SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ પદર્શન વિસ્તૃત થવા લાગ્યું ત્યારે “અનુમાનવિદ્યાએક સ્વતંત્ર શાસ્ત્ર બની ગયું, અને પૂર્વમીમાંસા માટે વપરાતે “ન્યાયશબ્દ આ નવા શાસ્ત્ર માટે વપરાવા લાગે. તેમ છતાં “ન્યાયશબ્દનો પ્રયોગ એના પુરાણું અર્થ માં પૂર્વમીમાંસા-પરંપરામાં ચાલુ જ રહ્યો. સ્વતન્ત્ર વિદ્યા તરીકે અસ્તિત્વમાં આવેલી અનુમાનવિદ્યા કેવળ અનુમાનમાં (કે પ્રમાણુમીમાંસામાં) જ સીમિત ન રહી, કારણ કે પ્રત્યેક દર્શન માટે એ આવશ્યક છે કે તે પોતે ભલે દર્શનના એક અંગ ઉપર વિશેષ ધ્યાન આપે છતાં તેણે બીજા અંગેનો પણ વિચાર કરવો જોઈએ. તેથી ન્યાયદર્શને પોતાનો પ્રમેયભાગ વૈશેષિકદર્શનમાંથી લીધો. જો કે તેનો મુખ્ય વિષય અનુમાન છે, છતાં સાથે સાથે આત્મા, સુખ, દુઃખ, મોક્ષ, ઈશ્વર, વગેરે તનું પણ નિરૂપણ તેણે કર્યું છે. આમ સર્વાગપૂર્ણ ન્યાયદર્શન બની ગયું. ન્યાયશાનું પ્રજન ન્યાયશાસ્ત્રનું પ્રયોજન વસ્તુનું યથાર્થ જ્ઞાન કરાવનાર પ્રમાણેનું સ્વરુપ વિચારવાનું, પ્રમાણોના પ્રામાણની પરીક્ષા કરવાનું, પ્રમાણનું મહત્ત્વ પ્રસ્થાપિત કરવાનું અને પ્રમાણ દ્વારા તેનું જ્ઞાન કરાવવાનું અને છેવટે મેક્ષનું સાધન બનવાનું છે. ન્યાયશાસ્ત્રના પ્રમાણ વગેરે સેળ પદાર્થોના ખરા સ્વરૂપનું જ્ઞાન નિઃશ્રેયસનું વિધાયક છે. ૮ આમ ન્યાયશાસ્ત્રનું અન્તિમ ધ્યેય તે મોક્ષ છે. ન્યાયશાસ્ત્રની રચના અને અધ્યયન મુક્તિ માટે છે. શાસ્ત્રાર્થમાં કૌશલ સંપાદન કરવા માટે જરૂરી અંગેનું નિરૂપણ કરવું એ પણ ન્યાયશાસ્ત્રનું પ્રયોજન છે. એટલે જ ન્યાયશાસ્ત્ર જપ, વિતંડા, હેવાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાનને વિસ્તારથી વિચાર કરે છે. ન્યાયશાસ્ત્રનું મહત્ત્વ કઈ પણ ગ્રંથને સમજવો હોય યા કેઈના વક્તવ્યને સમજવું હોય તે બે શાસ્ત્રનું જ્ઞાન આવશ્યક છે – તે ભાષાના નિયમનું અને તર્કના નિયમોનું જ્ઞાન આવશ્યક છે. આમ વ્યાકરણશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનું અભ્યાસક્રમમાં અત્યા મહત્વ છે. તેથી જ પ્રાચીન સમયથી સંસ્કૃતના અભ્યાસક્રમમાં વ્યાકરણગ્રંથ અને ન્યાયગ્રંથથી વિદ્યાધ્યયન શરૂ કરવાની પરિપાટી ચાલી આવે છે. વ્યાકરણ ભાષાના ઢાંચાને સમજવા જરૂરી છે અને ન્યાય વિચારના ઢાંચાને સમજવા જરૂરી છે. આમ ન્યાયશાસ્ત્ર બધા જ શાસ્ત્રોને સમજવા અત્યંત આવશ્યક છે. એટલે જ વાત્સાયન તેને બધી વિદ્યાઓના પ્રદીપ તરીકે વધાવે છે. ૮ ન્યાયવિદ્યા સર્વ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy