SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ષદ ન માનવું પણ ધટતું નથી. રૂપ અને સ્પર્શી એ ગુણાનું એક કાળે હાવું કેાઈ પ્રમાણથી સિદ્ધ થતું નથી. રૂપ અને સ્પર્શીનું ગ્રહણ એક કાળે અર્થાત્ યુગપત્ થતું નથી પણ ક્રમથી થાય છે. માની લે કે તેમનું ગ્રહણ યુગપ ્ થાય છે પણ તેટલા માત્રથી તેમને એક સમુદાય ન મનાય. ઊંટ અને ગધેડા અને એક કાળે ગૃહીત થાય છે એટલે તેમને એક સમુદાય માનશે ? વિધીને મતે ઊંટ અને ગધેડા બને રૂપ વગેરે ગુણા જ છે; એ બધા ગુણેાના યુગપદ્ ગ્રહણથી તેમના એક જ સમુદાય માનવા પડે. પણ આ વાત વિરાધીને ઈષ્ટ નથી. તેથી, તે બચાવ કરે છે કે ઊંટગુણા અને ગધેડાગ્રાના એક સમુદાય નહિ અને કારણ કે તે બંનેના ભેદનું ગ્રહણ આપણને હોય છે. જો એ વસ્તુઓના ભેદનુ અગ્રહણ હાય અને સાથે સાથે તે બે વસ્તુએ યુગપદ્ ગૃહીત થતી હોય તે જ તેમને એક સમુદાય ગણાય. આની વિરુદ્ધ ઉદયન જણાવે છે કે એમ તે રૂપ અને સ્પના ભેદનું અગ્રહણ નહિ પણ ગ્રહણ છે એટલે તેમનું યુગપદ્ ગ્રહણ માનીએ તેા પણ . તેમનેા સમુદાય નહિ મનાય. આથી ગુણેાનું એક કાળે હેવું તે તેમને સમુદાય છે એવા મત પણ ઘટતા નથી. આમ બીજો વિકલ્પ પણ ઘટતા નથી.૧૫ () ગુણાનુ` એક સમાન કાય છે તેથી તેમના સમુદાય છે.એમ કહેવું બરાબર નથી, કારણ કે તેમનું એક સમાન કાર્ય નથી. રૂપનુ ં કાય અને સ્પનુ કાય` એક જ નથી. રૂપનું કાય જુદું છે, સ્પનું કાય જુદું છે. જો કહેવામાં આવે કે તેમનું પ્રયાજન એક હાવાથી તેમનેા સમુદાય ગણાય, તે તે પણ ખરાબર નથી. ઉદકાહરણરૂપ પ્રયાજન જેમ રૂપનું છે તેમ સ્પ`તુ પણ છે એમ વિરાધી કહેવા માગે છે. પણ આ વાત ચોગ્ય નથી, કારણ કે વિરેધીને ' મતે ઉદક જેવું કાઈ દ્રવ્ય નથી; ઉદક એ રૂપ, વગેરે ગુણેા જ છે. એટલે રૂપ યા સ્પર્શે એક એક ગુણ પેાતાનામાં અનેક ગુણાને કેવી રીતે ધારણ કરી શકે ? જો વિરાધી કહે કે રૂપ અને સ્પર્શીતા સમુદાય અનેક ગુણાને ધારણ કરે છે, અથવા તે રૂપ અને સ્પર્શે પેાતે ગુણેાના સમુદાયને ધારણ કરે છે તેા ઉદયન તેનું ધ્યાન ખેંચે છે કે સમુદાય પેાતે હજુ પુરવાર થયા નથી એટલે એના ઉપયેાગ કરી પ્રસ્તુત સમસ્યાના ઉકેલ ન લાવી શકાય. આમ ત્રીજો વિકલ્પ પણ ઘટતા નથી.૧૬ (૪) ગુણાનું એક સમાન કારણ હોવું તે તેમનું સમુદાયત્વ છે એમ માનવું પણ યોગ્ય નથી કારણ કે દરેક ગુણને પાતપેાતાનું આગવુ કારણ હોય છે. રૂપનુ કારણ રૂપ છે અને સ્પર્શીનું કારણ સ્પ છે. આમ ચોથા વિકલ્પ પણ ઘટતા નથી.૧૭ શકય ચારેય વિકા ઘટતા ન હેાઈ ગુણાના સમુદાય માનવા માટે કેાઈ નિમિત્ત ઘટતું નથી. હવે જો નિમિત્ત વિના સમુદાયના વ્યવહાર થાય છે એમ માનીએ તે તે સત્ર સમુદાય માનવાની આપત્તિ આવે.૧૮ ગુાના સમુદાય જ વિરોધીના મતમાં
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy