SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ષદ્દે ન ભિન્ન દ્રવ્ય જેવી કેાઈ વસ્તુ અનુભવમાં આવતી નથી. દર્શનશાસ્ત્રની મૂળભૂત સમસ્યાઓમાંની આ એક છે. દ્રવ્યને ન માનનાર દા`નિકા કહે છે કે દ્રવ્ય ગુણાથી ભિન્ન જણાતું તેા નથી અને તેમ છતાં પેાતાની જાતને ગુણાથી ભિન્ન મનાવવા ઇચ્છે છે એ તો વિચિત્ર કહેવાય.પ અનુભવને ચુકાદો એટલા મજબૂત છે કે ઉદ્યોતકર જેવા વૈયાયિક પણ ઘડીભર તો એ વાતને છૂપી રીતે સ્વીકાર કરી લે છે. તે સ્વીકારી લે છે કે દ્રવ્યના અનુભવ નથી થતા. પરંતુ તે જણાવે છે કે કોઈ વસ્તુને અનુભવ ન થવાનાં એ કારણેા હોય છે. એક કારણ તે તે વસ્તુનુ અસ્તિત્વ જ ન હોવું તે છે, જેમ કે શશશંગ. અને ખીજું કારણ તેા તેનું અસ્તિત્વ હોવા છતાં તેના અનુભવ માટે જરૂરી સાધનસામગ્રી ન હોવી તે છે. ઉદ્યોતકર સૂચવવા માગે છે કે દ્રવ્ય અનુભવમાં નથી આવતું તેનુ ં કારણ એ નથી કે તેનું અસ્તિત્વ જ નથી પણ તે છે કે તેના અનુભવ માટે જરૂરી સાધનોનો અભાવ છે. અહીં ઉદ્યોતકર વિરાધીની દલીલથી પ્રભાવિત થઈ ન્યાય-વૈશેષિક સિદ્ધાંતથી વિરુદ્ધ ખેલી ગયા છે. હકીકતમાં ન્યાય-વૈશેષિકનો તે એ સિદ્ધાંત છે કે દ્રવ્ય પણ ઇન્દ્રિયગ્રાહ્ય છે, અનુભવનો વિષય છે. વિરેાધીનું મંતવ્ય છે કે અનુભવનું વિશ્લેષણ નહિં કરે ત્યાં સુધી દ્રવ્ય અનુભવમાં આવે છે એવુ લાગશે પણ જેવું અનુભવનું વિશ્લેષણ કરવા માંડશો તેવું જ દ્રવ્ય તે વિશ્લેષણના તાપથી પેાતાનું અસ્તિત્વ ગુમાવતું જણાશે. વૈશેષિક વિરોધીના તકથી ઢીલા પડતા નથી. તે દૃઢતાથી જણાવે છે કે અનુભવ અને તક ખ’તેનો ચુકાદા ગુણાથી અતિરિક્ત દ્રવ્ય માનવાની તરફેણ કરે છે. માત્ર ગુણો જ છે અને દ્રવ્ય છે જ નહિ એ મતનો બચાવ અનુભવ કે તકથી થઈ શકે તેમ નથી. ગુણાથી અતિરિક્ત દ્રવ્ય છે જ એ પુરવાર કરવા તે નીચેની દલીલેા આપે છે. (૧) ઉદ્યોતકર પોતે જ જણાવે છે કે અનુભવમાં ગુણાથી અતિરિક્ત દ્રવ્યનું ગ્રહણ થાય છે. એક પ્રત્યક્ષગ્રાહ્ય વસ્તુનુ બીજી પ્રત્યક્ષગ્રાહ્ય વસ્તુ સાથે જ્યારે ગ્રહણ થાય છે ત્યારે તે અનુભવને જે શબ્દોમાં ઉતારીએ છીએ તે શબ્દો ગૃહીત થયેલી વસ્તુઓના ભેદ જ હંમેશાં દર્શાવે છે, જેમ કે બ્રાહ્મણનુ કમંડળ”. આ ચંદનને શ્વેત રૂપ, શીત સ્પર્શી, વગેરે છે’ આપણા અનુભવને વર્ણવતું આ વાકય દર્શાવે છે કે આપણા અનુભવમાં શ્વેત રૂપ, વગેરે ગુણાથી અતિરિક્ત ચંદન—દ્રવ્ય ગૃહીત થાય છે.છ (૨) ચક્ષુ અને તક્ આ તૈય ઇન્દ્રિયા એક અને ગ્રહણ કરે છે. આ વાત નીચેની યુક્તિથી પુરવાર થાય છે. જેને મેં જોયું તેને હું અડકવો' એવા
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy