SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ પડદન સંબંધ જ નથી કારણ કે એનામાં સંબંધનાં લક્ષણો જ નથી. સંબંધનાં લક્ષા છે– (૧) સંબંધ સંબંધીએથી ભિન્ન હોય છે, (ર) સંબંધ ખતે સબંધીઓમાં રહે છે અને (૩ સંબંધ એક હાય છે.૨૨ વિશેષણવિશેષ્યભાવ વિશેષણ અને વિશેષ્યથી ભિન્ન નથી. વિશેષણભાવ વિશેષણથી ભિન્ન નથી અને વિશેષ્યભાવ વિશેષ્યથી ભિન્ન નથી. વિશેષણવિશેષ્યભાવ બંને સબધીઓમાં રહેતા નથી. વિશેષણભાવ વિશેષણમાં રહે છે અને વિશેષ્યભાવ વિશેષ્યમાં રહે છે. વિશેષણવિશેષ્યભાવ ખરેખર એક નથી પણ એ છે—વિશેષણભાવ અને વિશેષ્યભાવ; અલબત્ત, તેભે સાથે સાથે છે. આમ પ્રત્યક્ષને આધાર સન્નિક જ અભાવની બાબતમાં અશકય છે. અભાવને રૂપ નથી એટલે તે ચાક્ષુષપ્રત્યક્ષશ્રાદ્ય નથી એ આક્ષેપના ઉત્તરમાં જયંત જણાવે છે કે ચક્ષુજન્ય જ્ઞાનના વિષય હોવા ઉપર વિષયની ચાક્ષુષપ્રત્યક્ષતાના આધાર છે અને નહિ કે તેની રૂપવત્તા ઉપર; અણુએ રૂપ ધરાવતા હેવા છતાં ચાક્ષુષપ્રત્યક્ષશ્રાદ્ય નથી.૨૩ અણુએ રૂપ ધરાવતા હાવા છતાં ચાક્ષુષપ્રત્યક્ષગ્રાહ્ય નથી કારણ કે તેમનું રૂપ અનુભૂત (unmanifest) છે એ ન્યાય-વૈશેષિક માન્યતાને જય'તે અહીં મીમાંસક આક્ષેપને સામને કરવા વિકૃત કરી રજૂ કરી છે. ઇન્દ્રિય વિષયની સાથે સંબંધમાં આવ્યા વિના – વિષયે પહોંચ્યા વિના વિષયનું જ્ઞાન કરાવતો નથી અર્થાત્ ઇન્દ્રિયા પ્રાપ્યકારી છે એ ન્યાયવૈશેષિક સ્થાપિત સિદ્ધાન્તને ત્યાગ કરીને સન્નિષ અભાવની ખાબતમાં સંભવતા નથી એવા મીમાંસક આક્ષેપને દૂર કરવા જયંત પ્રયત્ન કરે છે. જયત કહે છે કે ઇન્દ્રિય પાતાના વિષયની સાથે સન્નિષ પામીને અર્થાત્ વિષયે પહોંચીને જ વિક્રયનું જ્ઞાન કરાવે છે એ ન્યાયવૈશેષિક સિદ્ધાન્ત કેવળ ભાવવસ્તુને જ લાગુ પડે છે, અભાવવસ્તુને લાગુ પડતા નથી. અભાવ ભાવ નહાઈ ને ચક્ષુ તેની સાથે સન્નિક પામ્યા વિના તેનું જ્ઞાન કરાવે છે.૨૪ આમ મીમાંસકાના આપેક્ષને જવાબ જયંત એ આપે છે કે અભાવને રૂપ ન હેાવા છતાં તથા અભાવને ચક્ષુ સાથે સંબંધ ન હોવા છતાં અભાવનું ચાક્ષુષપ્રત્યક્ષ થાય છે. ચાક્ષુષપ્રત્યક્ષની ખાખતમાં સ્વીકૃત એ શરતેાનુ પાલન અભાવના ચાક્ષુષ પ્રત્યક્ષની બાબતમાં થતું નથી એ હકીકત છે. તેથી મીમાંસકાના આક્ષેપને જયંતે આપેલ જવાબ સ ંતેાષપ્રદ નથી. જો કે ન્યાયવૈશેષિક ચિંતા અભાવને પ્રત્યક્ષ ગણે છે તેમ છતાં તે અભાવનું પ્રત્યક્ષજ્ઞાન થવામાં માનસ વ્યાપાર જરૂરી છે એના સ્વીકાર કરે છે. અભાવનું પ્રત્યક્ષજ્ઞાન થવા માટે પ્રતિયેાગીનું સ્મરણ આવશ્યક છે. આને
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy