________________
પદર્શન (૨) સમવાય અને અયુતસિદ્ધ એવી બે વસ્તુઓ જેમાંથી એકને બીજીથી અલગ કરી ભિન્ન દેશમાં રહેતી ન કરી શકાય તે અયુતસિદ્ધ છે. બીજી રીતે કહીએ તે જે બે વસ્તુઓ એક જ સમયે એક જ દેશમાં રહે છે તે અયુતસિદ્ધ છે. આમાંથી જ ફલિત થાય છે કે જે બે વસ્તુઓને પરસ્પર સંયોગ-વિભાગ થતો નથી તે અયુતસિદ્ધ છે. આવી. બે અયુતસિદ્ધ વસ્તુઓ વચ્ચેનો સંબંધ સમવાય છે. બે અયુતસિદ્ધ વસ્તુઓ વચ્ચે હમેશ આધારાધેયભાવ હોય છે. બે અયુતસિદ્ધ વસ્તુઓમાંની એક આધારરૂપ હોય છે જેમાં બીજી સમવાય સંબંધથી રહે છે. તેથી બે અયુતસિદ્ધ વસ્તુઓની બાબતમાં “આ આમાં છે (ગુણુ દ્રવ્યમાં છે) એવા આકારની પ્રતીતિ થાય છે. જે અયુતસિદ્ધ બે-બે વસ્તુઓ વચ્ચે સમવાયસંબંધ છે તે નીચે પ્રમાણે છે –
(૧) અવયવમાં અવયવી (૨) વ્યકિતમાં જાતિ (૩) ગુણ(=દ્રવ્ય)માં ગુણ (૪) કર્મવત (=દ્રવ્ય)માં કર્મ (૫) નિત્ય દ્રવ્યમાં વિશેષ
સમવાયસંબંધથી રહે છે.
! |
(૩) સમવાયસિદ્ધિ એકબીજાથી કદી અલગ ન હોવાપણું તે અયુતસિદ્ધતા છે. બે પદાર્થોમાં અમૃતસિદ્ધતા હોવી અને સંબંધ હોવો એ બંને એક સાથે કેવી રીતે ઘટે ? અલગ વસ્તુઓ વચ્ચે જ સંબંધ હોય. જે વસ્તુઓ કદીય એકબીજાથી છૂટી પડતી નથી તેમની વચ્ચે સંબંધની વાત કેવી? જે વસ્તુઓ કદીય એકબીજાથી પૃથફ થતી નથી તે તે અભિન્ન હોય, તે પછી કોની કોની સાથે સંબંધ ?
આ આપત્તિને જયંતે આપેલ ઉત્તર મહત્ત્વનો છે. દ્રવ્ય-ગુણ, દ્રવ્ય-કર્મ, દ્રવ્ય-સામાન્ય, ગુણ-સામાન્ય, કર્મ-સામાન્ય, અને અવયવ-અવયવી વચ્ચે ભેદ છે
જ કારણ કે તેમની પ્રતીતિ ભિન્ન છે, પરંતુ તેમના દેશનો ભેદ નથી. આમ દ્રવ્ય અને ગુણની ભિન્ન ભિન્ન પ્રતીતિને આધારે દ્રવ્ય અને ગુણનો ભેદ છે પરંતુ તે બે ભિન્ન ભિન્ન દેશમાં નથી. અવયવો ( કારણ, તંતુઓ) અને અવયવી (=કાર્ય, પટ)ની પ્રતીતિ ભિન્ન ભિન્ન થાય છે એટલે અવયવો અને અવયવી વચ્ચે ભેદ છે પરંતુ અવયવો અને અવયવી ભિન્ન ભિન્ન દેશમાં નથી.