SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદન ૪૩૩ સ્વીકાર ન્યાયવૈશેષિકા કરે છે. આની સામે કેાઈ આક્ષેપ કરી શકે કે પ્રતિયેાગીના સ્મરણથી ઇન્દ્રિયના વ્યાપાર ખાધા પામતા હોઈ ઇન્દ્રિય અભાવનું જ્ઞાન કરાવવા સમથ નથી, અર્થાત્ અભાવનું જ્ઞાન પ્રત્યક્ષ નથી પણ માનસ છે.૨૫ આ આક્ષેપના ઉત્તરમાં ન્યાયયૈશેષિક જણાવે છે કે સવિકલ્પ પ્રત્યક્ષમાં શબ્દસ્મરણથી ઇન્દ્રિયવ્યાપાર બધા પામતા ન હોય તેા પછી અભાવપ્રત્યક્ષમાં પ્રતિયોગિસ્મરણથી ઇન્દ્રિયવ્યાપાર બાધા કેમ પામે ? આની સામે વિરેધી જણાવે છે કે શબ્દસ્મરણુ વગેરેના સવિકલ્પ પ્રત્યક્ષ સાથે અનુયાગિતાના સંબધ છે અર્થાત્ તે બધાં સવિકલ્પ પ્રત્યક્ષને અનુકૂળ છે, કારણ કે તે બધાં સવિકલ્પ પ્રત્યક્ષનાં પેાતાનાં અંગ છે – હેતુ છે – અને એ તે નિયમ છે કે વસ્તુનાં અંગેા વસ્તુના બાધક બનતાં નથી. પરંતુ ઘટ તેા પ્રતિયેાગી છે – વિરેધી છે. એટલે તે ઘટાભાવનું પ્રત્યક્ષ થવામાં બાધક બને છે. ન્યાયવૈશેષિકે। આવે! આક્ષેપ કરનારને પૂછે છે કે ઘટ કેાના પ્રતિયેાગી છે ? ન્યાયવૈશેષિકા જણાવે છે કે તે ઘટાભાવને પ્રતિયેાગી છે પરંતુ ઘટાભાવઅનુભવને પ્રતિયેાગી નથી. ઘટાભાવઅનુભવની ઉત્પત્તિમાં ઘટનું(પ્રતિયોગીનું) સ્મરણ અંગ છે — હેતુ છે. અભાવને પ્રતિયેણી અભાવના અનુભવને (=પ્રત્યક્ષના) પ્રતિયોગી (=વિરાધી) નથી પણ અનુયાગી છે, અનુકૂળ છે, અંગ છે.૨૬ અભાવનું પ્રત્યક્ષ થવામાં પ્રતિયોગિસ્મરણ ઉપરાત બીજો માનસ વ્યાપાર પણ જરૂરી છે. તે છે ‘ત' નામની તણા. તર્ક ના અથ થાય છે ખીજા બધા વિકાને અ`હીન, અયેાગ્ય દર્શાવી નિ†ય ઉપર આવવાની પ્રક્રિયા. ત પોતે પ્રમાણ નથી પરંતુ પ્રમાણને પેાતાનુ કાય કરવામાં તે સહાયક છે. ન્યાયવૈશેષિકો જણાવે છે કે અભાવનું પ્રત્યક્ષ થાય તે પહેલાં નીચે પ્રમાણે તણા ચાલે છે—જો ઘટ ભૂતલ ઉપર હાત તે! તે પણ ભૂતલની જેમ પ્રત્યક્ષ થાત કારણ કે જે કારણસામગ્રીથી ભૂતલ પ્રત્યક્ષ થવા યેાગ્ય છે તે જ કારણસમગ્રીથી બ્રટ પણ પ્રત્યક્ષ થવા ચેાગ્ય છે; અને ઘટનુ પ્રત્યક્ષ તે અત્યારે અહીં થતુ નથી, માટે તે અત્યારે અહી નથી.૨૭ ન્યાય-વૈશેષિકા માને છે કે ઘટાભાવના જ્ઞાનમાં માનસ વ્યાપાર જરૂરી હોવા છતાં તે માનસ વ્યાપાર કરતાં ઇન્દ્રિયવ્યાપારનું પ્રાબલ્ય હોવાથી તે જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન છે. ભાટ્ટ મીમાંસકે ઇન્દ્રિયવ્યાપારનિરપેક્ષ માનસ જ્ઞાનને જ અભાવનુ ગ્રાહક ગણે છે૨૮ જ્યારે ન્યાય-વૈશેષિકા માનસવ્યાપારસાપેક્ષ ઐન્દ્રિયક જ્ઞાનને જ અભાવનું ગ્રાહક માને છે. ૧. ૨૮
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy