SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩િ૬ પદર્શન જ છે અને તેનું અસમવાધિકારણ ગુણ જ છે. કર્મનાં સમાયિકારણે પાંચ પરિચ્છિન્ન (મૂર્ત) દ્રવ્યો છે, અર્થાત તે દ્રવ્યોમાં જ કર્મ ઉત્પન્ન થાય છે. પરંતુ તે દ્રવ્યમાં કર્મને ઉત્પન્ન કોણ કરે છે ? ગુણ જ, કે ગુણ ક્યા કર્મને ઉત્પન્ન કરે છે? આ પ્રશ્નનો વિચાર હવે કરીએ. કર્મનાં કારણો નીચેના ગુણો છે-ગુરુત્વ, પ્રયત્ન, સંગ, દ્રવત્વ, સંસ્કાર અને અદષ્ટ. (૧) ગુરુ–ગુરુવ પતનર્મનું કારણ છે. ગુરુવ પૃથ્વી અને જળને ગુણ હોઈ પાર્થિવ અને જલીય દ્રવ્યોના પતનકર્મનું કારણ ગુરુત્વ છે. ગુરુત્વના પ્રતિબંધકે (ગુરુત્વને પતનકર્મ કરતાં અટકાવનાર) છે. સંગ, પ્રયત્ન અને સંસ્કાર (=વેગ). તેથી જલીય અને પાર્થિવ દ્રવ્યમાં જ્યારે ગુરુત્વના પ્રતિબંધક ગુણો નથી હોતા ત્યારે જ ગુત્વ તેમનામાં પતનકર્મ ઉત્પન્ન કરે છે. ઉદાહરણાર્થ, હાથ અને સાંબેલાને વિભાગ થતાં હાથ અને સાંબેલાનો સંયોગ નાશ પામે છે, પરિણામે સાંબેલું પોતાના ગુરૂવથી નીચે પડે છે. ૨૭ આમ જ્યાં સુધી હાથ અને સાંબેલાનો સંગ હોય છે ત્યાં સુધી સાંબેલાનું ગુરવ સાંબેલાને નીચે પાડી શકતું નથી. તેવી જ રીતે આમપ્રયત્નના અભાવમાં શરીર પોતાના ગુરુત્વને લઈને નીચે પડે છે. પરંતુ જ્યાં સુધી આત્મપ્રયત્ન હોય છે ત્યાં સુધી શરીરનું ગુરુવ શરીરને નીચે પાડી શકતું નથી.૨૯ આજ પ્રમાણે ધનુષમાંથી છૂટેલા બાણમાં જ્યાં સુધી વેગ હોય છે ત્યાં સુધી બાણનું ગુરુવ બાણને નીચે પાડી શકતું નથી પરંતુ જ્યારે બાણનો વેગ ખલાસ થઈ જાય છે ત્યારે જ બાણનું તેના પોતાના ગુરુત્વને લઈને પતન થાય છે.૩૦ અહીં એ નોંધવું જોઈએ કે પતનક્રિયામાં જે પ્રથમ કર્મ (=આદ્ય પતન કર્મ) છે તે જ કેવળ ગુરુત્વથી ઉત્પન્ન થાય છે પરંતુ બીજું, ત્રીજું વગેરે કર્મ કેવળ ગુરુત્વથી ઉત્પન્ન થતાં નથી પણ ગુરુત્વ અને વેગ બંનેથી ઉત્પન્ન થાય છે. આદ્યપતનકર્મથી વેગ ઉત્પન્ન થાય છે. તેથી આદ્યપતનકર્મ પછીનાં બધાં પતનકર્મોની ઉત્પત્તિમાં ગુરુત્વ અને વેગ બંનેય કારણભૂત છે.૩૧ વેગ ગુરુત્વને પતનકર્મ કરતાં અટકાવનાર હોય તો પછી વેગ ગુરુત્વ સાથે મળી પતનકર્મનું કારણ કેવી રીતે ઘટી શકે ? વેગ ગુરુત્વને પતનકર્મ કરતાં અટકાવે છે એનો અર્થ એ છે કે જ્યાં સુધી જલીય યા પાર્થિવ દ્રવ્યમાં વેગ હોય છે ત્યાં સુધી ગુરુત્વ તે દ્રવ્યમાં આઘાતનકર્મ ઉત્પન્ન કરતું નથી. આમાંથી એ ફલિત થાય છે કે ઊર્ધ્વદિગભિમુખ કર્મોની સંતતિના કારણભૂત
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy