SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પડદન (૪) સમવાય અને કાર્યકારણસિદ્ધાના ન્યાય-વૈશેષિકના આત્યંતિક બાઘાર્થવાદને અનુરૂપ ન્યાય-વૈશેષિકને કાર્ય કારણસિદ્ધાન્ત છે. તે સિદ્ધાન્તને આરંભવાદ યા અસત્કાર્યવાદ કહેવામાં આવે છે. તે સિદ્ધાંત અનુસાર કારણ (તંતુઓ) અને કાર્ય (=પટ) બે ભિન્ન દ્રવ્ય છે અને કાર્ય કારણમાં સમવાય સંબંધથી રહે છે. સમવાયસંબંધ જ આ બે ભિન્ન દ્રવ્યોનું એક સમયે એક દેશમાં રહેવું શક્ય બનાવે છે. શ્રીધર કહે છે કે અહીં બે સંબંધીઓ લેઢાના ગળા અને અગ્નિની જેમ એક પિંડ બનીને પ્રતીત થાય છે. આ સંબંધને આધારે જ પ્રધાન કારણને (=ઉપાદાનકારણને) ન્યાય-વૈશેષિક સમવાધિકારણ એવું નામ આપે છે. સમાયિકારણને અર્થ છે ‘જેમાં કાર્ય સમવાય સંબંધથી રહે છે તે'. આમ ન્યાય-વૈશેષિક કાર્યકારણસિદ્ધાન્તનો આધાર સમવાય છે. સમવાય સંબંધને લઈને જ કાર્યનું કારણથી તદ્દન ભિન્ન હેવું, કાર્યનું કારણમાં રહેવું, કાર્ય અને કારણ બે ભિન્ન દ્રવ્યોનું એક કાળે એક દેશમાં રહેવું શક્ય બને છે. સંભવતઃ સમવાયની કલ્પના કાર્ય-કારણના સંદર્ભમાં જ સૌ પ્રથમ ઉભવી હશે. કણાદ પોતે જણાવતા નથી કે ગુણ, કર્મ અને સામાન્ય સમવાય સંબંધથી દ્રવ્યમાં રહે છે. કારણ અને કાર્યને વિશે આ આમાં છે એવી પ્રતીતિ જે જન્માવે છે તે સમવાય છે એવી કણાદની સમવાયની વ્યાખ્યા છે. સમવાય આમ કાર્યકારણના સંબંધને આધારાધેયને સંબંધ બનાવે છે. એમ લાગે છે કે એક વાર કાર્ય-કારણના સંદર્ભમાં સમવાયની સ્થાપના થઈ ગઈ એટલે પછી તેના કાર્યક્ષેત્રને વિસ્તારમાં આવ્યું અને ગુણ, કર્મ તેમ જ સામાન્યને સ્વાશ્રયમાં સમવાય સંબંધથી રહેતાં માનવામાં આવ્યાં અને ઉત્તરકાળે જ્યારે સ્વતંત્ર વિશેષપદાર્થની સ્થાપના સ્થિર થઈ ત્યારે તેને પણ સમવાયસંબંધથી નિત્ય દ્રવ્યોમાં રહેતે માનવામાં આવ્યો. અનિત્ય ગુણો અને કર્મોની બાબતમાં, તેઓ જે દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે તે દ્રવ્યને તેમનું સમાયિકારણ ગણવામાં આવ્યું. (૫) સમવાયને રહેવા માટે અન્ય સંબંધની જરૂર નથી જ્યારે કહેવામાં આવે છે કે “અવયવી તેના અવયવોમાં સમવાય સંબંધથી રહે છે કે ગુણ તેમના આશ્રય દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે ત્યારે તેમાંથી ફલિત થાય છે કે સમવાયે પિતાના બંને સંબંધીમાં રહેવું જોઈએ. પરંતુ ન્યાય-વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર કેવળ આધાર (અર્થાત અવયવો કે દ્રવ્ય) જ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy