SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન ન્યાયવિદ્યાનો ઉદ્ભવ ભારતીય દાશ`નિક પર ંપરામાં તત્ત્વસાક્ષાત્કાર માટે શ્રવણ અને નિદિધ્યાસન જેટલું જ મહત્ત્વ મનનને આપવામાં આવ્યું છે. આમાં જ ન્યાયવિદ્યાનું મૂળ રહેલું છે. ઉપિનષત્કાળમાં પેાતે કરલા મનનને વિદ્વાના એકબીજાની આગળ યા પરિષદે આગળ રજૂ કરતા. આમ પેાતાને જે પ્રતીતિ થઈ હોય તેને બીજાને ગળે ઊતરે એ રીતે રજૂ કરવાની કળા ઉપનિષદ્કાળમાં ખીલી હતી. આમ તમાંનુકૂલ મનન અને વાદવિદ્યાના પ્રારંભ ઉપનિષત્કાળમાં થયા. ઉપનિષદ્કાળમાં અજાતશત્રુ અને જનકની સભામાં તત્કાલીન અનેક તાર્કિકા ભેગા થતા હતા અને અનેક સમસ્યાઓની આલાચના થતી હતી. તેથી એમ કહી શકાય કે ઉપનિષત્કાળમાં વાદમાં સફળતા માટે અનેક તક પ્રધાન નિયમે। તારવવામાં આવ્યા હશે અને તકવિદ્યાને પ્રારભ થયા હશે. ૪૪૫ શાસ્ત્ર આ તક વિદ્યાને વિકસવા બીજી દિશામાંથી પણ બળ મળ્યું. વાકયા તરીકે પૂર્વમીમાંસા પણ સ્વતંત્ર શાસ્ત્ર તરીકે આકાર લઈ રહ્યું હતું. તેને વાકવાની સમસ્યાઓના ઉકેલ માટે તક વિદ્યાનાં અનેક અંગેાના વિચાર કરવે પડ્યો અને એ રીતે તેણે ન્યાયવિદ્યાના વિકાસમાં મહત્ત્વના ફાળા આપ્યો. ન્યાયશાસ્ત્ર, પૂર્વમીમાંસા અને વૈરોષિકદર્શન ન્યાય’શબ્દને પ્રાચીન પ્રચાગ પૂર્વમીમાંસાને માટે થયેલા મળે છે. આપસ્તમ્ભસૂત્ર(૧૧.૪.૨૦૧૩ તથા ૧૧-૬-૧૪-૧૩)માં ‘ન્યાય’શબ્દના પ્રયોગ પૂર્વમીમાંસાના અમાં થયા છે. પૂર્વમીમાંસાસમ્પ્રદાયના અનેક ગ્રંથાનાં નામેામાં ન્યાય’શબ્દ પૂર્વમીમાંસાના અમાં પ્રયેાજાયા છે. ‘ન્યાયકણિકા’ ‘ન્યાયરત્નમાલા’ વગેરે આનાં ઉદાહરણે છે. એવું લાગે છે કે કોઈ ગ્રન્થના તાપને સ્પષ્ટ કરવા જે નિયમેના પ્રયોગ થતા તે નિયમોને તે કાળે ‘ન્યાય’ કહેવામાં આવતા હશે. વિશેષ દૃષ્ટાન્તાના માટે ન્યાય’શબ્દને પ્રયાગ પણ (જેમ કે કાકતાલીયન્યાય વગેરે માટે) પૂ`મીમાંસા સાથે ન્યાય’શબ્દના સબંધ સૂચવે છે, અનુમાનવિદ્યા સાથે તેને સંબંધ સૂચવતા નથી. કેાઈ વાકયના તાપને સ્પષ્ટ કરવા જે નિયમા હશે તેમાં ‘અનુમાન'નું પણ મહત્ત્વપૂર્ણ` સ્થાન હશે, અને તેથી અનુમાનને મુખ્યપણે ‘ન્યાય’ ગણવામાં આવ્યું હશે. આમ એવું લાગે છે કે બ્રાહ્મણપ્રથાના તાત્પયને નિશ્ચિત કરવા માટે જે નિયમે પૂર્વમીમાંસાએ ઘડ્યા તે નિયમેામાં ‘અનુમાન’ પણ હતું. અન્ય દા`નિક સમ્પ્રદાયાની જેમ પૂર્વ^મીમાંસામાં પણ અનુમાનને પ્રારંભિક વિકાસ થયા હશે. પરંતુ જ્યારે અનુમાનનું નિરૂપણ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy