SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 32 રોષિકદન (કિયત્કાલાયી) દ્રવ્યાના એક નાંધપાત્ર સમાનધમ છે – કાય કારણાવિધિત્વ. નિત્ય દ્રવ્યેાને ન તે કઈં કારણ છે કે ન તેા કેાઈ કાય, એટલે એમને વિનાશ કાર્યાં કે કારણથી થતા નથી. અનિત્ય દ્રવ્યોને વિનાશ તેા થાય છે અને એમના વિનાશનાં કારણેા પણ હેાય છે પરંતુ એમને વિનાશ એમના પેાતાનાં કારણેાથી કે કાર્યોથી થતા નથી પણ ખીજી વસ્તુએથી થાય છે.૪ ખીજી રીતે કહીએ તેા કારદ્રવ્ય પેાતાના કા દ્રવ્યને નાશ કરતું નથી અને કાયદ્રવ્ય પાતાના કારણદ્રવ્યના નાશ કરતું નથી. દાખલા તરીકે, તંતુએમાંથી પટ બન્યા છે; તંતુઓ કારદ્રવ્ય યા અવયુવા છે અને પટ કાયદ્રવ્ય યા અવયવી છે; અહી તંતુ પટના નાશ નથી કરતા અને પટ તંતુએનેા નાશ નથી કરતા. આમ કારણુદ્રવ્ય અને તેના કાયદ્રથ વચ્ચે વષ્યધાતકભાવરૂપ વિરેાધ નથી. કારણુદ્રવ્ય અને કાર્ય - દ્રવ્ય—જે વૈશેષિકના મતે એકબીજાથી તદ્દન ભિન્ન છે—એક સાથે એક દેશમાં રહે છે. જે દેશમાં તંતુએ રહે છે તે જ દેશમાં પટ પણ રહે છે. આમ બે ભિન્ન દ્રવ્યો એક કાળે એક જ દેશમાં રહે છે ! ધમધમી ભેદ, અવયવ–અવયવીભેદ તેમ જ કારણ—કાય ભેદના વૈશેષિક સિદ્ધાંતનું આ પરિણામ છે. ૩ વૈશેષિકની દ્રવ્યની માન્યતા ઉપર ચારપાંખીએ હુમલા કરવામાં આવ્યા છે– (૧) એક બાજુથી ગુણાથી ભિન્ન તેમ જ ગુણાના આશ્રયરૂપ દ્રવ્યની માન્યતા ઉપર પ્રહાર થાય છે. (૨) બીજી બાજુથી પરમાણુની માન્યતા ઉપર હુમલા થાય છે. (૩) ત્રીજી બાજુથી કાયદ્રવ્ય યા અવયવીની માન્યતા ઉપર હુમલા થાય છે. અને (૪) ચેાથી બાજુથી દ્રવ્યની નિત્યતા અને સ્થાયિત્વ પર હુમલા થાય છે. આ ચારેય બાજુથી આવતા પ્રહારાને સામનેા વૈશેષિકા (અને નૈયાયિકા) કેવી દૃઢતાથી કરે છે તેનું નિરૂપણ આપણે ક્રમશઃ કરીશું. (૧) ગુણાથી ભિન્ન તેમ જ ગુણેના આશ્રયરૂપ દ્રવ્ય કેટલાક દાશ`નિકા ગુણાથી અતિરિક્ત દ્રવ્યને સ્વીકાર કરતા નથી. તેમને મતે ગુણા જ છે અને દ્રવ્ય નામની કેાઈ ચીજ નથી. આપણે જેને ઘટને અનુભવ ગણીએ છીએ તે ખરેખર અમુક રૂપ, અમુક રસ, અમુક ગંધ, અમુક સ્પ, વગેરે ધર્માંતા યા ગુણાનેા જ અનુભવ છે. સામાન્ય બુદ્ધિને લાગે છે કે અનુભવ આ બધા ગુણાથી ભિન્ન ઘટદ્રવ્યને ગ્રહણ કરે છે. પર ંતુ વિવેચનપ્રધાન બુદ્ધિની આગળ દ્રવ્ય છે કે નહિ તેની સમસ્યા ખડી થાય છે. અનુભવનું વિશ્લેષણ કરતાં એવું કંઈ બાકી રહેતું નથી કે જેને માટે ગુણાથી ભિન્ન દ્રવ્ય માનવું પડે વિવેચનપ્રધાન બુદ્ધિને લાગે છે કે અનુભવમાં તે ગુણા જ આવે છે પણ ગુણાથી
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy