SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ષદ્ધ ન કે રૂપ, વગેરે ગુણા તે બધે જ હેાય છે. માત્ર ગુણા માનવાથી અને દ્રવ્ય નહિ માનવાથી તેા બધે એક સરખું જ્ઞાન યા સંવેદન થશે કારણ કે રૂપ, રસ વગેરે ગુણા તે બધે છે. દ્રવ્ય ન માનનાર વિરોધી આનેા ખુલાસા કરતાં કહે છે કે ઘટસંવેદન, પટસ ંવેદન, વગેરે સ ંવેદનભેદો ભિન્ન ભિન્ન વાસના જાગવાથી થાય છે; ઘટવાસના જાગવાથી ઘટસ ંવેદન થાય છે; પટવાસના જાગવાથી પટસ ંવેદન થાય છે; એટલે ધટસંવેદન, પટસંવેદન, વગેરે સંવેદનભેદોના ખુલાસા વાસનાભેદથી થઈ જતા હાઈ ધટ, પટ, વગેરે બાહ્ય દ્રવ્યો માનવાની કેાઈ આવશ્યકતા નથી. શ્રીધર વિરોધીને જણાવે છે કે નીલસંવેદન, પીતસંવેદન, વગેરે સંવેદનભેદ પણ વાસનાભેદથી જ સમજાવાને, ખાદ્ય નીલ, પીત, વગેરે ગુણો શા માટે માના છે ? જે દલીલથી દ્રવ્યને છેદ ઉડાડા છે તે જ દલીલથી ગુણાને પણ છેદ ઊડી જશે. એ જ તક થી ગુણાની દશા પણ દ્રવ્ય જેવી જ થશે. તેમનુ અસ્તિત્વ પણ જોખમાશે. વિરેાધી ઉત્તર આપે છે કે નીલસ ંવેદન, પીતસંવેદન, વગેરે સંવેદના કાદાચિત્ય છે. અમુક વખતે નીલસ ંવેદન થાય છે, અમુક વખતે પીતસ ંવેદન થાય છે, વગેરે; પ્રત્યેક ક્ષણે અર્થાત્ સદાય નીલસ ંવેદન કે પીતસ ંવેદન થતું રહેતું નથી. જો નીલસ ંવેદન, પીતસંવેદન, વગેરે સ ંવેદના બાહ્ય નીલ, પીત વગેરે ગુણે વિના માત્ર નીલવાસના, પીતવાસના વગેરે વાસનાએના જાગવાથી જ થતાં હાય તે તે એના અથ એ થાય કે વાસનાનું જાગવું નીલ, પીત, વગેરે બાહ્ય ગુણારૂપ કારણાને અધીન નથી પણ માત્ર પેાતાના અનાદિ પ્રવાહને જ અધીન છે, પરિણામે તે વાસના પ્રત્યેક ક્ષણે જાગતી જ રહેવાની અને નીલસ વેદન, પીતસંવેદન, વગેરે . સ ંવેદને પ્રત્યેક ક્ષણે થતાં જ રહેવાનાં, તે સંવેદનાનું કાદાચિત્કત્વ નહિ સંભવવાનું. આમ નીલસંવેદન, વગેરે સંવેદનેાનુ કાદાચિત્કત્વ માત્ર વાસનાથી ન ઘટતું હોઈ બાહ્ય નીલ, પીત વગેરે ગુણો સ્વીકાર્યાં છે. શ્રીધર જણાવે છે કે આ જ તર્ક દ્રવ્યની બાબતમાં પણ વિચારવા જોઈ એ. ઘટસંવેદન, પટસંવેદન વગેરે સ ંવેદના કાદાચિત્ક છે અને તેમનુ ં કાદાચિત્કપણું પણ ઘટ, પટ, વગેરે બાહ્ય દ્રવ્યો માન્યા વિના માત્ર વાસનાથી નહિ ઘટે. રૂપ, સ્પર્શ, વગેરે ગુણાથી ભિન્ન બાહ્ય સ્ત ંભદ્રવ્યને સ્તંભવાસનાના ઉદ્દેાધક કારણ તરીકે સ્વીકાર્યાં વિના નહિ ચાલે. વળી, શ્રીધર કહે છે કે ગુણાથી અતિરિક્ત દ્રવ્યને માનીશું તે જ ચક્ષુ અને ક્ અતેથી એક જ વસ્તુ ગૃહીત થાય છે એવી જે સાજનીન પ્રતીતિ છે તે ઘટી શક્શે. રૂપ વગેરે ગુણાને જ માનવાથી તે પ્રતીતિના ખુલાસા નહિ થઈ શકે કારણ કે રૂપ વગેરે ગુણામાંથી પ્રત્યેક એક એક નિયત ઇન્દ્રિયથી જ ગૃહીત થાય છે.૧૨ αγ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy