________________
વૈશેષિકદર્શન
२५
એકાર્થ પ્રતિસંધાનજ્ઞાનથી પુરવાર થાય છે કે ચડ્યું અને ત્વફ આ બે ઈન્ડિયન વિષય એક છે. આ એક વિષય તે દ્રવ્ય છે. આ બે ઇન્દ્રિયના જે આગવા વિષય છે તે તો રૂપગુણ અને રસગુણ છે. ન્યાયશેષિકનો એ સિદ્ધાંત છે કે આ બે ઇન્દ્રિયે પોતાના આગવા વિષયને ગ્રહણ કરવા ઉપરાંત એક સમાન વિષયને પણ ગ્રહણ કરે છે. ચક્ષુઈન્દ્રિયપ્રત્યક્ષ રૂપને ગ્રહણ કરે છે, સ્પર્શનેન્દ્રિય પ્રત્યક્ષ સ્પર્શને ગ્રહણ કરે છે અને વળી તે બેય પ્રત્યક્ષે તે બે ગુણોના આશ્રયરૂપ દ્રવ્યનેય ગ્રહણ કરે છે. આમ ગુણોની જેમ દ્રવ્ય પણ ઇન્દ્રિયપ્રત્યક્ષથી ગૃહીત થાય છે. દ્રવ્યથી દલીલ કરે છે કે રૂપ, રસ, વગેરે ગુણોને સન્નિવેશ યા સંસ્થાન આપણામાં દ્રવ્યની પ્રતીતિ જન્માવે છે, ખરેખર ગુણોથી ભિન્ન દ્રવ્ય છે જ નહિ, દ્રવ્યપ્રતીતિ બ્રાન્ત છે. આની સામે ઉદ્યોતકર જણાવે છે કે સન્નિવેશ યા સંસ્થાનમાં દ્રવ્યની ભ્રાતિ માનવામાંય સંસ્થાન અને દ્રવ્ય બંનેને પ્રસિદ્ધ અર્થાત સત માનવા જ પડે. વળી, તે વિધીને પૂછે છે કે જેને વિધી સંસ્થાન કહે છે તે રૂપ, વગેરે ગુણોથી અભિન્ન છે કે ભિન્ન ? જે સંસ્થાનને ગુણોથી અભિન્ન માનશે તે ઘટપ્રતીતિ, પટપ્રતીતિ વગેરે પ્રતીતિઓમાં જે ભેદ છે તેનો ખુલાસો નહિ થઈ શકે. જે સંસ્થાનને ગુણોથી ભિન્ન માનશો તો બીજા નામે દ્રવ્યને સ્વીકાર કર્યો ગણાશે.
(૩) રૂપ, વગેરે ગુણોથી દ્રવ્ય અભિન્ન છે એમ માનવું અગ્ય છે કારણ કે દ્રવ્ય એક હોય છે અને ગુણો બહુ હોય છે. જે બે વસ્તુઓ જુદા જુદા વચનમાં કહેવાતી હોય તે ભિન્ન હોય છે, જેમ કે “તારાઓ અને ચંદ્ર. જેમ તારાઓમાં બહુત્વ અને ચંદ્રમાં એકત્વ હોઈ તારા અને ચંદ્ર બે ભિન્ન વસ્તુઓ છે તેમ ગુણોમાં બહુત્વ અને દ્રવ્યમાં એકત્વ હેઈ ગુણ અને દ્રવ્ય બે ભિન્ન વસ્તુઓ છે. ૧૦
(૪) દ્રવ્ય ન માનનારની એક મહત્ત્વની દલીલ એ છે કે ગુણના જ્ઞાન વિના દ્રવ્યનું જ્ઞાન થતું નથી એટલે ગુણેથી દ્રવ્ય ભિન્ન નથી. જેનાથી જે અભિન્ન હોય તેના અંગ્રહણે તેનું અગ્રહણ હોય. આના જવાબમાં ઉદ્યોતકર જણાવે છે કે ગુણના ગ્રહણ વિના દ્રવ્યનું ગ્રહણ સંભવે છે. દાખલા તરીકે, શ્વેત સ્ફટિક નીલ પદાર્થના સાનિધ્યમાં નીલ દેખાય છે ત્યારે તેના પિતાને તગુણ ગૃહીત થતો નથી પણ સ્ફટિક તો ગૃહીત થાય છે.
(૫) શ્રીધર કહે છે કે રૂપ, રસ, વગેરે ગુણોથી ભિન્ન દ્રવ્ય જેવી કઈ વસ્તુ નથી એમ માનવું ઠીક નથી. “આ થાંભલો છે, આ ઘડો છે એવાં સંસ્થાનસંવેદનોની ભિન્નતા બાહ્ય થાંભલે, ઘડો વગેરે દ્રવ્યો માન્યા વિના નહિ ઘટે, કારણ