________________
વૈશેષિકદન
૪૧૧
આમ જો એ પદાથેર્યાં ભિન્ન હેાય પણ ભિન્ન ભિન્ન દેશમાં ન હેાય તે તેને અથ એ થાય કે એક ખીજામાં રહે છે. એટલે એવા એ પદાર્થા વચ્ચે વિશિષ્ટ પ્રકારના સંબંધ માનવેા અનિવાય બની જાય છે. આ સંબંધ જ સમવાય છે.૩
અવયવ અને અવયવી, ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાન, તેમ જ નતિ અને જાતિમત્ પરસ્પર સમ્બં‚ અનુભવાય છે; અન્યથા ‘તનુએમાં પટ’, ‘શુકલ પટ', ‘પટ હલે છે’ અને ‘પટ દ્રવ્ય છે’ એવાં જ્ઞાના અને વાકચપ્રયાગા અશકય બની જાય. અહીં વિરાધી જણાવે છે કે ‘શુકલ પટ’ વગેરે ઉદાહરણામાં સામાનાધિકરણ્યજ્ઞાન છે, સબધજ્ઞાન નથી. ન્યાય-વૈશેષિક વિરોધીને પ્રશ્ન પૂછે છે કે આ સામાનાધિકરણ્ય શુ છે ? જો કહા કે તે અભેદ છે તે ખીજી વસ્તુનુ જ્ઞાન અને બ્યપદેશ કેવળ પુનરુતિ બની રહે પરંતુ ખ્રુદ્ધિમાન માણસે તેને પુનરુતિ ગણતા નથી, કારણ કે જોડકાના એક સભ્યને જાણીને તેમને બીજા સભ્યને જાણવાની ઈચ્છા થાય છે. વળી, એક વસ્તુ છે (વસ્તુ) હેાઈ શકે નહિ, કારણ કે દ્વિત્વ એ ભિન્ન આધારામાં રહે છે, દ્વિત્ય અને ભેદના સદા અવિનાભાવસંબંધ છે. તેથી, દ્વિત્વ એકમાં રહે છે એમ માનતાં વિરોધ આવે. તેથી, એ સ્પષ્ટ છે કે શુકલ પટ' વગેરે ઉદાહરણેામાં ખરેખર એ વસ્તુ છે અને તે બે વસ્તુઓ પરસ્પર સમ્મદ છે, પરંતુ તે એના સામાનાધિકરણ્યનુ (તાદાત્મ્યનું) જ્ઞાન થાય છે. તે મેનન વચ્ચે કેાઈ સંબંધ ન હોય તે સામાનાધિકરણ્યનું (તાદાત્મ્યનું) જ્ઞાન આપણને થાય નહિ, જેમ ગાય અને અશ્વના સામાનાધિકરણ્યનું જ્ઞાન આપણને થતું નથી. આ વાચસ્પતિની દલીલ છે.૪
વાચસ્પતિ સામાનાધિકરણ્ય અને વૈયધિકરણ્યને સમજાવે છે. જ્યાં એક વસ્તુ બીજી વસ્તુમાં સમવાયસંબંધથી રહે છે ત્યાં એ વસ્તુઓનું સમાન અધિ કરણ હેાય છે. જ્યાં એ વસ્તુ વચ્ચે સયાગસ બંધ હોય છે ત્યાં એ વસ્તુઓનુ અધિકરણ એક હેતુ નથી પણ તેમનાં અધિકરણા અલગ-અલગ હોય છે. વાચસ્પતિ અનુસાર અવયવ અને અવયવી, દ્રવ્ય અને ગુણ એ સંબદ્ધ વસ્તુઓ જણાય છે અને તે તેનું અધિકરણ એક જ છે એવું જ્ઞાન થવા છતાં તેમને પ્રતીતિભેદ અને વ્યપદેશભેદને આધારે એ ભિન્ન વસ્તુએ ગણવી જોઈ એ. જે ખે વસ્તુઓમાં સામાનાધિકરણ્યનું જ્ઞાન થાય તે છે વસ્તુએ વચ્ચે સમવાયસ ંબંધ માનવે જોઈ એ. સામાનાધિકરણ્યને અર્થ અહીં સ્પષ્ટપણે ‘એક જ દેશમાં અવસ્થાન’ છે. આમ જે વાત જયંતે કહી છે તે જ વાત બીજી રીતે ખીજા. શબ્દોમાં વાચસ્પતિ કહે છે.