SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદર ષદન જાતિભેદની કલ્પના કરવામાં આવે છે. જેટલી પરવસ્તુ હાય એટલી વ્યાવૃત્તિ એક વસ્તુમાં કલ્પી શકાય છે.૭૬ એટલે જ સામાન્યબુદ્ધિ (એકાકાર સુદ્ધિ)ને વિષય વસ્તુસત્ સામાન્ય નહિ પરંતુ અન્યાપેાહ (=અન્યવ્યાવૃત્તિ) માનવા જોઈ એ. આ બૌદ્ધ માન્યતાને બીજા શબ્દોમાં રજૂ કરીએ. વસ્તુ સ્વલક્ષણ છે, એકબીજાથી અત્યન્ત ભિન્ન છે, દરેકને પેાતાને સ્વભાવ છે, એકના સ્વભાવ ખીજીમાં નથી. આવી વિલક્ષણ વસ્તુઓમાં આપણને અભેદજ્ઞાન થાય છે. જો એ વસ્તુએમાં કાઈ એક ખાદ્ય વસ્તુસત્ સામાન્ય ન હોય તે અભેદજ્ઞાન કેમ થાય ? દરેક વસ્તુ કાઈ તે કોઈ કારણથી ઉત્પન્ન થાય છે અને કાઈ ને કાઈ કાય ઉત્પન્ન કરે છે. જે વસ્તુએમાં તત્કારણવ્યાવૃત્તિ અને અતકાવ્યાવૃત્તિ હાય છે તે વસ્તુઓમાં અનુગત વ્યવહાર થાય છે. ઉદાહરણા, જે વ્યક્તિ મનુષ્યરૂપ કારણથી ઉત્પન્ન થઈ છે અને આગળ ઉપર મનુષ્યરૂપ કાય ઉત્પન્ન કરે છે તે વ્યકિતઓમાં અમનુષ્યકારણવ્યાવૃત્તિ અને અમનુષ્યકાય વ્યાવૃત્તિ છે, અને તે વ્યાવૃત્તિઓને આધારે તે વ્યક્તિઓમાં મનુષ્ય મનુષ્ય’ એવા અનુગત વ્યવહાર કરવામાં આવે છે. આમ મનુષ્યત્વ વિધ્યાત્મક વસ્તુસત્ સામાન્ય નથી, પરંતુ નિષેધાત્મક (=વ્યાત્યાત્મક) કાલ્પનિક સામાન્ય છે. જેવી રીતે ચક્ષુ, આલાક અને રૂપ પરસ્પર અત્યન્ત ભિન્ન વસ્તુ હેાવા છતાં અરૂપજ્ઞાનજનનવ્યાવૃત્તિને કારણે ‘રૂપજ્ઞાનજનક’ એવા સમાન અભિધાનને પામે છે તેવી રીતે બધે જ અતદ્માવૃત્તિથી જ એકાકારપ્રતીતિ અને સમાનાભિધાન થાય છે. આમ શબ્દને વાચ્ય પણ અપેાહ છે, અપેાહરૂપ સામાન્ય છે, વસ્તુસત્ સામાન્ય નથી. 'વિકલ્પજ્ઞાનને યા નિશ્ચયાત્મક જ્ઞાનને વિષય પણ આ અપેાહરૂપ સામાન્ય જ છે. વસ્તુસત્ સ્વલક્ષણ નિવિ કલ્પ પ્રત્યક્ષના જ વિષય છે, અને નિવિકલ્પ પ્રત્યક્ષ જ પ્રત્યક્ષ છે. ન્યાય-વૈશેષિકા બૌદ્ધોના આ મતનું ખંડન કરે છે. તેમની મુખ્ય દલીલો નીચે પ્રમાણે છે. (૧) અનેક વસ્તુમાં રહેતુ અભેદપ્રતીતિનુ એક નિમિત્ત માન્યા વિના અનેક વસ્તુમાં અભેદપ્રતીતિ ન ટી શકે. કેઈ એક નિમિત્તરૂપ પદાને માન્યા વિના અભેદપ્રતીતિ માનવામાં આવે તે। જેમ અનેક ગાયામાં અભેધ્યુદ્ધિ થાય છે તેમ ગાય, ભેંસ, અશ્વ, હાર્થા, વગેરે વિજાતીય વ્યક્તિઓમાં પણ અભેદબુદ્ધિ થવી જોઈએ, કારણ કે એક સ્થળે અભેદબુદ્ધિ થવાનું અને આજે સ્થળે ન થવાનું કાઈ કારણ નથી. જો કહે કે ગાયામાં અગાવ્યાવૃત્તિરૂપ એક નિમિત્ત છે તેથી ગાયામાં અભેઋદ્ધિ થાય છે જ્યારે ગાય, ભેંસ, અશ્વ, હાથી વગેરે વિજાતીય વ્યકિતઓમાં અગાવ્યાવૃત્તિરૂપ એક નિમિત્ત નથી તેથી તેમનામાં અભેધ્યુદ્ધિ થતી નથી તેા ‘અગા’ શબ્દથી કઈ વસ્તુઓ અભિપ્રેત છે જેની
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy