________________
૩eo
પ્રદર્શન
તીરનાં કર્મો તીર પડે નહિ ત્યાં સુધી ઉત્પન્ન કરે છે. દેરીથી વિભકત થયેલા તીરમાં તે પડે નહિ ત્યાં સુધી એક જ કર્મ નથી માનવામાં આવતું પણ અનેક ક માનવામાં આવે છે કારણ કે એક કર્મનું અસ્તિત્વ ઉત્તરદિફપ્રદેશ સાથે સ્વાશ્રયભૂત દ્રવ્યના સંગ સુધી જ રહે છે. દોરીથી વિભક્ત થયેલું તીર પડે નહિ ત્યાં સુધી ઉત્તરોત્તર દિપ્રદેશો સાથે અનેક સંગો ધરાવે છે. તેથી તે અન્તરાળ દરમ્યાન તીરમાં એક નહિ પણ અનેક કર્મો માનવામાં આવ્યાં છે. પરંતુ તીરદેરીસગરૂપ નેદનથી ઉત્પન્ન થયેલા આદ્યકમે તીરમાં ઉત્પન્ન કરેલો વેગ જ આ બધાં કર્મોનું કારણ છે. આ વેગ એક જ માનવામાં આવ્યો છે કારણ કે અન્તરાલમાં વેગોત્પત્તિનાં સહાયક કેઈ કારણ નથી.૪૨ આમ તીર વગેરેમાં સ્થિતિસ્થાપકતા અને વેગથી કર્મની ઉત્પત્તિ થાય છે. વળી, આ ઉપરથી એ હકીક્ત સ્પષ્ટ થાય છે કે અમુક નિયત દિશામાં ચાલતી કર્મપરંપરાનું કારણ વેગ છે.
તેવી જ રીતે કુંભારનો ચાકડે વગેરે જેવા અવયવીમાં અનિયત દિશામાં ચાલતી ભ્રમણરૂપ કર્મપરંપરાનું કારણ પણે વેગ છે. કેવી રીતે ? ચાકડારૂપ અવયવીના અમુક એક અવયવ સાથે દંડને નોદિનરૂપ સંગ થાય છે. આ નદનરૂપ સંગથી તે અવયવમાં અદ્યકર્મ ઉત્પન્ન થાય છે અને તે જ વખતે સંયુક્તસંગથી અન્ય અવયવોમાંના પ્રત્યેકમાં આઘકમ ઉત્પન્ન થાય છે. આ બધાં આદ્યક સ્વાશ્રયમાં વેગ ઉત્પન્ન કરે છે. પરિણામે દંડસંયુક્ત અવયવમાં આદ્યકર્મ પછીનાં કર્મો વેગ અને નોદનરૂપ સંગથી ઉત્પન્ન થાય છે જ્યારે અન્ય અવયવોમાં આદ્યકર્મ પછીનાં કર્મો વેગ અને સંયુક્તસંગથી ઉત્પન્ન થાય છે. હવે જે દંડને દૂર કરવામાં આવે છે તે દંડ દૂર થતાં બધાં અવયવોમાં અને અવયવીમાં કેવળ વેગથી જ કર્મો ઉત્પન્ન થાય છે.૪૩
(૬) અદષ્ટ–મરણકાળે શરીરમાંથી નીકળવારૂપ મનની ક્રિયાનું અપસર્ષણનું) તેમ જ નવા શરીરમાં દાખલ થવારૂપ મનની ક્રિયાનું (ઉપસર્ષણનું) કારણ અદષ્ટ છે.૪૪ યોગીઓ પિતાના મનને શરીરમાંથી બહાર કાઢી અભિપ્રેત પ્રદેશમાં મોકલે છે અને પાછું વાળી શરીર ભણી લાવી શકે છે. યોગીઓના મનની શરીરની બહારની આ ગતિનું કારણ અદષ્ટ છે. ૪૫ વળી, સૃષ્ટિની આદિમાં શરીર સાથે મનનો સંયોગ જે ક્રિયાથી થાય છે તે ક્રિયાનું કારણ પણ અદષ્ટ છે.૪૬ આવી જ રીતે, જેને ઉપકાર યા અપકાર કરનારી મહાભૂતની જે ફિયાઓનાં કારણોનો બોધ પ્રત્યક્ષ યા અનુમાનથી નથી થતો તે બધી ક્રિયાઓના કારણ તરીકે અદષ્ટને ગણવામાં આવ્યું છે. ઉદાહરણાર્થ, અગ્નિના ઊર્ધ્વ