાતને સ્વીકાર નથી કરતા. તે જણાવે છે કે ગુણાની ઉપલબ્ધિ વિનાય દ્રવ્યની ઉપલબ્ધિ સભવે છે. ઉદાહરણા, જ્યારે આપણને પીત શંખનું ભ્રાન્ત જ્ઞાન થાય છે ત્યારે શ્વેતરૂપની ઉપલબ્ધિ હાતી નથી પણ શંખની ઉપલબ્ધિ તા હોય છે. આ આપત્તિ ટાળવા વિરોધી કહે છે કે પ્રસ્તુત દૃષ્ટાંતમાં શંખની નહિ પણ શંખસદશ અલીક વસ્તુની ઉપલા’હાય છે. અલીક વસ્તુની પણ ઉપલબ્ધિ યા પ્રતીતિ થઈ શકે છે; અમુક નેત્રરોગવાળી વ્યક્તિને અલીક તૈમિરિકકેશની ઉપલબ્ધિ થાય છે. આવી દલીલ સાંભળી ઉયન જણાવે છે, “વાહ વિરાધીને દ્રવ્યદ્વેષ ! સ્પર્શી તેમ જ બીજી વ્યાવહારિક ક્રિયાઓ દ્વારા શંખદ્રવ્યની ઉપલબ્ધિ છે જ, માત્ર તેના શ્વેતગુણની ઉપલબ્ધિ નથી.”૧૯ આની વિરુદ્ધ વિરેશધીનુ કહેવુ છે કે શ્વેતગુણયુક્ત હાવું તે શંખ હેાવાની અનિવાય શરત છે અને તેથી શ્વેતગુણના અભાવમાં શંખને અભાવ આપેાઆપ ફલિત થાય છે. ઉદયનાચાય જણાવે છે કે દ્રવ્ય અને ગુણ વચ્ચે આવેા વ્યાપ્તિસંબંધ માનવામાં તેમને વાંધેા નથી. ‘જ્યાં જ્યાં શંખ હાય છે ત્યાં ત્યાં શ્વેતગુણ હોય છે અને જ્યાં જ્યાં શ્વેતગુણ નથી હોતા ત્યાં શંખ નથી તે’ આવેા વ્યાપ્તિસબંધ શું ખદ્રવ્ય અને તેના શ્વેતગુણ વચ્ચે માનવામાં ઉદયનાચાય ને કંઈ વાંધા નથી. પરંતુ તે વિરાધીને જણાવે છે કે દ્રવ્ય અને ગુણ વચ્ચે વ્યાપ્તિસબંધ છે પણ દ્રવ્યની ઉપ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy