________________
વૈશેષિકદન
૩૬૫
આ ચન—આ ચનના અર્થ છે સંકેાચન. સરળ સપાટીવાળા દ્રવ્યના અત્ર અવયવાના પાતે જે પ્રદેશે સાથે સંયુક્ત હતા તેમનાથી વિભાગ અને ચૈ પોતે રાકેલા આંતિરક દેિશા સાથે સચેગ જે કથી થાય છે તે કમ ને આકુંચન કહેવામાં આવે છે.૨૨
પ્રસારણ—એનાથી ઊલટું દ્રવ્યના અગ્ર અવયવને પોતે જે દિક્પ્રદેશ સાથે સંયુક્ત હતા તેમનાથી વિભાગ અને દ્રવ્યે પાતે નહિ રાકેલા બહારના દિક્પ્રદેશ સાથે સંયોગ જે ક્રિયાથી થાય છે તેને પ્રસારણ કહેવામાં આવે છે.૨૩
ગમન—અનિયમિત દિક્પ્રદેશે સાથે દ્રવ્યના વિભાગ અને સંયોગ ઉત્પન્ન કરનાર કર્મીને ગમન કહેવામાં આવે છે.૨૪
ઉપર્યું કંત ચતુવિધ કાઁથી અતિરિકત બીજા જેટલાં કર્યાં છે તે બધાંનેા સમાવેશ ગમનમાં થાય છે.
અહીં એક પ્રશ્ન ઊઠે છે. બધાં જ કર્માં ગમનમાં સમાવેશ પામી શકે છે તો પછી કના પાંચ પ્રકારે। શા માટે માનવામાં આવ્યા છે ? ૨૫ અને, જો કાય ભેદ પ્રમાણે વી કરણ કરવામાં આવે તે પછી પ્રવેશન, નિષ્ક્રમણ, વગેરેને પણ કમ ના જુદા પ્રકારા માનવા પડે ? આ પ્રશ્નની છણાવટ પ્રશસ્તપાદે વિસ્તારથી કરી છે. ઉપયુ ત વગી કરણ દિવિશેષ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને દ્રષ્ટસાપેક્ષ નથી. ઉક્ષેપણને બધા દેખનારા ઉક્ષેપણુ જ જાણે છે, જ્યારે નિષ્ક્રમણુ વગેરે કર્માંની ખાખતમાં એવું નથી. ઉદાહરણા, બે એરડાઓને એક સમાન ખારણું છે, એક એરડામાં એ માણસા છે અને ખીજા એરડામાં એક માણસ છે, જે એરડામાં એ માણસા છે તે એરડામાંથી એક માણસ ઊઠી ખીજા એરડામાં જાય છે, આ માણસનું કમ તેના સાથીની દૃષ્ટિએ નિષ્ક્રમણ છે અને જે એરડામાં તે ગયા તેમાં બેઠેલા માણસની દૃષ્ટિએ તેનું કમ` પ્રવેશન છે. આમ, નિષ્ક્રમણ અને પ્રવેશનને જુદી જાતિના કર્માં માનતાં જાતિસંકર (cross classification) દોષ આવે છે. તેથી આવાં કર્માંને ભિન્ન ભિન્ન જાતિ ધરાવતાં કર્યાં નથી માનવામાં આવ્યાં અને તે બધાંનો ગમનમાં જ સમાવેશ કરાયા છે, અર્થાત્ તે બધાંની એક જ જાતિ ગમનત મનાઈ છે, પરિણામે જાતિસ’કરદોષ આવતા નથી.૨૬
ક નાં કારણો
કર્મીનું કારણ ક` નથી એ તે આપણે જોઈ ગયા. તેા પછી કમ'નું કારણ શું છે તે જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. કમ`નું સમવાયિકારણ દ્રવ્ય